Gujarat NCC: પડકારજનક સ્થિતિ વચ્ચે પણ ગુજરાત NCCની કાબિલેદાદ કામગીરી, હવે બીજા તબક્કાની કામગીરી શરૂ

Gujarat NCC: પડકારજનક સ્થિતિ હોવા છતાં પણ, ગુજરાત NCC નિદેશાલયના સંખ્યાબંધ કેડેટ સમાજ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માટે આ નિઃસ્વાર્થ સેવાકાર્યમાં સ્વેચ્છાએ જોડાયા

Gujarat NCC: પડકારજનક સ્થિતિ વચ્ચે પણ ગુજરાત NCCની કાબિલેદાદ કામગીરી, હવે બીજા તબક્કાની કામગીરી શરૂ
Gujarat NCC: Despite the challenging situation, Gujarat NCC's capable work, now the second phase of work has started.
Follow Us:
| Updated on: Jun 19, 2021 | 12:36 PM

Gujarat NCC:  દેશમાં એપ્રિલ 2021માં શરૂ થયેલા કોવિડ-19 (Covid 19) મહામારીના બીજા ચરણના કારણે સમગ્ર સરકારી વ્યવસ્થાતંત્ર સમક્ષ આ રોગચાળાના ઉપદ્રવના પ્રારંભિક ચરણની સરખામણીએ સંખ્યાબંધ પડકારો આવ્યા છે. બીજા ચરણના હુમલાના કારણે આરોગ્ય વિભાગ ખૂબ જ તણાવ હેઠળ આવી ગયો હતો.

મે મહિના દરમિયાન ગુજરાતના આરોગ્ય આયુક્તાલય, તબીબી સેવાઓ, તબીબી શિક્ષણ અને સંશોધન દ્વારા આરોગ્ય મંત્રાલયના પ્રયાસોમાં વૃદ્ધિ કરવા માટે સ્વેચ્છાએ NCC કેડેટની નિયુક્તિ કરવાના સંદર્ભમાં ગુજરાત NCC નિદેશાલયનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

પડકારજનક સ્થિતિ હોવા છતાં પણ, ગુજરાત NCC નિદેશાલયના સંખ્યાબંધ કેડેટ સમાજ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માટે આ નિઃસ્વાર્થ સેવાકાર્યમાં સ્વેચ્છાએ જોડાયા હતા. NCC મહાનિદેશક પાસેથી મંજૂરી પ્રાપ્ત થયા પછી 35 ગુજરાત બટાલિયન NCCના પંદર સ્વયંસેવક કેડેટને જરૂરી તકેદારીઓ અને કોવિડ-19 પ્રોટોકોલના પાલન સાથે, 16 જૂન 2021થી બનાસકાંઠા જિલ્લા ખાતે પાલનપુર, દાંતીવાડા અને ડીસાના તાલુકાઓમાં જિલ્લા આરોગ્ય સત્તામંડળની મદદ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

બનાસકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડૉ. એસ.એમ. દેવે આ પગલાંની ખૂબ જ પ્રશંસા કરી હતી અને વ્યક્તિગત રીતે આ તમામ કેડેટ સાથે સંવાદ કર્યો હતો. સંબંધિત તાલુકાઓના તાલુકા આરોગ્ય અધિકારીઓએ કેડેટ્સને તેમની આગામી કામગીરી વિશે માહિતગાર કર્યા હતા. તેમને 18-44 વર્ષના વયજૂથના લોકોના રસીકરણની નોંધણીમાં મદદ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. સ્વયંસેવકોના આ પ્રયાસોને નાગરિકો દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">