કોરોનાના વધતા કેસને લઈને, સાત દિવસ બંધ રહેશે ઈડરનુ બજાર
સાબરકાંઠાના ઈડરમાં આવતીકાલ સોમવારથી શનિવાર સુધી તમામ બજારો સંપૂર્ણ બંધ રહેશે. સાબરકાંઠામાં વધતા જતા કોરોનાના કેસને લઈને વેપારી આલમ ચિંતામાં છે. સાબરકાઠાના ઈડરમાં વિવિધ વેપારી એસોશિએશનની મળેલી બેઠકમાં આવતીકાલ 28 સપ્ટેમ્બરથી સાત દિવસ સુધી તમામ બજારો બંધ રાખવાનો સર્વાનુંમતે નિર્ણય લેવાયો છે. ઈડરના વાસણ બજાર, કાપડ મહાજન, સોની, સીડસ, ઓટો પાર્ટસના વેપારી એસોસિએશનના હોદ્દેદારોની બેઠક […]
સાબરકાંઠાના ઈડરમાં આવતીકાલ સોમવારથી શનિવાર સુધી તમામ બજારો સંપૂર્ણ બંધ રહેશે. સાબરકાંઠામાં વધતા જતા કોરોનાના કેસને લઈને વેપારી આલમ ચિંતામાં છે. સાબરકાઠાના ઈડરમાં વિવિધ વેપારી એસોશિએશનની મળેલી બેઠકમાં આવતીકાલ 28 સપ્ટેમ્બરથી સાત દિવસ સુધી તમામ બજારો બંધ રાખવાનો સર્વાનુંમતે નિર્ણય લેવાયો છે. ઈડરના વાસણ બજાર, કાપડ મહાજન, સોની, સીડસ, ઓટો પાર્ટસના વેપારી એસોસિએશનના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. જેમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સોમવાર થી શનિવાર સુધી બજાર બંધ રાખવાનો સ્વૈચ્છીક નિર્ણય કર્યો છે. આ અંગે સમગ્ર ઈડર શહેરમાં માઈક સાથેની રીક્ષા ફેરવીના જાહેરાત કરાઈ હતી.
આ પણ વાંચોઃપૂર્વ કેન્દ્રીય વિદેશ પ્રધાન જસવંતસિંહનું નિધન, મોદી સહીતના નેતાઓ વ્યક્ત કર્યુ દુઃખ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો