AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી

ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી છે.

Gir Somnath : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી
Amit Shah Prayer Somnath Temple
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2023 | 11:09 PM
Share

ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી છે. જેની બાદ તેવો  સોમનાથ મંદિર ટ્રસ્ટની મોબાઈલ એપ લોન્ચ કરી વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે.જે બાદ અમિત શાહ સાંજે 5 વાગ્યે ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.

આ પૂર્વે આજે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જૂનાગઢ APMCના કિસાન ભવનના લોકાર્પણ પ્રસંગે કહ્યું હતું કે, “ભારત સરકાર જે બજેટ મોકલે છે તે તમારા સુધી પહોંચતું નથી, કારણ કે કોઓપરેટીવ માળખું બરાબર નથી..”જો કોઓપરેટીવ માળખુ બરોબર થઈ જાય તો તમામ યોજના તમારા સુધી પહોંચવાની ચાલુ થઈ જાય.. આ માટે સરકાર આવતા મહિને કોઓપરેટિવ સોસાયટીની શરૂઆત કરવા જઈ રહી છે. જેમાં તમામ સેવા સહકારી મંડળી, ડેરી અને મત્સ્ય ઉત્પાદનની વ્યવસ્થા એક જગ્યાએ કરાશે.

કોઓપરેટિવ સોસાયટી એક્સપોર્ટ હાઉસ તરીકેની સેવાઓ આપશે અને એક્સપોર્ટનો નફો ખેડૂતના બેંક એકાઉન્ટમાં સીધો ટ્રાન્સફર કરવાની વ્યવસ્થા કરાશે..જેથી ખેડૂતોની આવક બમણી નહીં અનેક ગણી થશે.. આ કોઓપરેટીવ સોસાયટીમાં ભંડારાની યોજના, સ્ટોરેજની યોજના સહિત 20 પ્રકારના કામ કરવાની વ્યવસ્થા કરાશે.

તેમણે કહ્યું કે, તે માટે તેઓ ડેરી, વિવિધ બેન્કો, સહકારી મંડળીઓ અને એ.પી.એમ.સી.ના અગ્રણીઓની બેઠક બોલાવવાના છે અને તે દ્વારા સહકારી માળખું મજબૂત કરી ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવાનો મુખ્ય હેતુ છે.

આ ઉપરાંત આજે  ગાંધીનગર જિલ્લામાં  આજના દિવસમાં રૂપિયા ૮ કરોડ ૩૦ લાખથી વઘુના વિવિઘ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરવામાં આવ્યું છે. જેમાં રૂપિયા ૭ કરોડથી વઘુના ૪૯ કામોનું કેન્દ્રીય મંત્રી શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રુપિયા ૧ કરોડ ૨૩ લાખના ખર્ચે તૈયાર થનાર જનસુખાકારીના ૩ વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું.

ઉલ્લેખનીય  છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈ કાલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક આહાર કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતુ. આ નિઃશુલ્ક આહાર કેન્દ્રમાં 600 થી 700 લોકો ભોજન લઈ શકશે. જેમાં નિઃશુલ્ક આહાર કેન્દ્ર પર સવારે 11 થી બપોરે 1 અને સાંજે 6 થી 8 દરમિયાન ભોજન મળશે. જેમાં દર્દીઓ સાથે આવતા સબંધીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી.

આ પણ વાંચો : Gujarat High Court Recruitment: ગુજરાત હાઈકોર્ટમાં ખાલી જગ્યાઓ માટે ભરતી, 1 લાખથી વધુ હશે પગાર, જાણો સરકારી ભરતીની સંપૂર્ણ વિગતો

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">