મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો(Vijay Rupani) પાંચ વર્ષનો કાર્યકાળ પુરો થતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે.ઉલ્લેખીય છે કે 1 થી 9 ઓગસ્ટ સુધી વિવિધ દિવસની ઉજવણી કરવામાં આવશે.ઉપરાંત કાર્યક્રમના કોઈ પણ એક દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી વર્ચ્યુઅલી જોડાય તે અંગે સરકારે ઈચ્છા વ્યક્ત કરી છે.
પાંચ વર્ષનો કાર્યકાળ પુરો થતા વિવધ કાર્યક્રમોનું આયોજન
ગુજરાતમાં વિજય રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે ઉજવણી કરવામાં આવશે. રાજ્યભરમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ પહેલી ઓગસ્ટથી લઈ નવમી ઓગસ્ટ(August) સુધી ઉજવણી કરાશે. કોરોના નિયમોના ચુસ્ત પાલન સાથે રાજ્યભરમાં ઉજવણીના કાર્યક્રમો નક્કી થશે. વિજય રૂપાણી સરકારમાં જનઉપયોગી કાર્યોને વધુ સક્રિયતાથી આગળ લઈ જવા માટે તાલુકા કક્ષાએ કાર્યક્રમ યોજાશે.
રાજ્યમાં મહિલા, યુવા, ખેડૂત, ઉદ્યોગ, રોજગાર, શિક્ષણ, આદિવાસી કલ્યાણના કાર્યક્રમોનું આયોજન કરાશે. આ ઉજવણી થકી લોકો સાથે સંવાદનો સરકાર પ્રયાસ કરશે.આ કાર્યક્રમોમાં મુખ્યપ્રધાન રૂપાણી, ડે. સીએમ નીતિન પટેલ, પ્રધાનો, સાંસદ, ધારાસભ્યો, સમાજના આગેવાનો જોડાશે.ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી કાર્યક્રમના કોઈ પણ એક દિવસ વર્ચ્યુઅલી (Virtually) જોડાય તે અંગે સરકારે ઈચ્છા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : CHHOTA UDEPUR : બોડેલી-વડોદરા હાઇવે પર એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ
Published On - 12:05 pm, Wed, 28 July 21