મહા શિવરાત્રિ 2022 – મહા શિવરાત્રિ પર ભગવાન શિવને ઘરાવો તેમનો પ્રિય ભોગ ઠંડાઇ અને મેળવો તેમની કૃપા

ભગવાન શિવને ઠંડાઈનો ભોગ ખૂબ જ પ્રિય છે. આ માટે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ભગવાન શિવને ઠંડાઈનો ભોગ ધરાવવામાં આવે છે.

મહા શિવરાત્રિ 2022 - મહા શિવરાત્રિ પર ભગવાન શિવને ઘરાવો તેમનો પ્રિય ભોગ ઠંડાઇ અને મેળવો તેમની કૃપા
Maha Shivaratri 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 1:34 PM
Maha Shivaratri 2022: ભગવાન શિવને ઠંડાઈનો ભોગ ખૂબ જ પ્રિય છે. આ માટે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ભગવાન શિવને ઠંડાઈનો ભોગ ધરાવવામાં આવે છે. શિવ મંદિરોમાં પણ ભક્તોને ઠંડાઈનું વિતરણ કરવામાં આવે છે. તમે ઘરે પણ સરળતાથી ઠંડાઈ બનાવીને ભગવાન શિવને ભોગ લગાવી શકો છો. આવતીકાલે સમગ્ર દેશમાં મહાશિવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

આ પવિત્ર દિવસે મહાદેવ અને પાર્વતીદેવીના લગ્નના પવન દિવસે ભક્તો વહેલી સવારથી શિવ મંદિરોમાં જઈને પૂજા- અર્ચના કરે છે. દરેક શિવ મંદિરોમાં ઠંડાઈનો ભોગ લગાવ્યા બાદ ભક્તોને તેનું વિતરણ કરવામાં આવે છે. ઠંડાઈ ભાંગ અને ભાંગ વિના પણ બનાવી શકાય છે. ઠંડાઈના પ્રસાદ વિના મહાશિવરાત્રીનું પર્વ જ અધૂરું છે. અમે તમને આજે ઠંડાઈ ભાંગ વિના ઘરે કેવી રીતે બનાવવી તેની રીત જણાવીશું.

ઠંડાઈ બનાવવા માટેની સામગ્રી –

જે માટે 1 લિટર દૂધ, 1 કપ બદામ, 6 ચમચી ખસખસ, 1 કપ વરિયાળી, 2 ચમચી કાળા મરી, 5 લીલી એલચી, 4 ચમચી તરબૂચના બીજ, 4 ચમચી કાકડીના બીજ, 2 ચમચી ગુલાબના પાંદડા, ખાંડ સ્વાદ મુજબ.

આવી રીતે તૈયાર કરો –

સૌપ્રથમ એક બાઉલમાં બદામ, તરબૂચ અને કાકડીના બીજ, ખસખસ, વરિયાળી, ગુલાબના પાન, કાળા મરી અને એલચીને આખી રાત પાણીમાં પલાળી રાખો. યાદ રાહ કે બદામને અલગથી પલાળવાની છે. સવારે બદામના ફોતરાં કાઢી લો અને બાકીની સામગ્રીને પાણી સાથે મિક્સ કરી લીધા બાદ એકદમ ઝીણી પેસ્ટ બનાવી લો. હવે દૂધને ઉકાળો અને ઠંડુ થવા દો. ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર ખાંડ નાંખો અને જો તમને પસંદ પડે તો કેસર પણ નાંખી શકો છો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

હવે ગ્લાસમાં પાણી લો અને મલમલનું કપડું લો. પેસ્ટને કપડામાં નાખો અને પાણી ઉમેરીને પેસ્ટને ગાળી લો. ત્યાર બાદ તેને થોડી વાર માટે ફ્રીજમાં રાખો. જો તમને પસંદ હોય તો ડ્રાયફ્રુટ્સને બારીક કાપીને ઠંડાઈ પર પણ ગાર્નિશ કરી શકો છો. ચિલ્ડ થયા બાદ તેમાં બરફ ઉમેરો. આ પછી મહાદેવને ભોગ લગાવો અને બધાને પ્રસાદ તરીકે વહેંચો.

મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર ભાંગ વગરની અલગથી ઠંડાઈ બનાવવાની આ સરળ રેસીપી છે.

ઠંડાઈનું મહત્વ અને ફાયદા જાણો –

જ્યારે મહાદેવે સમુદ્ર મંથન દરમિયાન વિષપાન કર્યું હતું, ત્યારે તેમના શરીરમાં ભયંકર અગ્નિ ઉત્પન્ન થઈ હતી.  ત્યારે તેમને ઠંડી વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. જેનાથી તેમના શરીરને ઠંડક મળી હતી. ત્યારથી, તેમને ભક્તો દ્વારા ઠંડી વસ્તુઓનો ભોગ લગાવવામાં આવે છે. આથી મહાદેવને ઠંડાઈનો પ્રસાદ ચઢાવવામાં આવે છે.

આ ઉપરાંત મહાશિવરાત્રિના તહેવારના થોડા સમય બાદ ઉનાળાની ઋતુ શરૂ થાય છે. ઉનાળાની ઋતુમાં ઠંડાઈ ખૂબ જ ફાયદાકારક પીણું છે. તે શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે અને પેટમાં બળતરા, અપચો, એસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. આ સિવાય તે તમારા મનને પણ શાંત રાખે છે.

આ પણ વાંચો – Maha Shivratri 2022 : રુદ્રાભિષેક મહાદેવને પ્રસન્ન કરવાનો કારગર ઉપાય છે, તેનાથી બધી પરેશાનીઓ થશે દૂર

આ પણ વાંચો – Maha Shivratri Mahadev Puja Vidhi: જાણો શું છે રીવાજ ? કેવી રીતે કરાશે મહાદેવની પુજા-વિધી

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">