છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાઈરસના 510 નવા કેસ નોંધાયા છે. આ જ સમયગાળામાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થઈને 348 દર્દી ઘરે પહોંચ્યાં છે. રાજ્યમાં કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં હોય એવા દર્દીની સંખ્યા વધીને 6,239 થઈ ગઈ છે. કોરોના વાઈરસના લીધે 31 લોકોએ છેલ્લાં 24 કલાકમાં જીવ ગુમાવ્યો છે.
રાજ્યમાં કોરોના વાઈરસના લીધે કુલ 1592 લોકોના થયા મોત
ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં કોઈ જ ઘટાડો જોવા મળી રહ્યો નથી. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 510 કેસ નોંધાયા છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે કોરોના વાઈરસના 317 કેસ છેલ્લાં 24 કલાકમાં નોંધાયા છે. અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 17946 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 25,658 નોંધાઈ છે. જ્યારે કોરોના વાઈરસની સામે જંગ જીત્યો હોય એવા દર્દીની કુલ સંખ્યા 17,829 નોંધાઈ છે. ગુજરાતમાં કોરોનાના લીધે કુલ 1592 લોકોનો જીવ ગયો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 3:18 pm, Thu, 18 June 20