રાજકોટમાં એક અઠવાડિયામાં 285 લોકોને શ્વાન કરડયાં, ખસીકરણ ઝુંબેશ પર સવાલ

|

Nov 24, 2021 | 3:58 PM

આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી બી આર.જાકાંસણીયાએ કહ્યું હતું કે વર્ષ ૨૦૦૮થી શ્વાન વ્યંઘિકરણનો પ્રોગ્રામ શરૂ થયો છે.૧ નવેમ્બરથી ૨૧ નવેમ્બર સુધીમાં ૧૬૫ શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે

રાજકોટમાં એક અઠવાડિયામાં 285 લોકોને શ્વાન કરડયાં, ખસીકરણ ઝુંબેશ પર સવાલ
રાજકોટ મહાનગર પાલિકા (ફાઇલ)

Follow us on

રાજકોટ મહાનગરપાલિકા શ્વાનના વ્યંધિકરણ એટલે કે ખસીકરણ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ રસ્તા પર રખડતાં શ્વાનની કનડગત ઓછી થઇ રહી નથી.તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકાએ આપેલા સત્તાવાર આંકડા પ્રમાણે એક સપ્તાહમાં ૨૮૫ જેટલા લોકોને શ્વાને કરડ્યાં હોવાનું સામે આવ્યું છે.મહાનગરપાલિકા એક શ્વાનના ખસીકરણ માટે ૨૨૫૦ રૂપિયાનો ખર્ચ કરે છે ત્યારે વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવો ઘાટ ઘડાયો છે.

શ્વાન ખસીકરણમાં કરોડો રૂપિયાનો વેડફાટ-વિપક્ષ

આ અંગે વિરોધ પક્ષના પૂર્વ નેતા વશરામ સાગઠિયાએ કહ્યું હતું કે છેલ્લા બે વર્ષનાં મનપા દ્રારા શ્વાનના ખસીકરણ માટે ૧.૮૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. પરંતુ અનેક વિસ્તારોમાં લોકોને શ્વાન પરેશાન કરી રહ્યા છે.રાત્રીના સમયે અને વહેલી સવારે લોકોને ચાલવું મુશ્કેલ બની રહ્યું છે.તંત્ર માત્ર કાગળ પર હિસાબ કરતી હોવાનો વિરક્ષે આક્ષેપ કર્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

દર વર્ષે શ્વાન કરડવાંના કેસોમાં ઘટાડો

આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી બી આર.જાકાંસણીયાએ કહ્યું હતું કે વર્ષ ૨૦૦૮થી શ્વાન વ્યંઘિકરણનો પ્રોગ્રામ શરૂ થયો છે.૧ નવેમ્બરથી ૨૧ નવેમ્બર સુધીમાં ૧૬૫ શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે અને સરેરાશ ૧૦ શ્વાનનું ખસીકરણ કરવામાં આવે છે.જો કે છેલ્લા ૪ વર્ષથી શ્વાન કરડવાના કેસોમાં ક્રમશ: ઘટાડો જોવા મળ્યો છે જે આ શ્વાન વ્યંધિકરણનું પોઝિટિવ પરિણામ છે.

છેલ્લા ૫ વર્ષના આંકડા
૨૦૧૬. ૧૩૧૪૭
૨૦૧૭. ૧૦૮૭૨
૨૦૧૮. ૧૧૮૪૬
૨૦૧૯. ૯૮૨૯
૨૦૨૦. ૮૫૭૩

આ રીતે કરે છે ખસીકરણ

અમદાવાદની એક સંસ્થાને મનપાએ ખસીકરણનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. જેમાં સંસ્થા દ્રારા રખડતા શ્વાનને પકડીને ખસીકરણ કેન્દ્ર સુધી લાવવામાં આવે છે. ત્યાં તેનું ઓપરેશન કરવામાં આવે છે અને તેને હડકવાં વિરોધી રસી આપવામાં આવે છે. ત્યારબાદ ત્રણ દિવસ સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવે છે.આ ઉપરાંત એક જ વિસ્તારમાં શ્વાન કરડતું હોય તો તેની ઓળખ કરીને તેને પકડીને ફ્રેન્ડલી સેન્ટર ખાતે મુકવામાં આવે છે. આમ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

 

આ પણ વાંચો : રાજયમાં ધર્માંતરણની એક બાદ એક ઘટના, શું ખરેખર રાજ્યમાં ધર્માંતરણનો ખેલ ખેલાઇ રહ્યો છે ?

આ પણ વાંચો : Video : ખરેખર ! ગેહલોતના મંત્રી રાજેન્દ્ર ગુડાએ એન્જિનિયરને કહ્યું “રસ્તો કેટરિના કૈફના ગાલ જેવો બનવો જોઈએ”, ગુડાનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ

Next Article