
મધ્ય પ્રદેશ અને ગુજરાત વચ્ચેનો સંપર્ક હવે વધુ સુદ્રઢ થશે, કારણ કે ઈન્દોરથી ઝાબુઆ થઈને ગુજરાત બોર્ડર સુધી પહોંચતો નેશનલ હાઈવે-47 (NH-47) ફોરલેન સેક્શન પૂર્ણ થઈ ગયો છે. 162 કિલોમીટર લાંબા આ હાઈવેને 4-લેનમાં અપગ્રેડ કરવામાં આવ્યો છે, જેનાથી ઈન્દોરથી ધાર, ઝાબુઆ, દાહોદ, ગોધરા અને અમદાવાદ સુધી સુપરફાસ્ટ કનેક્ટિવિટી મળશે. આ પ્રોજેક્ટથી પેસેન્જર વાહનો તેમજ ભારે માલવાહક વાહનોને સૌથી વધુ ફાયદો થશે.
નેશનલ હાઈવે-47 ના આ નવા સેક્શનથી ઈન્દોર અને અમદાવાદ બંને શહેરોને મોટો લાભ થશે: અગાઉ બંને શહેરો વચ્ચે 380 થી 400 કિલોમીટરનું અંતર કાપવામાં 8 થી 9 કલાક જેટલો લાંબો સમય લાગતો હતો. વાહનોને સાંકડા રસ્તાઓ અને જંગલો વચ્ચેના જોખમી વળાંકોમાંથી પસાર થવું પડતું હતું. હવે ફોરલેન બન્યા બાદ આ સફર માત્ર 5 થી 6 કલાક માં જ પૂરી થઈ રહી છે, જેનાથી મુસાફરો અને ટ્રાન્સપોર્ટરોનો સમય અને ઇંધણ બંને બચશે.
વાસ્તવમાં NH-47 ગુજરાતના બામણબોરથી શરૂ થઈને મધ્ય પ્રદેશમાંથી પસાર થતાં મહારાષ્ટ્રના નાગપુર સુધી જાય છે, જેની કુલ લંબાઈ આશરે 1006 કિલોમીટર છે. આ હાઈવેનો ઈન્દોરથી MP-ગુજરાત સીમા સુધીનો ભાગ 150 થી 160 કિલોમીટરનો વિસ્તાર આવરી લે છે. NHAI દ્વારા તાજેતરમાં 16 કિલોમીટર લાંબા મુખ્ય બાયપાસ અને રી-અલાઈન્ડ સેક્શનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જે નીચે મુજબના મુખ્ય શહેરો/વિસ્તારોને જોડે છે:
આ હાઈવેને સંપૂર્ણપણે ‘એક્સિડન્ટ-ફ્રી’ બનાવવા માટે સરકાર ₹168.58 કરોડના ખર્ચે 7 નવા વ્હીકલ અંડરપાસ અને સર્વિસ રોડ બનાવી રહી છે. આ વ્યવસ્થાથી સ્થાનિક ગામડાઓનો લોકલ ટ્રાફિક મુખ્ય હાઈવે પર સીધો નહીં આવે, જેના લીધે હાઈવે પર વાહનો કલાકના 100 કિલોમીટરની ઝડપે સુરક્ષિત રીતે દોડી શકશે.