
27 વર્ષ પછી, દિલ્હીમાં ભાજપનો વનવાસ સમાપ્ત થયો. લગભગ ત્રણ દાયકાના સમયગાળામાં, છેલ્લો દાયકો ભાજપ માટે સૌથી પડકારજનક રહ્યો કારણ કે આ પહેલા, ભાજપ પાસે આવી અજેય છબી ધરાવતા કોઈપણ નેતાનો કોઈ મુકાબલો નહોતો. આ વખતે મોદી મેજિક અજેય છબી ધરાવતા નેતા અરવિંદ કેજરીવાલને સત્તા પરથી દૂર કરવામાં સફળ રહ્યો છે. આ જીતનો આધાર નરેન્દ્ર મોદીની સ્વચ્છ છબી છે. આ જીતનો આધાર નરેન્દ્ર મોદીની ગેરંટી છે. લોકસભા ચૂંટણી પછી હરિયાણા, મહારાષ્ટ્રમાં જીત મળી અને હવે દિલ્હીમાં સતત ત્રીજી જીત નોંધાઈ. દિલ્હીમાં ભાજપે 70 માંથી 48 બેઠકો જીતી છે, જ્યારે આમ આદમી પાર્ટી 22 બેઠકો પર સમેટાઈ ગઈ છે. તેમજ કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી.
હાલ તો બસનાં કન્ડેક્ટરે ST પ્રશાસન અને પોલીસને ઘટનાની જાણ કરી છે ત્યારે સમગ્ર મામલે ફરાર શખ્સોને શોધી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે….યુવકને બસમાં ગંદકી કરવા બાબતે અન્ય યાત્રીઓ દ્વારા પણ સમજાવવામાં આવ્યો તે સમયના વીડિયો પણ સામે આવ્યા છે….
બટાકાનું હબ ગણાતા બનાસકાંઠામાં બટાકાનું ઉત્પાદન શરૂ થયું છે. યોગ્ય વાતાવરણ જળવાતા બનાસકાંઠામાં પાછલા વર્ષોની સરખામણીએ બટાકાના માતબર ઉત્પાદનની શક્યતા છે. સિઝનની શરૂઆતમાં બટાકાના ભાવ 250ને પાર પહોંચ્યા હતા. જોકે જેમ જેમ ઉત્પાદન વધી રહ્યું છે, અને માર્કેટમાં બટાકા પહોંચી રહ્યા છે તેમ તેમ ભાવમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ખેડૂતોનું માનવું છે કે હાલના ભાવ યથાવત રહે તો ખેડૂતોને ફાયદો થઇ શકે છે.
ખેડૂતોને આશંકા છે કે ઉત્તરપ્રદેશ અને આગ્રાના બટાકા ગુજરાતમાં આવશે ત્યારે બટાકાના ભાવ વધુ ઘટશે. ખેડૂતોને ચિંતા છે કે ખાતર, દવાઓ અને ઇંધણના મોટાપાયે ખર્ચા બાદ જો બટાકાનો ભાવ તૂટશે તો ખેડૂતોને મોટું નુકસાન થઇ શકે છે. હાલ બનાસકાંઠાના બજારોમાં બટાકાની એન્ટ્રી શરૂ થઇ છે. ખેડૂતોને 225થી 250 સુધી ભાવ પણ મળી રહ્યો છે. ત્યારે જો આ ભાવ યથાવત રહે તો ખેડૂતોનું વર્ષ સુધરી શકે છે.
જંબુસરની નવયુગ વિદ્યાલયમાં આચાર્ય અને શિક્ષક વચ્ચે મારામારીની ચકચારી ઘટનામાં વધુ એક વિડીયો વાયરલ થયો છે આ વીડિયોમાં આચાર્ય દ્વારા શિક્ષક રાજેન્દ્ર પરમાર પર વિદ્યાર્થિનીઓને ઘરે બોલાવતા હોવાના આક્ષેપ થયા છે અને આ બાબતે શાળાને લેખિત ફરિયાદ મળી હોવાનો પણ ઉલ્લેખ છે.
આ ઉપરાંત આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા શિક્ષક વિરૂદ્ધ મનસ્વી રીતે રજા લેવાના અને ફરજમાં બેદરકારી દાખવવાનાં આરોપ મૂકવામાં આવ્યા છે. સાથે જ મીટીંગમાં શિક્ષકે તેમણે ઉશ્કેર્યા હોવાથી તેમણે આ પગલુ ભર્યાનું નિવેદન આપવામાં આવ્યુ છે.. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસનાં આદેશ આપવામાં આવ્યા. પોલીસે પણ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આચાર્ય દ્વારા માર મારવાને લઈ શિક્ષક ન્યાય માગી રહયા છે. શિક્ષકના કહેવા પ્રમાણે આચાર્ય તેમણે 4 મહિનાથી પરેશાન કરી રહ્યા છે અને તેમણે રજા માગી હોવા છતાં રજા નામંજૂર કરી હોવાનો આચાર્ય પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
ભરૂચમાં ડમ્પિંગ સાઈટના અભાવે શહેરના માર્ગો બન્યા ઉકરડા, ડોર ટુ ડોર કચરા કલેક્શન સેવા પણ બંધ ! શહેરની દરેક ગલીના આ દ્રશ્યો ખૂબ જ ચિંતાજનક છે. કારણ કે જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યાં છે. છેલ્લા 5 દિવસથી ડોર ટુ ડોર કચરા કલેક્શન સેવા પણ બંધ કરી દેવાતા નાગરિકોએ ગમે ત્યાં કચરાનો નિકાલ શરૂ કરી દીધો છે. કચરાના નિકાલ માટે સાઈટ ન હોવાને કારણે આ સમસ્યા ઉભી થઈ છે. જોકે પાલિકાએ સાઉટ ઉભી કરવાના પ્રયાસો કર્યા પણ રેસિડેન્સિયલ વિસ્તારના લોકોએ વિરોધ કરતા કામગીરી બંધ કરાઈ હતી. નાગરિકો તેમજ વિપક્ષ પણ પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યું છે. એક તરફ ગંદકીને કારણે રોગચાળો વધવાનો ભય લોકોમાં સેવાઈ રહ્યો છે.. બીજી તરફ વૈકલ્પિક અને હંગામી વ્યવસ્થા દ્વારા કચરાના નિકાલને લઈ પાલિકા વાયદાઓ કરી રહી છે. પરંતુ કાયમી ડમ્પિંગ સાઈટના અભાવે પ્રશ્ન ઉભો થયો છે કે પ્રજાને કચરાના નિકાલની કાયમી શાંતિ ક્યારે મળશે?
અમદાવાદ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભારત વિકાસ પરિષદની સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન. 1974થી શરૂ થયેલા ભારત વિકાસ પરિષદના 50 વર્ષ પૂર્ણ થતાં સાયન્સ સિટી ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત અમદાવાદના મેયર પણ ઉપસ્થિત રહ્યા. આ સુવર્ણ જયંતિ મહોત્સવમાં રાજ્યભરમાંથી ભારત વિકાસ પરિષદના કાર્યકર્તાઓ પહોંચ્યા. કાર્યક્રમમાં મુખ્યપ્રધાન આપેલા વક્તવ્ય 2025નાં વર્ષને દેશના ગૌરવ ને ઉજાગર કરવાનું વર્ષ ગણાવ્યું. સાથે જ ભારત વિકાસ પરિષદના કામની પ્રશંસા કરી.
કેન્દ્રીય પ્રધાન સી આર પાટીલે જળ શક્તિ પ્રધાન પદ સંભાળ્યા બાદ દેશભરમાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાના કામે ઝડપ પકડી છે. જેમાં સુરતનાં ગૌરવ પથ રોડ પર સી આર પાટીલના હસ્તે વધુ એક બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ. જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા બનાવવામાં આવેલો આ બોર થકી વરસાદનો ભૂગર્ભમાં ઉતારવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન સી આર પાટીલે આપેલા નિવેદનમાં જણાવ્યુ હતું કે અત્યાર સુધી જળસંચય માટે 5 લાખ બોર બનાવામાં આવ્યા છે અને મે મહિના સુધીમાં બીજા 5 લાખ બોર બનાવવાનું લક્ષાંક રાખવામાં આવ્યુ છે.
મહત્વનું છે કે, TRP અગ્નિકાંડમાં હાઇકોર્ટ દ્વારા મહાનગરપાલિકાના ત્રણ એન્જિનિયર રાજેશ મકવાણા, ગૌતમ જોશી અને આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરીને જામીન અપાાયા છે..
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યા બાદ આતિશીએ ઉપરાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. આજે તે લેફ્ટનન્ટ ગવર્નર (LG)ના સચિવાલય પહોંચી, જ્યાં તેણે પોતાનું રાજીનામું સુપરત કર્યું.
#WATCH | Delhi CM Atishi reaches Raj Niwas to submit her resignation
BJP emerged victorious in #DelhiAssemblyElection2025 yesterday after winning 48 out of 70 seats pic.twitter.com/kg5JpaFs4F
— ANI (@ANI) February 9, 2025
(Credit Source : @ANI)
દિલ્હીના સીએમ આતિશીએ પોતાનું નિવાસસ્થાન છોડી દીધું. તે રાજભવન જશે અને પોતાનું રાજીનામું સુપરત કરશે. ગઈકાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માં ભાજપે 70 માંથી 48 બેઠકો જીતીને વિજય મેળવ્યો.
દિલ્હી ભાજપે તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ મીટિંગ સાંજે 5 વાગ્યે શરૂ થશે. આ બેઠક લોકસભા મુજબ યોજાશે. જેમાં દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવા, પ્રભારી બૈજયંત પાંડા અને રાષ્ટ્રીય સંગઠન મંત્રી બીએલ સંતોષ હાજર રહેશે.
દિલ્હીની કાલકાજી બેઠક પરથી ચૂંટણી જીતનાર આતિશી આજે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે. તે સવારે 11 વાગ્યે LG સચિવાલય જઈને પોતાનું રાજીનામું સુપરત કરશે.
નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ભાજપના વિજેતા ઉમેદવાર પરવેશ વર્માએ દિલ્હીના મુંડકા સ્થિત દાદા ભૈરવ મંદિરમાં પ્રાર્થના કરી.
#WATCH | Delhi: BJP’s winning candidate from New Delhi Vidhan Sabha seat, Parvesh Verma, offers prayers at Dada Bhairav Temple in Mundka, Delhi pic.twitter.com/ejnUdmFJCv
— ANI (@ANI) February 9, 2025
(Credit Source : @ANI)
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત પર ભાજપના નેતા પ્રદીપ ભંડારીએ કહ્યું, “આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસન અને વિકાસનો વિજય છે. દેશમાં એ પણ સાબિત થયું છે કે જેણે પણ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા, તે બરબાદ થયા. જેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું તેમ, કોંગ્રેસ પક્ષ એક પરોપજીવી પક્ષ બની ગયો છે જે અખિલ ભારતીય ગઠબંધનમાં તેના અન્ય સાથી પક્ષોની રેખાઓ ટૂંકી કરવામાં વ્યસ્ત છે. આ કહેવાતા ભારત ગઠબંધન એકબીજા સાથે લડી રહ્યું છે, જેનો કોઈ સામાન્ય એજન્ડા નથી સિવાય કે દેશનો નાશ કરવો. આજે, દેશના લોકોએ, પછી ભલે તે લોકસભાની ચૂંટણી હોય, હરિયાણા, મહારાષ્ટ્ર કે હવે દિલ્હી, સાબિત કરી દીધું છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સુશાસન રાજકારણ ઇચ્છે છે.
પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે મહા કુંભ મેળા વિસ્તારમાં ભક્તોનું આગમન ચાલુ છે. અત્યાર સુધીમાં, લગભગ 41 કરોડ ભક્તોએ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી છે.
#WATCH | Prayagraj | Devotees continue to arrive at Maha Kumbh Mela Kshetra to take a holy dip in Triveni Sangam
Around 41 crore devotees have taken holy dip at #MahaKumbh2025 pic.twitter.com/Tl3lxtD3kA
— ANI (@ANI) February 9, 2025
(Credit Source : @ANI)
દિલ્હીના મુખ્યમંત્રીના નામ અંગે સસ્પેન્સ હજુ પણ ચાલુ છે. આ દરમિયાન મુખ્યમંત્રીના ચહેરા માટે પરવેશ વર્મા, સતીશ ઉપાધ્યાય, આશિષ સૂદ, જીતેન્દ્ર મહાજન, વિજેન્દ્ર ગુપ્તાના નામ આગળ ચાલી રહ્યા છે. સૂત્રો કહે છે કે આ નિર્ણય જાતીય અને પ્રાદેશિક સંતુલન અનુસાર લેવામાં આવશે.
દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ સત્તામાં પાછી આવી છે. 48 બેઠકો પર જંગી વિજય નોંધાયો છે, જ્યારે AAP 22 બેઠકો પર સમેટાઈ ગઈ છે. આ સાથે જ અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં 67 બેઠકો પર કોંગ્રેસની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ છે. 2014 થી કોંગ્રેસ 6 ચૂંટણીઓમાં ખાતું ખોલી શકી નથી.
Published On - 7:38 am, Sun, 9 February 25