VIDEO: ભારે વરસાદથી વધી પડાપાદર ગામના લોકોની મુશ્કેલી વધી, જીવના જોખમે વિદ્યાર્થીઓ કરે છે નદી પસાર
ગીરસોમનાથમાં દર વર્ષે વરસાદ આવે એટલે લોકોની હાલાકી વધી જાય છે. ગીરસોમનાથ નજીક આવેલા ઉનાના પડાપાદર ગામમાં સૌથી ખરાબ સ્થિતિ સર્જાય છે. ઉનાના પડાપાદર ગામ વચ્ચેથી નદી પસાર થતી હોવાથી આખુ ગામ બે ભાગમાં વહેંચાઈ જાય છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તેમણે નદીના પાણીમાંથી પસાર થઈને શાળાએ જવું પડે છે. […]
ગીરસોમનાથમાં દર વર્ષે વરસાદ આવે એટલે લોકોની હાલાકી વધી જાય છે. ગીરસોમનાથ નજીક આવેલા ઉનાના પડાપાદર ગામમાં સૌથી ખરાબ સ્થિતિ સર્જાય છે. ઉનાના પડાપાદર ગામ વચ્ચેથી નદી પસાર થતી હોવાથી આખુ ગામ બે ભાગમાં વહેંચાઈ જાય છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તેમણે નદીના પાણીમાંથી પસાર થઈને શાળાએ જવું પડે છે.
આ પણ વાંચો: કેમ વિરાટ કોહલીએ પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને કર્યા યાદ, જાણો કારણ
પાણીમાં દોરડાના સહારે વિદ્યાર્થીઓ નદી પાર કરે છે. ઘણીવાર વિદ્યાર્થી નદીના પાણીમાં પડી જાય છે. તો કપડા અને પુસ્તકો પણ ભીના થઈ જાય છે. ઘણીવાર તો વરસાદ પડે તો વિદ્યાર્થીઓએ શાળાએ જવાનું ટાળવું પડે છે. જેના કારણે તેમના શિક્ષણ પર અસર થાય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પડાપાદર ગામમાં વર્ષો પહેલા ઉગમણા પાડા અને આથમણા પાડાને જોડતા પૂલ હતો. જે જર્જરીત થઈ ગયા બાદ તૂટી ગયો. જોકે પૂલ તૂટ્યા બાદ ગ્રામજનોની મુસીબતમાં વધારો થયો છે. વિદ્યાર્થીઓની જેમ ગામના લોકોએ કોઈ સાધન સામગ્રી લેવી હોય તો નદીમાંથી પસાર થવું પડે છે. કેમ કે જો નદી ન ઓળંગવામાં આવે તો લોકોને 20થી 25 કિલોમીટરનો લાંબો ધક્કો પડે છે. છેલ્લા કેટલાય વર્ષોથી લોકો ગામમાં ફરી પૂલ બનાવવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે. આ અંગે મુખ્યપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવી છે પરંતુ લોકોની માગણી પર કોઈ ધ્યાન અપાયું નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો