AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath : જિલ્લામાં અવિરત વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં જરૂરિયતમંદોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા બિસ્કીટ અને આહાર વિતરણ કરાયું

સોમનાથ ટ્રસ્ટ હમેશાં કપરી પરિસ્થિતિમાં લોકોને મદદ કરવામાં અગ્રેસર રહ્યું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પડેલ પુષ્કળ વરસાદે સર્જેલી તારાજીને કારણે જરૂરિયાતમંદ લોકોને આહાર વિતરણ કરવામાં આવ્યું છે.

Gir Somnath : જિલ્લામાં અવિરત વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં જરૂરિયતમંદોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા બિસ્કીટ અને આહાર વિતરણ કરાયું
Somnath Trust
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 9:59 AM
Share

Gir Somnath : ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદથી (Rain) સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ આ કપરી પરિસ્થિતિમાં લોકોની વહારે આવ્યું છે. વરસાદ એટલો અચાનક અને તીવ્ર રીતે આવ્યો કે કોઈપણ પૂર્વ તૈયારીનો સમય મળ્યો ન હતો. છતાં લોકો ભૂખ્યા ન રહે તેના માટે ટ્રસ્ટ દ્વારા બિસ્કિટ અને પુલાવનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો Breaking News : ભારે વરસાદના કારણે પરિવહન સેવા થઇ પ્રભાવિત, ST બસની અંદાજે 264 ટ્રીપ રદ, ડ્રાયવર-કંડકટરને અપાઇ ખાસ સૂચના

વેરાવળમાં નીચાણવાળા વિસ્તારોમાં જરૂરિયાતમંદોને આહાર વિતરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ હમેશાં કપરી પરિસ્થિતિમાં લોકોને મદદ કરવામાં અગ્રેસર રહ્યું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પડેલ પુષ્કળ વરસાદે સર્જેલી તારાજીને કારણે જેઓનું જીવન પ્રભાવિત થયું છે, તેવા તમામ જરૂરિયાતમંદ લોકો માટે યુદ્ધના ધોરણે આહારની વ્યવસ્થાને પ્રાથમિકતા આપવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોટા જથ્થામાં બિસ્કીટ અને આર.એસ.એસ સ્વયંસેવકો દ્વારા તૈયાર કરાયેલ પુલાવ સમગ્ર વેરાવળ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં વિતરણ શરૂ કર્યું છે.

સોમનાથ ટ્રસ્ટનો સહકાર લોકોની સાથે છેઃ સોમનાથ ટ્રસ્ટના મેનેજર

સોમનાથ ટ્રસ્ટ તરફથી મેનેજર વિજયસિંહ ચાવડા સાહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા જરૂરિયાતમંદો સુધી પહોંચીને વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ તેમણે લોકોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે કોઈપણ સંજોગોમાં સોમનાથ મહાદેવના આશીર્વાદ અને સોમનાથ ટ્રસ્ટનો સહકાર લોકોની સાથે છે.

આ સાથે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા બુંદી અને ગાઠીયાનું પણ બનાવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જે જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવશે. આ કપરી પરિસ્થિતિમાં લોકોને મદદ કરવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા બનતી તમામ સહાયતા કરવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.

( With Input : Yogesh Joshi, Gir Somnath)

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">