AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath : મહા શિવરાત્રીમાં દેવાધિદેવને ઘેર બેઠા નજીવા દરે અર્પણ થશે બીલીપત્ર, જાણો સમગ્ર વિગતો

શિવરાત્રીના દિવસે જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને બિલ્વપત્ર ચડાવવાનું પુણ્ય હવે પ્રત્યેક ભક્તને મળશે. બિલ્વ પૂજામાં ભાગ લેવા માટે ભકતો સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ somnath.org પર જઈને પૂજા નોંધાવી શકશે.

Gir Somnath : મહા શિવરાત્રીમાં દેવાધિદેવને ઘેર બેઠા નજીવા દરે અર્પણ થશે બીલીપત્ર, જાણો સમગ્ર વિગતો
સોમનાથમાં શિવરાત્રિ મહોત્સવ
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2023 | 8:21 AM
Share

દેવાધિદેવ મહાદેવની વિશેષ પૂજા અર્ચના માટેનો મહા શિવરાત્રીનો અવસર હવે નજીકમાં જ છે. ત્યારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથના દર્શન કરવા માટે ભક્તજનો આતુર હોય છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટે ભક્તજનો માટે બ્લિવપૂજા સેવા લોન્ચ કરી છે. જેમાં ફક્ત 21 રૂપિયાના ટોકન દરે કોઈ પણ ભાવિક ભક્ત તેમના નામ સાથે સોમનાથ ભગવાનના ચરણોમાં બિલ્વપત્ર અર્પણ કરી શકશે. શિવરાત્રીની પૂજા તારીખ 18  ફ્રેબુઆરીના રોજ કરવામાં આવશે તેમજ શિવરાત્રિના પર્વમાં  ભોળાનાથની વિશેષ પૂજા પણ કરવામાં આવશે.

રાજ્ય સરકારના વન પર્યાવરણ અને પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, શિવ દરબાર આશ્રમના ઉષા મૈયા, મહામંડલેશ્વર રમજુબાપુ સોમનાથ ટ્રસ્ટના મહાનુભવો દ્વારા આ પૂજા સેવા સોમનાથ પરિસર ખાતેથી લોન્ચ કરવામાં આવી હતી.  નોંધનીય છે કે શાસ્ત્રો અને પુરાણોમાં કહેવાયું ઠે કે શિવજી એવા દેવ છે જે જલદી રીઝી જાય છે અને તેમને ભક્તિભાવ પૂર્વક બીલીપત્ર અર્પણ કરવાથી મનને શાંતિ મળે છે.

त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम। त्रिजन्मपाप संहारं एक बिल्वं शिवार्पणम् ॥

શાસ્ત્રોમાં કહેવાયું છે કે શિવજીને બીલીપત્ર અર્પણ કરવાથી ગત ત્રણ જન્મોના પાપો નાશ પામે છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને બીલીપત્ર પૂજન કરવાના પુણ્યની સાથે સોમનાથ ટ્રસ્ટ લોકોના દીધેલા એડ્રેસ પર બિલ્વ પૂજાના બીલીપત્ર પ્રસાદ સ્વરૂપે પણ મોકલશે.

સોમનાથ મંદિરની સત્તાવાર વેવબાઇટ ઉપર નોંધાશે પૂજા

શિવરાત્રીના દિવસે જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને બિલ્વપત્ર ચડાવવાનું પુણ્ય હવે પ્રત્યેક ભક્તને મળશે. બિલ્વ પૂજામાં ભાગ લેવા માટે ભકતો સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ somnath.org પર જઈને પૂજા નોંધાવી શકશે. શિવરાત્રિ માટે સોમનાથ ટ્રસ્ટ મંદિર દ્વારા બિલ્વપૂજા સેવા લોન્ચ કરવામાં આવી છે. સેવા નોંધાવ્યા બાદ સોમનાથ ટ્રસ્ટ ભક્તોને આપેલા એડ્રેસે ઉપર પ્રસાદ સ્વરૂપે બિલ્વ પૂજાના બીલીપત્ર, રૂદ્રાક્ષ અને ભસ્મ મોકલશે. આ સેવા માત્ર શિવરાત્રિના પાવન અવસર માટે જ શરૂ કરવામાં આવી છે ત્યાર બાદ આ સેવા બંધ કરી દેવામાં આવશે.  સોમનાથ ટ્રસ્ટે શિવરાત્રીના પાવન પર્વ પર ભક્તો માટે “બિલ્વપૂજા સેવા” લોન્ચ કરી છે. જેમાં માત્ર રૂપિયા 21 ઓનલાઈન ભરીને કોઈપણ ભક્ત પોતાના નામ તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરી શકશે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">