Gujarat corona Update : રાજ્યમાં કોરોનાના નવા કેસ ઘટી રહ્યા છે અને દૈનિક મૃત્યુનો આંકડો શૂન્ય અને 1 પર આવી ગયો છે, અને સાથે એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં 2 દિવસ મૃત્યઆંક શૂન્ય નોંધાયા બાદ આજે 9 જુલાઈના રોજ કરોનાના કારણે એક પણ દર્દીની મૃત્યુ થયું છે. તો સાથે એક્ટીવ કેસ પણ ઘટીને 1356 થયા છે.
કોરોના નવા 56 કેસ, એક દર્દીનું મૃત્યુ
રાજ્યમાં આજે 9 જુલાઈના રોજ કોરોનાના નવા 56 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,24,147 થઇ છે અને બે દિવસથી 10,072 પર સ્થિર થયેલો મૃત્યુઆંક એક આંકડો વધીને 10,073 થયો છે.
અમદાવાદમાં 12, સુરતમાં 10 નવા કેસ
રાજ્યમાં આજે 9 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 12, સુરતમાં 10, વડોદરામાં 5, રાજકોટમાં 4, ભાવનગર અને ગાંધીનગરમાં 2-2 તેમજ જામનગર અને જુનાગઢ શહેરમાં કોરોના વાયરસનો 1-1 નવો કેસ નોંધાયો છે, અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે. (Gujarat Corona Update)
196 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 1356 થયા
રાજ્યમાં આજે 9 જુલાઈના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 196 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,12,718 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.61 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 1356 થયા છે, જેમાં 8 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 1348 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. (Gujarat Corona Update)
આજે સતત ત્રીજા દિવસે રસીકરણ બંધ રહ્યું
રાજ્યમાં આજે 9 જુલાઈના રોજ સતત ત્રીજા દિવસે કરોના રસીકરણ બંધ રહ્યું છે. છેલ્લે 6 જુલાઈના રોજ નોંધાયેલા રસીકરણના આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,73,25,191 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.
આ પણ વાંચો : MUMBAI : BMC એ 16 હજાર નાગરીકો પાસેથી વસુલ્યો 33 લાખ રૂપિયાનો દંડ, જાણો શું છે કારણ