AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડીંગુચાના લોકોને વિદેશ જવાની ઘેલછા, ગામની અડધા જેટલી વસતી વસે છે વિદેશમાં

ડીંગુચા ગામ 7 હજારની આસપાસ વસતી ધરાવતુ ગામ છે. જેમાંથી 3200થી 3300 જેટલા લોકો હાલમાં વિદેશમાં વસેલા છે. આ તમામ લોકો અમેરિકા, કેનેડા કે બ્રિટનના દેશોમાં જઇને વસેલા છે.

ડીંગુચાના લોકોને વિદેશ જવાની ઘેલછા, ગામની અડધા જેટલી વસતી વસે છે વિદેશમાં
half of the Dingucha village's population lives abroad
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 8:18 AM
Share

છેલ્લા થોડા દિવસથી ગાંધીનગરનું ડીંગુચા ગામ (Dingucha village) સમાચારમાં સતત જોવા મળી રહ્યુ છે. અમેરિકા અને કેનેડાની બોર્ડર (US-Canada border) પર ડીંગુચા ગામના એક પરિવારના ચાર સભ્યોના ઠંડીથી થીજી જવાને કારણે મોત થયા બાદ આ ગામ સતત ચર્ચામાં છે. જો કે આ ગામમાં એક નવાઈની વાત એ પણ જાણવા મળી છે કે ગામમાં માત્ર એક બે પરિવાર જ નહીં, પરંતુ ગામનો અડધા અડધ પરિવાર વિદેશમાં વસવાટ કરે છે. ડીંગુચા ગામ 7 હજારની આસપાસ વસતી ધરાવતુ ગામ છે. જેમાંથી 3200થી 3300 જેટલા લોકો હાલમાં વિદેશમાં વસેલા છે. આ તમામ લોકો અમેરિકા, કેનેડા કે બ્રિટનના દેશોમાં જઇને વસેલા છે.

ડીંગુચા ગામના લોકોમાં વિદેશ જવાનું વળગણ જોવા મળે છે. ડીંગુચા ગામમાં મોટાભાગના લોકો વિદેશમાં જઈને વસેલા છે અથવા તો ઈન્ટરનેશનલ ટ્રાવેલ એજન્ટ બનેલા છે. અહીંના યુવાનો અમેરિકાની સિટિઝનશીપ મેળવી લે છે અથવા તો એજન્ટ બની જાય છે. ડીંગુચા ગામના લોકો ખૂબ નાની વયથી જ વિદેશ જવાની તૈયારીઓ કરવા લાગે છે.

ગામના અડધો અડધ લોકો વિદેશમાં વસતા હોવાને કારણે આ ગામ સામાન્ય ગામ જેવુ લાગતુ નથી. અહીં પાકા રોડ, બે મોટી શાળાઓ, હોસ્પિટલ્સ, કમ્યુનિટી હોલ અને બેંકો છે. વિદેશ જઈને વસેલા ગામના લોકો જ આ ગામના વિકાસમાં ફાળો આપતા રહે છે. જેના કારણે ડીંગુચા ગામમાં આ બધું શક્ય બન્યું છે.

જોકે વિદેશ જવાનું વળગણ ક્યારેક મોટા જોખમને પણ આમંત્રણ આપી શકે છે. હાલમાં જ ડીંગુચા ગામના પરિવારના ચાર સભ્યોના અમેરિકા-કેનેડા બોર્ડર પર ઠંડીથી મોત થવાની જે ઘટના બની તે તેનું એક ઉદાહરણ છે. કેનેડા પોલીસે ચારેય મૃતકોની ઓળખ કરી લીધી છે. કેનેડા પોલીસે જાહેરાત કરી છે કે 39 વર્ષના જગદીશકુમાર પટેલ, 37 વર્ષના વૈશાલી પટેલ, 11 વર્ષની વિહાંગી પટેલ અને 3 વર્ષના ધાર્મિક પટેલનું મૃત્યું થયું છે. કેનેડાના પોલીસ અધિકારીએ પુષ્ટી કરતાં કહ્યું કે ઠંડીમાં થીજી જવાના કારણે ચારેય લોકોના મૃત્યુ થયા છે.

અમેરિકા જવાની લ્હાયમાં ચાર જિંદગી ઠંડીમાં થીજી ગઈ. ચારેય લોકો વિઝિટર વિઝા પર કાયદેસર રીતે 12 તારીખે કેનેડા પહોંચ્યા હતા અને 18 તારીખે કેનેડા-અમેરિકા બોર્ડર પર પહોંચ્યા હતા. તેમને બોર્ડર સુધી કોણે પહોંચાડ્યા તેની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો- નવસારી જિલ્લા પોલીસ વડાને મળી જમીન સંપાદન, જમીન વિવાદની 700 જેટલી ફરિયાદ, SITની રચના કરાઇ

આ પણ વાંચો- ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ I-Create ની મુલાકાતે, ઇલેકટ્રીક વ્હીકલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્દઘાટન કર્યુ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">