AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Corona Update : ગુજરાતમાં 8 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો, રીકવરી રેટ વધીને 97.53 ટકા થયો

Gujarat Corona Update : રાજ્યમાં આજે 13 જૂને 1063 અને અત્યાર સુધીમાં કુલ 8 લાખથી વધુ 8,00,075 લોકો કોરોનાથી મુક્ત થી સ્વસ્થ થયા છે.

Gujarat Corona Update : ગુજરાતમાં 8 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો, રીકવરી રેટ વધીને 97.53 ટકા થયો
ગુજરાતમાં 8 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો
| Updated on: Jun 13, 2021 | 8:15 PM
Share

Gujarat Corona Update : કોરોના મહામારી વિરૂદ્ધ લડાઈમાં ગુજરાતે બે કરોડ ડોઝના રસીકરણ સાથે બીજી એક સિદ્ધી હાંસલ કરી છે. રાજ્યમાં આજે 13 જૂને 1063 અને અત્યાર સુધીમાં કુલ 8 લાખથી વધુ 8,00,075 લોકો કોરોનાથી મુક્ત થઇ  સ્વસ્થ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખથી વધુ લોકો કોરોનાને હરાવી ચુક્યા છે.

રાજ્યમાં 8 લાખ દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 13 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 1063 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,00,075 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 97.53 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 10,254 થયા છે, જેમાં 253 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 9996 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.(Gujarat Corona Update)

455 નવા કેસ, 6 મૃત્યુ રાજ્યમાં આજે 13 જૂનના રોજ કોરોનાના નવા 455 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 6 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,20,321 થઇ છે અને મૃત્યુઆંક 9997 થયો છે.

આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો અમદાવાદ શહેરમાં 2, સુરત શહેરમાં 1, વડોદરા શહેરમાં 1, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1, અને સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.

સુરતમાં 71, અમદાવાદમાં 54 નવા કેસ રાજ્યમાં આજે 13 જૂનના રોજ સુરત શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો સુરતમાં 71, અમદાવાદમાં 54, વડોદરામાં 41, રાજકોટમાં 22, જુનાગઢમાં 15, જામનગરમાં 9, ગાંધીનગરમાં 4 કેસ નોધાયા છે, જયારે ભાવનગર કોરોનાનો એક પણ નવો કેસ નોધાયો નથી. (Gujarat Corona Update)

આજે 2,34,501 લાખ લોકોનું રસીકરણ થયું રાજ્યના રસીકરણ અભિયાનમાં આજે 13 જૂનના રોજ રસીકરણ અભિયાનમાં 2,34,501 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આજના દિવસે થયેલા રસીકરણની વિગત જોઈએ તો

1) 993 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2) 1361 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 3) 45 થી વધુ ઉમરના 31,685 લોકોને પ્રથમ ડોઝ, 4) 45 થી વધુ ઉમરના 16,506 લોકોને બીજો ડોઝ, 5) 18-45 વર્ષ સુધીના 1,73,344 લોકોને પ્રથમ ડોઝ, 6) 18-45 વર્ષ સુધીના 10,612 લોકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">