AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Corona Update: રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 580 પહોંચતા ચિંતા વધી, છેલ્લા 24 કલાકમાં 68 નવા કેસ

રાજ્યમાં 16 ડિસેમ્બર, 2021ના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા છે. એક્ટીવ કેસોની સંખ્યા વધતા ચિંતા વધી છે.

Gujarat Corona Update: રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 580 પહોંચતા ચિંતા વધી, છેલ્લા 24 કલાકમાં 68 નવા કેસ
In Gujarat, 68 new cases of corona were reported in the last 24 hours on December 16, 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 8:32 PM
Share

ગુજરાતમાં (Gujarat) 16 ડિસેમ્બરના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના(Corona) નવા 68 કેસ નોંધાયા છે. જ્યારે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. આજે કોરોનાથી 43 લોકો સાજા થયા છે. તેમજ અત્યાર સુધી કુલ 8,17, 687 લોકોએ કોરોનાને હરાવ્યો છે. તેમજ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ (Recovery Rate) 98. 71 ટકા છે.

કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 580 થઈ છે. જેમાંથી 06 લોકો વેન્ટિલેટર પર છે અને 574 લોકો સ્ટેબલ છે. તેમજ અત્યાર સુધી કોરોનાથી કુલ 10,100 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં 16 ડિસેમ્બરના રોજ છેલ્લા 24 કલાકના નોંધાયેલા નવા કેસોની વાત કરીએ તો સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં 20, વડોદરા શહેરમાં 12, સુરત શહેરમાં 9, રાજકોટ શહેરમાં 7, અને જામનગર શહેરમાં 3 છે. તો જિલ્લાઓમાં ગાંધીનગરમાં 5, નવસારીમાં 5, કચ્છમાં 2, વલસાડમાં 2, ભરૂચ-રાજકોટ અને સુરતમાં 1-1 કેસ નોંધાયા છે.

ચિંતાજનક બાબત એ છે કે રાજ્યમાં કોરોનાના ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં ઓમિક્રોન વેરીએન્ટનો વધુ એક કેસ નોધાયો છે. મહેસાણાના વિજાપુરના 41 વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓમિક્રોન પોઝિટીવ આવેલી મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.મહિલાના સ્વજનોમા ઝિમ્બાબ્વેથી આવેલા પરિવારજનો એક બેસણા પ્રસંગે મળ્યા હતા. ઝિમ્બાબ્વેથી આવેલા સ્વજનોનો ત્રણ-ત્રણ વખત રિપોર્ટ કર્યા બાદ પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મહિલા ઓમિક્રોન સંક્રમિત કેવી રીતે થઇ તે શોધવું આરોગ્ય વિભાગ માટે મોટો પડકાર છે.

ગુજરાતમાં જામનગરમાં 3, સુરતમાં એક અને આજે મહેસાણાનો એક થઈને ઓમિકરીનના કુલ 5 કેસ થયા છે. જામનગરમાં ઓમિક્રોન વેરિઅન્ટના ત્રણ કેસ નોંધાયા હતા, જેમાં ઝિમ્બાબ્વેથી પરત ફરેલા 72 વર્ષીય એનઆરઆઈ વ્યક્તિ, એન તેના બે સંબંધી પણ આ વેરીએન્ટથી સંક્રમિત થયા હતા. જો કે આ 72 વર્ષીય એનઆરઆઈ વ્યક્તિનો હાલમાં જ પ્રથમ રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. આમ છતાં સાવચેતીના ભાગરૂપે એમને કોવિડ વોર્ડમાં રાખવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: Big Breaking: હેડ ક્લાર્ક પેપર લીક થયાના મામલે મોટા સમાચાર, રદ થઈ શકે છે પરીક્ષા

આ પણ વાંચો: યુવરાજસિંહ સામે થઈ શકે માનહાનિનો દાવો! પેપર લીક મુદ્દે વાયરલ થયેલા અક્ષર ફાર્મહાઉસના માલિકની અરજી

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">