
CSK vs GT Live Score IPL 2024 ની સાતમી મેચમાં મંગળવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે ટક્કર થશે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને થશે. CSK અને GT ગયા વર્ષે ફાઇનલિસ્ટ હતા. ચેન્નાઈએ જીટીને હરાવીને તેનું પાંચમું ટાઈટલ જીત્યું. અત્યાર સુધી ચાલુ સિઝનમાં ઘરઆંગણે રમનારી ટીમો જીતી છે. શું આ ટ્રેન્ડ આજે પણ ચાલુ રહેશે, દરેકની નજર તેના પર હશે. ઉપરાંત, બે નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને શુભમન ગિલ, જેમણે પ્રથમ ‘ટેસ્ટ’ પાસ કરી હતી તેમની નેતૃત્વ કુશળતાની કસોટી કરવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાત ટાઈટન્સને પણ નવા કેપ્ટન મળ્યા છે. હાર્દિક પંડ્યા એમઆઈમાં જોડાયા પછી ગીલને GTની કેપ્ટનશીપ મળી. માથાકૂટની વાત કરીએ તો ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે કુલ પાંચ વખત ટક્કર થઈ છે. CMK બે મેચ રમી હતી જ્યારે GT એ ત્રણ મેચ રમી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 63 રને હરાવ્યું, ગુજરાત ટાઈટન્સની આ સિઝનમાં પહેલી હાર, IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની સતત બીજી જીત
ગુજરાત ટાઈટન્સને આઠમો ઝટકો, રાહુલ તેવટિયા 6 રન બનાવી થયો આઉટ, મુસ્તાફિઝુર રહેમાનએ ચેન્નાઈને આઠમી સફળતા અપાવી
ગુજરાત ટાઈટન્સને સાતમો ઝટકો, રાશિદ ખાન 1 રન બનાવી થયો આઉટ, મુસ્તાફિઝુર રહેમાનએ ચેન્નાઈને સાતમી સફળતા અપાવી
ગુજરાત ટાઈટન્સને છઠ્ઠો ઝટકો, અઝમતુલ્લા ઓમરઝાઈ 11 રન બનાવી થયો આઉટ, તુષાર દેશપાંડેએ ચેન્નાઈને છઠ્ઠી સફળતા અપાવી
ગુજરાત ટાઈટન્સને પાંચમો ઝટકો, સાંઈ સુદર્શન 37 રન બનાવી થયો આઉટ, પથિરાનાએ ચેન્નાઈને પાંચમી સફળતા અપાવી
ગુજરાત ટાઈટન્સને ચોથો ઝટકો, ડેવિડ મિલર 21 રન બનાવી થયો આઉટ, તુષાર દેશપાંડેએ ચેન્નાઈને ચોથી સફળતા અપાવી
સાઈ સુદર્શન-ડેવિડ મિલરની મક્કમ બેટિંગ, હજી પણ ચેન્નાઈનું પલડું ભારી, ગુજરાત 100 રનની નજીક પહોંચ્યું, ચેન્નાઈની મજબૂત બોલિંગ
ગુજરાત ટાઈટન્સને ત્રીજો ઝટકો, વિજય શંકર માત્ર 12 રન બનાવી થયો આઉટ, ડેરીલ મિશેલે ચેન્નાઈને ત્રીજી સફળતા અપાવી
ગુજરાત ટાઈટન્સને બીજો ઝટકો, સાહા માત્ર 21 રન બનાવી થયો આઉટ, દિપક ચહરે ચેન્નાઈને બીજી સફળતા અપાવી
ગુજરાત ટાઈટન્સને પહેલો ઝટકો, કેપ્ટન શુભમન ગિલ માત્ર 8 રન બનાવી થયો આઉટ, દિપક ચહરે ચેન્નાઈને પહેલી સફળતા અપાવી
ગુજરાતની ઈનિંગ શરૂ થઈ ગઈ છે. શુભમન ગિલ અને સાહા ક્રિઝ પર પહોંચ્યા
ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને જીતવા 207 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો, શિવમ દુબેની દમદાર ફિફ્ટી
સમીર રીઝવી થયો આઉટ, મોહિત શર્માએ લીધી વિકેટ
ગુજરાત સામે શિવમ દુબે બાદ સમીર રીઝવીએ મચાવી તબાહી, રાશિદ ખાનને બે સિક્સર ફટકારી
શિવમ દુબે દમદાર ફિફ્ટી ફટકારી થયો આઉટ, રાશિદે ખાને ગુજરાતને અપાવી સફળતા, ચેન્નાઈ સુપર કિંગ્સ મોટા સ્કોર તરફ
શિવમ દુબેની 22 બોલમાં દમદાર ફિફ્ટી, ચેન્નાઈ સુપર કિંગ્સ મોટા સ્કોર તરફ
શિવમ દુબેની ફટકાબાજી શરૂ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યું છે. સ્કોર 200 ને પાર થશે એવી શક્યતા
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ, 36 બોલમાં 46 રન કરીને આઉટ થયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સને ઋતુરાજના સ્વરૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો હતો. ચેન્નાઈનો સ્કોર 13 ઓવરના અંતે 3 વિકેટના ભોગે 128 રન થયા છે.
10 ઓવરની સમાપ્તિ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સને અજિંક્ય રહાણેના સ્વરૂપમાં બીજો ઝટકો લાગ્યો છે. ચેન્નાઈના લોકલ બોય સાઈ કિશોરની બોલિંગમાં રહાણે સ્ટમ્પ આઉટ થયો હતો.
રચિન રવિન્દ્ર 46 રન બનાવી થયો આઉટ, ઋતુરાજ ગાયકવાડ-અજિંક્ય રહાણેએ બાજી સંભાળી
ચેપોકમાં ચેન્નાઈને પહેલો ઝટકો, રચિન રવિન્દ્ર 46 રન બનાવી થયો આઉટ, રાશિદ ખાને ગુજરાત ટાઈટન્સને આપ્યો પહેલો ઝટકો
ચેપોકમાં ચેન્નાઈનો સ્કોર 50 ને પાર, ઋતુરાજ-રચિનની જોરદાર ફટકાબાજી
ત્રણ ઓવર બાદ ચેન્નાઈ 25/0, ઋતુરાજ અને રચિનની મક્કમ બેટિંગ
રચિન રવીન્દ્રની ફટકાબાજી શરૂ, ઉમેશ યાદવની ઓવરમાં એક સિક્સર અને એક ફોર ફટકારી
પહેલી ઓવરમાં માત્ર 2 રન આવ્યા, ગુજરાતની મજબૂત શરૂઆત, ગુજરાતની દમદાર બોલિંગ
ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે મુકાબલો શરૂ, ખેલાડીઓ મેદાનમાં, ઋતુરાજ અને રચિન ક્રિઝ પર
ચેન્નાઈની પ્રથમ બેટિંગ, પથિરાનાને તક મળી, ટૂંક સમયમાં મેચ શરૂ થશે
રચિન રવિન્દ્ર, ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અજિંક્ય રહાણે, ડેરેલ મિશેલ, સમીર રિઝવી, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની, દીપક ચહર, તુષાર દેશપાંડે, પથિરાના, મુસ્તિફિઝુર રહેમાન.
શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, સાઈ સુદર્શન, અઝમતુલ્લા ઓમરઝાઈ, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, આર સાઈ કિશોર, ઉમેશ યાદવ, સ્પેન્સર જોન્સન.
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. તિક્ષાના સ્થાને પથિરાણાને પ્લેઈંગ 11માં તક મળી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની આજની મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. શુભમન અંતિમ મેચની પ્લેઈંગ 11 સાથે જ મેદાનમાં ઉતરશે.
ચેન્નાઈમાં ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, CSK પહેલા કરશે બેટિંગ
ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે 5 મેચ રમાઈ છે. ગુજરાત 3 જીત્યું, ચેન્નાઈ 2 જીત્યું.
ચેન્નાઈએ પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું. ગુજરાત ટાઇટન્સે પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 6 રનથી હરાવ્યું હતું.
શું ગુજરાત ટાઇટન્સ ચેન્નાઈ સુપર કિંગ્સને તેમના જ ઘરમાં હરાવી શકશે? ગુજરાત અને ચેન્નાઈ બંનેએ આ સિઝનની શરૂઆત જીત સાથે કરી છે. જો કે, આ મેચ એમ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં છે જ્યાં ચેન્નાઈને હરાવવું ખૂબ મુશ્કેલ છે.
અનુભવી MS ધોની IPLમાં 350 ચોગ્ગા પૂરા કરવાની અણી પર છે. તેમને માત્ર એક ચારની જરૂર છે.
ગયા વર્ષે IPLની ફાઇનલમાં બંને ટીમો ટકરાયા હતા. તે મેચમાં રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બોલ પર ચેન્નાઈ સુપર કિંગ્સને જીત અપાવી હતી. આવી સ્થિતિમાં ગુજરાતની ટીમ બદલાની ભાવના સાથે ઉતરશે. જોકે આ વખતે ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા નહીં હોય.
પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રવનીત સિંહ બિટ્ટુ આજે ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓ લુધિયાણાના વર્તમાન સાંસદ છે. રાહુલ ગાંધીની નજીકના ગણાતા રવનીત સિંહ બિટ્ટુને પંજાબ કોંગ્રેસનો મોટો ચહેરો માનવામાં આવે છે.
અંબાજી ગ્રામ પંચાયતે વેરા બાકીદારો સામે લાલ આંખ કરી છે. વેરાના બાકીદારોની પ્રોપર્ટીને સીલ કરવાની શરૂઆત કરી છે. આજે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા બે ધર્મશાળાઓને સીલ કરવામાં આવી છે. અંબાજી ગ્રામ પંચાયતે કુલ 6 કરોડના વેરા બાકી છે તેવાની સામે કાર્યવાહી શરૂ કરી છે. ધર્મશાળાનાં બાકી વેરા રકમ 11 લાખની છે. બાકી મિલ્કતોને આગામી 10 દિવસમાં સીલ મારવામાં આવશે. મિલ્કતોના પાણી, ગટર અને વીજળી જોડાણ પણ કાપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બસીરહાટના ભાજપના ઉમેદવાર રેખા પાત્રા અને સંદેશખાલી પીડિતોમાંથી એક સાથે ફોન પર વાત કરી હતી. પીએમે તેમની સાથે તેમની પ્રચાર તૈયારીઓ, લોકોમાં ભાજપને સમર્થન અને અન્ય મુદ્દાઓ વિશે વાત કરી. પીએમએ તેમને શક્તિ સ્વરૂપા ગણાવ્યા. આ સાથે જ રેખા પાત્રાએ સંદેશખાલીમાં મહિલાઓને પડતી મુશ્કેલીઓ વિશે પીએમ મોદીને જાણકારી આપી હતી.
સાબરકાંઠામાં ભાજપે લોકસભાની ચૂંટણી માટે ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી. ત્યાર બાદ ઠાકોર અને ડામોરના વિવાદ વચ્ચે ભીખાજીને પડતા મુકીને ભાજપે શોભનાબા બારૈયાને ઉમેદવાર બનાવ્યા. આ ઘટનાથી ભીખાજીના ટેકેદાર નારાજ થયા અને ટોળા સ્વરૂપે મોડાસામાં આવેલ ભાજપના કાર્યાલયે પહોચ્યાં હતા. જ્યા તેમણે ભાજપમાંથી રાજીનામા ઘરતા પત્રો રજૂ કર્યા હતા.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના શાંગલામાં ચીની નાગરિકોના કાફલાને નિશાન બનાવીને આત્મઘાતી હુમલાખોરે કરેલા બોમ્બ વિસ્ફોટમાં પાંચ ચીની નાગરિકોના મોત થયા છે.
દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઈકોર્ટ બુધવારે સુનાવણી કરશે. કેજરીવાલ 28 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં છે.
ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું છે કે તેમની હાર નિશ્ચિત જોઈને INDIA ગઠબંધનના નેતાઓ ઝેરી ભાષા બોલે છે. આ પહેલા પણ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ઘણા નિંદાત્મક નિવેદનો આપવામાં આવ્યા હતા. એવું લાગે છે કે આ પ્રેમની દુકાનમાં કોઈ રાજકીય હુકમનામુંનો ભાગ છે. કર્ણાટકના મંત્રીએ નિવેદન આપ્યું છે કે જે વિદ્યાર્થીઓએ મોદીના નારા લગાવ્યા તેમને થપ્પડ મારવી જોઈએ.
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું છે કે જેમ હેમંત સોરેને પણ રાજીનામું આપ્યું હતું. એ જ રીતે, અરવિંદ કેજરીવાલ પરના આરોપોને ધ્યાનમાં રાખીને, ત્યાંથી (જેલ) સરકાર ચલાવવી યોગ્ય નથી. તેમણે તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. ભાજપે તેમના રાજીનામાની માંગ કરી છે અને હું પણ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા વતી માંગ કરું છું કે અરવિંદ કેજરીવાલે રાજીનામું આપવું જોઈએ.
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા તમામ ઉમેદવારને ઈનામ મળ્યું છે આ માટે પોરબંદરથી અર્જુન મોઢવાડિયા ઉમેદવાર, માણાવદરથી અરવિંદ લાડાણી ઉમેદવાર, ખંભાતથી ચિરાગ પટેલને ટિકિટ, વિજાપુરથી સી.જે.ચાવડાને ટિકિટ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉમેદવાર તરીકે નક્કી કરાયા છે.
નવસારી બેઠકે ગત ચૂંટણીમાં ઇતિહાસ રચ્યો હતો. નવસારીની બેઠક ગુજરાત જ નહીં પરંતુ દેશમાં સૌથી વધુ લીડ સાથે જીતનારી બેઠક બની ગઇ હતી, હવે આ વખતે સી આર પાટીલે ગુજરાતની તમામ બેઠક પર પાંચ લાખની લીડથી જીતવાનું મિશન ઉપાડ્યું છે.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ કંઈક નવું કરવા માટે જાણીતા રાજકારણી બની ચૂક્યા છે. કોંગ્રેસમાંથી કાર્યકરો, હોદ્દેદારો અને ધારાસભ્યોને વીણી વીણીને ભારતીય જનતા પાર્ટીમાં સંમિલિત કરી દીધા છે. નવસારી લોકસભામાં ત્રીજી વખત ઉમેદવાર સી આર પટેલ ગુજરાતની તમામ બેઠકો જીતવા માટે મેદાને પડ્યા છે. નવસારી બેઠક પર સી આર પાટીલને જીતાડવા ભાજપના નાના કાર્યકરોથી માંડીને ધારાસભ્યોને સંગઠનના હોદ્દેદારો કામે લાગ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાની માંગ સાથે ભાજપે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પંજાબમાં ભાજપ એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે. પંજાબ બીજેપી અધ્યક્ષ સુનીલ જાખરે આ જાણકારી આપી છે. ભાજપ અકાલી દળ સાથે ગઠબંધન નહીં કરે.
ગુજરાતના વૈભવશાળી સાંસ્કૃતિક વારસામાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. ગુજરાતની ઓળખ એટલે ગરબો અને હવે આ ગરબો ગ્લબોલ બન્યો છે.યુનેસ્કોએ ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું પ્રમાણપત્ર અર્પણ કર્યું છે. મહત્વનું છે કે યુનેસ્કોએ 6 ડિસેમ્બર 2023ના રોજ ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકેનું સન્માન આપ્યું હતું.હવે યુનેસ્કોએ ગુજરાતને વિધિવત રીતે પ્રમાણપત્ર અર્પણ કર્યું છે.ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ ૧૫ સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ ની યાદીમાં સમાવિષ્ટ થઈ ચૂકી છે.
આ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ બાદ પેરિસ ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ “એક શામ ગરબા કે નામ”ની એક ઝલક.. pic.twitter.com/vntJMVwe83
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) March 26, 2024
દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે કેજરીવાલ હોસ્પિટલમાં ફ્રી ટેસ્ટ ન કરાવી શકવાથી નારાજ છે. ઘણી હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સમાં દવાઓની અછતને કારણે કેજરીવાલ ચિંતિત છે. દવાઓની અછત પૂરી થશે. લોકોને ફ્રી ટેસ્ટ મળવાનું ચાલુ રહેશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ED કસ્ટડીમાંથી વધુ એક સૂચના આપી છે. આ વખતે સ્વાસ્થ્ય મંત્રાલયને સંબંધિત સૂચનાઓ આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ સવારે 10 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે.
ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ પૂર્વાંચલના કુખ્યાત માફિયા મુખ્તાર અંસારીની મોડી રાત્રે અચાનક તબિયત બગડી હતી. મુખ્તારને ગંભીર હાલતમાં રાની દુર્ગાવતી મેડિકલ કોલેજના આઈસીયુમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. મેડિકલ કોલેજમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. મુખ્તાર અંસારીની તબિયત અચાનક બગડતાં જેલ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. માહિતી મળતાં બાંદા ડીએમ મંડલ જેલ પહોંચ્યા.
ઉનાળાની શરુઆતે જ પાણીની પારાયણ કેટલાક વિસ્તારમાં શરુ થઈ ગઇ છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં સિંચાઇનું પાણી મળી રહ્યુ નથી એવી ફરિયાદ ઉઠી છે. ખેડૂતોએ સિંચાઇનું પાણી નહીં મળવાને લઈ ભાભર વિસ્તારના ખેડૂતો રોષ વર્તાવી રહ્યા છે. આ અંગે નર્મદા કેનાલના અધિકારીઓને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે. વિસ્તારના ખેડૂતોએ લોકસભાની ચૂંટણી સામે હોઇ આ દરમિયાન હવે પાણી નહીં તો વોટ નહીંની વાત કરી છે. ભાભર, નવા કારેલા અને વેડા ગામના ખેડૂતો માટે હાલમાં કપરી સ્થિતિ સર્જાઇ ગઇ છે. આ વિસ્તારના ખેડૂતોનો પાક હવે ખેતરમાં સુકાઇ રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. આમ ઝડપથી ખેતરમાં પાણી મળે એ માટે રજૂઆતો કરવામાં આવી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) આજે વડાપ્રધાનના નિવાસસ્થાને ઘેરાવ કરશે.
મુંબઈમાં હોળીના દિવસે એક દુર્ઘટના થઈ છે. માહિમ બીચ પર હોળી રમી રહેલા 5 યુવક અરબ સાગરમાં ડુબી ગયા. રેસ્ક્યુ ટીમે સ્થળ પર પહોંચીને 4 યુવકને બહાર કાઢ્યા છે. તેમાંથી 1નું મોત થયું છે. જ્યારે એક અન્ય ગંભીર રીતે ઘાયલ છે, તેને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એક યુવક હજુ પણ ગુમ છે, જેની શોધખોળ ચાલી રહી છે. હાલમાં ઘટનાસ્થળ પર પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ હાજર છે. મોડી સાંજ સુધી ડુબી ગયેલા યુવકની જાણકારી મળી શકી નથી. ઘટનાથી પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. ઘટનાસ્થળ પર લોકોની ભીડ જમા થવા લાગી છે. પોલીસે મૃતકની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી છે.
ઉત્તર પ્રદેશની જેલમાં બંધ મુખ્તાર અંસારીની તબિયત લથડી છે. આ પછી તેને જેલમાંથી બાંદા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ પછી ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની વોશિંગ્ટનની મુલાકાત રદ કરી છે. વાસ્તવમાં, અમેરિકાએ પ્રસ્તાવ સામે વીટોનો ઉપયોગ કર્યો ન હતો. નેતન્યાહુએ આના પર અમેરિકા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.
Published On - 6:34 am, Tue, 26 March 24