AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દુષ્કર્મ અને જાતીય સતામણીના કેસમાં ઝડપી તપાસ અને કડક સજા પર ભાર મૂક્યો

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) દીવમાં(Diu) યોજાયેલી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 25મી બેઠકમાં જણાવ્યું હતું કે પોલીસ વિભાગના ઉચ્ચ સ્તરના મહિલા અધિકારીઓને જો શક્ય હોય તો દુષ્કર્મ અને જાતીય સતામણીના કેસ તમામ કેસોની તપાસ પર દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દુષ્કર્મ અને જાતીય સતામણીના કેસમાં ઝડપી તપાસ અને કડક સજા પર ભાર મૂક્યો
Union Home Minister Amit Shah In 25th Western Zonal Council meeting in Diu
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2022 | 9:00 PM
Share

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે(Amit Shah) શનિવારે મહિલાઓ પર દુષ્કર્મ (Rape)  અને જાતીય હુમલાના કેસોની ઝડપી તપાસ અને સમયબદ્ધ રીતે અપરાધીઓ સામે કડક સજાની કાર્યવાહી પર ભાર મૂક્યો હતો. દીવમાં(Diu) યોજાયેલી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 25મી બેઠકમાં તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ વિભાગના ઉચ્ચ સ્તરના મહિલા અધિકારીઓને જો શક્ય હોય તો આવા તમામ કેસોની તપાસ પર દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં બેંકિંગ નેટવર્કના વિસ્તરણનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ પોસ્ટ વિભાગ વધારાના ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક લાઈવ ટચ પોઈન્ટ શરૂ કરશે. જે નિયમિત પોસ્ટલ સેવાઓ ઉપરાંત બેંકિંગ સુવિધાઓ પ્રદાન કરશે. કો-ઓપરેટિવ બેંકો અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક સહિતની અન્ય બેંકોએ ખાતરી કરવી જોઈએ કે પશ્ચિમ ક્ષેત્રના દરેક બેંક વગરના ગામને આવતા વર્ષની અંદર 5 કિમીની અંદર બેંકિંગ સુવિધાઓ પૂરી પાડવામાં આવે .

તેમણે કહ્યું કે રાજ્યોએ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પ્લેટફોર્મ પર કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજનાઓ સિવાયના તમામ રાજ્યોની યોજનાઓનો સમાવેશ કરવો જોઈએ. ગૃહમંત્રીએ કહ્યું કે પશ્ચિમ ક્ષેત્રના તમામ ગામડાઓને એક વર્ષમાં મોબાઈલ કનેક્ટિવિટી પૂરી પાડવાની દિશામાં કામ કરવું જોઈએ. સામાન્ય સેવા કેન્દ્રો દ્વારા રોકડ જમા કરાવવાની સુવિધા સમયમર્યાદામાં લંબાવવી જોઈએ અને તમામ બેંકોને પ્લેટફોર્મ સાથે જોડવી જોઈએ અને તેની ત્રિમાસિક સમીક્ષા થવી જોઈએ એમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવને પૂરા પાડવામાં આવતા પાણીના દરનો મુદ્દો પણ કાઉન્સિલની બેઠકમાં ઉકેલાયો હતો એમ અધિકારીએ જણાવ્યું હતું.પ્રાદેશિક પરિષદો એક અથવા વધુ રાજ્યોને અસર કરતા મુદ્દાઓ અથવા કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના મુદ્દાઓ પર માળખાગત રીતે ચર્ચા માટે એક મંચ પ્રદાન કરે છે.

છેલ્લા 8 વર્ષમાં વિવિધ ઝોનલ કાઉન્સિલની 18 બેઠકો અને તેમની સ્થાયી સમિતિઓની 24 બેઠકો થઈ છે, જ્યારે છેલ્લા 8 વર્ષના સમાન સમયગાળામાં અનુક્રમે માત્ર 6 અને 8 બેઠકો થઈ છે. 25મી વેસ્ટર્ન રિજનલ કાઉન્સિલમાં ચર્ચા કરવામાં આવેલા 30 મુદ્દાઓમાંથી, 27 ઉકેલાઈ ગયા છે અને માત્ર ત્રણ વધુ ચર્ચા માટે બાકી છે.તે સહકારી સંઘવાદની ભાવનામાં રાષ્ટ્રના સર્વાંગી વિકાસ પ્રત્યે સરકારનો સંકલ્પ અને પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમ અધિકારીએ જણાવ્યું હતું.

પ્રાદેશિક પરિષદો સામાજિક અને આર્થિક વિકાસના મહત્વના મુદ્દાઓ પર રાજ્યો વચ્ચે ચર્ચા અને મંતવ્યોના આદાનપ્રદાન દ્વારા સંકલિત અભિગમ વિકસાવવામાં મદદ કરે છે, અધિકારીએ ઉમેર્યું હતું કે, ઝોનલ કાઉન્સિલની બેઠકોનો ઉપયોગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા તેમની શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરવા માટે થવો જોઈએ.

g clip-path="url(#clip0_868_265)">