Gir somnath: સરકારી સહાયના પૈસામાં કપાતર પૂત્રએ દારૂના નશામાં પિતાની હત્યા કરી
ગીર સોમનાથ ( Gir somnath) જિલ્લાના ઉના પુત્રએ પિતાની હત્યા (Murder) કરી નાખી હતી. સરકારી સહાયના પૈસા બાબતે ઝઘડો થતા દારૂના નશામાં હત્યા કરી નાખી હતી.
Gir somnath: પૈસાના ઝઘડામાં કપાતર પૂત્રએ પિતાની હત્યા કરી નાખવાની ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. ઘટના છે ગીર સોમનાથ જિલ્લાના (Gir somnath) ઉનાના નાંદરખ ગામની કે જ્યાં તાઉતે વાવાઝોડા સંદર્ભે સરકારી સહાય મળે તે પહેલા જ પૈસા બાબતે સગાપુત્રએ પિતાની હત્યા કરી નાખી. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
ઉનાના નાંદરખ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા બાબુભાઈ સોલંકીનું મકાન તાઉતે વાવાઝોડામાં પડી ગયું હતું જે બાબતે સરકારી સહાય આવવાની હતી. એ સહાયના પૈસા પોતાને આપવા માટે બાબુભાઈનો સગો નાનો પુત્ર મકેશ ઉર્ફે ટેન્ડોનો તેના પિતા સાથે ઝઘડો થયો હતો. બાદમાં રાત્રે બાબુભાઈ પોતાને ઘરે ખાટલામાં નિંદ્રાધીન હતા ત્યારે મુકેશે રાતે દારુના નશામાં પિતા બાબુભાઈને પથ્થરો મારી છૂંદી નાખ્યા હતા. પિતાનું મોત થતાં પરીવારજનો હતપ્રભ થઈ ગયા હતા.
આ બાબતે મૃતકના પુત્ર જગદીશે ફરીયાદ નોંધાવી છે. જ્યારે માતા સોનાબેન પોતાના સગા પુત્રને મોતને ઘાટ ઉતારાય તેવી વિનંતી કરી રહ્યા છે. આમ દારૂના નશાએ આખા પરીવારને બરબાદ કરી નાખ્યો છે. પોલીસ હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની અટક કરી છે. આ સાથે જ વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકના પત્નીએ જણાવ્યું હતું કે, રાતે મુકેશે દારૂના નશામાં ઘરે આવી મારા પતિની હત્યા કરી નાખી છે. હું સદભાગ્યે બહાર ગામ હતી બાકી મારી પણ હત્યા કરી નાખી હોત. પૈસા માંગતા આ બનાવ બન્યો છે તેથી તેનું મોત થાય એ જરૂરી છે.