ફિલ્મ રઈસના પ્રમોશન દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતુ, શાહરૂખ ખાન પર લાગેલા આરોપો પર Gujarat High Court કહ્યું

23 જાન્યુઆરી 2017ના રોજ શાહરૂખ ખાનની ફિલ્મ રઈસનું પ્રમોશન જોરશોરથી ચાલી રહ્યું હતું. શાહરૂખ ખાન મુંબઈથી દિલ્હી જઈ રહેલી અગસ્ટ ક્રાંતિ એક્સપ્રેસમાં ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યો હતો.

ફિલ્મ રઈસના પ્રમોશન દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતુ, શાહરૂખ ખાન પર લાગેલા આરોપો પર Gujarat High Court કહ્યું
'રઈસ'ના પ્રમોશન દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતુImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 10:16 AM

Shahrukh Khan : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shahrukh Khan) આ દિવસોમાં ફરી કોર્ટના ચક્કર લગાવી રહ્યો છે. ફિલ્મ ‘રઈસ’ (Raees)દરમિયાન અકસ્માતમાં શાહરૂખ ખાન વિરુદ્ધની અરજીને રદ કરવાની માગના મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ ‘રઈસ’ના પ્રમોશન (Raees Film Promotion Accident) દરમિયાન એક અકસ્માત થયો હતો જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. વડોદરા રેલવે સ્ટેશન પર શૂટિંગ અને પ્રમોશન દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું. વ્યક્તિના મૃત્યુ પછી, આ ફરિયાદ તેના પરિવારના સભ્યો શાહરૂખ ખાન (SRK) વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી.

શું હતો સમગ્ર મામલો

23 જાન્યુઆરી 2017ના રોજ શાહરૂખ ખાનની ફિલ્મ રઈસનું પ્રમોશન જોરશોરથી ચાલી રહ્યું હતું. શાહરૂખ ખાન મુંબઈથી દિલ્હી જઈ રહેલી અગસ્ટ ક્રાંતિ એક્સપ્રેસમાં ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, આ ટ્રેનના કોચમાં શાહરૂખ ખાન માટે કોઈ રિઝર્વેશન ન હતુ. બુકિંગ ન હોવા છતાં શાહરૂખે કોચમાં પ્રમોશન કર્યું, SRK પર આવા આરોપો લાગ્યા. તે દરમિયાન જ્યારે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર ઉભી રહી ત્યારે શાહરૂખને જોતા જ ભારે ભીડ ઉમટી પડી હતી. તે સમયે શાહરૂખ ખાને પણ પોતાની ફિલ્મના પ્રમોશન માટે લોકોમાં ટી-શર્ટ અને બોલ ફેંક્યા હતા.

કેવી રીતે થયો અકસ્માત

જ્યારે ટી-શર્ટ અને બોલ ફેંકવામાં આવ્યા ત્યારે લોકો ગભરાઈને આવ્યા હતા અને તરત જ વાતાવરણ વચ્ચે અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો. આ લાઠીચાર્જમાં 1 વ્યક્તિનું મોત થયું છે. આ કેસમાં મૃતકના પરિવારજનોએ વડોદરાની નીચલી કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. આવી સ્થિતિમાં હવે શાહરૂખ ખાને કોર્ટના ચક્કર લગાવવા પડશે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં ગુરુવારે સુનાવણી થઈ હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કોર્ટે શું કહ્યું

શાહરૂખના વકીલે કોર્ટ સમક્ષ કહ્યું કે, શાહરૂખ સામે કોઈ ગુનો નોંધાયો નથી. મૃત્યુ પામનાર વ્યક્તિને હૃદયની બીમારી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. આ પછી હાઈકોર્ટે મૃતકના અરજદારના વકીલને કહ્યું કે, જો પીડિતા અરજદારને ઈચ્છે છે અને જો તે સંમત થાય તો શાહરૂખ ખાનને માફી માંગવા કહેશે. આ પછી કોર્ટે આગામી સુનાવણીની તારીખ નક્કી કરી છે. હવે આગામી સુનાવણી 24 ફેબ્રુઆરીએ થશે.

આ પણ વાંચો : Viral Video: કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોએ ત્રિરંગા પર મંત્રીના નિવેદનને લઈને ખોલ્યો મોરચો, આખી રાત વિધાનસભામાં પ્રદર્શન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">