મહા શિવરાત્રિ 2022 – મહા શિવરાત્રિ પર ભગવાન શિવને ઘરાવો તેમનો પ્રિય ભોગ ઠંડાઇ અને મેળવો તેમની કૃપા

ભગવાન શિવને ઠંડાઈનો ભોગ ખૂબ જ પ્રિય છે. આ માટે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ભગવાન શિવને ઠંડાઈનો ભોગ ધરાવવામાં આવે છે.

મહા શિવરાત્રિ 2022 - મહા શિવરાત્રિ પર ભગવાન શિવને ઘરાવો તેમનો પ્રિય ભોગ ઠંડાઇ અને મેળવો તેમની કૃપા
Maha Shivaratri 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 1:34 PM
Maha Shivaratri 2022: ભગવાન શિવને ઠંડાઈનો ભોગ ખૂબ જ પ્રિય છે. આ માટે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ભગવાન શિવને ઠંડાઈનો ભોગ ધરાવવામાં આવે છે. શિવ મંદિરોમાં પણ ભક્તોને ઠંડાઈનું વિતરણ કરવામાં આવે છે. તમે ઘરે પણ સરળતાથી ઠંડાઈ બનાવીને ભગવાન શિવને ભોગ લગાવી શકો છો. આવતીકાલે સમગ્ર દેશમાં મહાશિવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

આ પવિત્ર દિવસે મહાદેવ અને પાર્વતીદેવીના લગ્નના પવન દિવસે ભક્તો વહેલી સવારથી શિવ મંદિરોમાં જઈને પૂજા- અર્ચના કરે છે. દરેક શિવ મંદિરોમાં ઠંડાઈનો ભોગ લગાવ્યા બાદ ભક્તોને તેનું વિતરણ કરવામાં આવે છે. ઠંડાઈ ભાંગ અને ભાંગ વિના પણ બનાવી શકાય છે. ઠંડાઈના પ્રસાદ વિના મહાશિવરાત્રીનું પર્વ જ અધૂરું છે. અમે તમને આજે ઠંડાઈ ભાંગ વિના ઘરે કેવી રીતે બનાવવી તેની રીત જણાવીશું.

ઠંડાઈ બનાવવા માટેની સામગ્રી –

જે માટે 1 લિટર દૂધ, 1 કપ બદામ, 6 ચમચી ખસખસ, 1 કપ વરિયાળી, 2 ચમચી કાળા મરી, 5 લીલી એલચી, 4 ચમચી તરબૂચના બીજ, 4 ચમચી કાકડીના બીજ, 2 ચમચી ગુલાબના પાંદડા, ખાંડ સ્વાદ મુજબ.

આવી રીતે તૈયાર કરો –

સૌપ્રથમ એક બાઉલમાં બદામ, તરબૂચ અને કાકડીના બીજ, ખસખસ, વરિયાળી, ગુલાબના પાન, કાળા મરી અને એલચીને આખી રાત પાણીમાં પલાળી રાખો. યાદ રાહ કે બદામને અલગથી પલાળવાની છે. સવારે બદામના ફોતરાં કાઢી લો અને બાકીની સામગ્રીને પાણી સાથે મિક્સ કરી લીધા બાદ એકદમ ઝીણી પેસ્ટ બનાવી લો. હવે દૂધને ઉકાળો અને ઠંડુ થવા દો. ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર ખાંડ નાંખો અને જો તમને પસંદ પડે તો કેસર પણ નાંખી શકો છો.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

હવે ગ્લાસમાં પાણી લો અને મલમલનું કપડું લો. પેસ્ટને કપડામાં નાખો અને પાણી ઉમેરીને પેસ્ટને ગાળી લો. ત્યાર બાદ તેને થોડી વાર માટે ફ્રીજમાં રાખો. જો તમને પસંદ હોય તો ડ્રાયફ્રુટ્સને બારીક કાપીને ઠંડાઈ પર પણ ગાર્નિશ કરી શકો છો. ચિલ્ડ થયા બાદ તેમાં બરફ ઉમેરો. આ પછી મહાદેવને ભોગ લગાવો અને બધાને પ્રસાદ તરીકે વહેંચો.

મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર ભાંગ વગરની અલગથી ઠંડાઈ બનાવવાની આ સરળ રેસીપી છે.

ઠંડાઈનું મહત્વ અને ફાયદા જાણો –

જ્યારે મહાદેવે સમુદ્ર મંથન દરમિયાન વિષપાન કર્યું હતું, ત્યારે તેમના શરીરમાં ભયંકર અગ્નિ ઉત્પન્ન થઈ હતી.  ત્યારે તેમને ઠંડી વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. જેનાથી તેમના શરીરને ઠંડક મળી હતી. ત્યારથી, તેમને ભક્તો દ્વારા ઠંડી વસ્તુઓનો ભોગ લગાવવામાં આવે છે. આથી મહાદેવને ઠંડાઈનો પ્રસાદ ચઢાવવામાં આવે છે.

આ ઉપરાંત મહાશિવરાત્રિના તહેવારના થોડા સમય બાદ ઉનાળાની ઋતુ શરૂ થાય છે. ઉનાળાની ઋતુમાં ઠંડાઈ ખૂબ જ ફાયદાકારક પીણું છે. તે શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે અને પેટમાં બળતરા, અપચો, એસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. આ સિવાય તે તમારા મનને પણ શાંત રાખે છે.

આ પણ વાંચો – Maha Shivratri 2022 : રુદ્રાભિષેક મહાદેવને પ્રસન્ન કરવાનો કારગર ઉપાય છે, તેનાથી બધી પરેશાનીઓ થશે દૂર

આ પણ વાંચો – Maha Shivratri Mahadev Puja Vidhi: જાણો શું છે રીવાજ ? કેવી રીતે કરાશે મહાદેવની પુજા-વિધી

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">