Surat: કેમિકલ લિકેજની દુર્ઘટના મામલે સીએમ અને ગૃહપ્રધાનનું ટ્વિટ, દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ

સુરતની સચિન GIDCમાં (Sachin GIDC) કેમિકલ લીકેજથી મોટી દુર્ઘટના ઘટી છે. ઝેરી કેમિકલ લીકેજ થતાં 6 શ્રમિકો મોતને ભેટ્યા છે. જ્યારે 15 લોકોની હાલત ગંભીર છે. તેમને સારવાર અર્થે આસપાસની હોસ્પિટલો અને કેટલાકને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે.

Surat: કેમિકલ લિકેજની દુર્ઘટના મામલે સીએમ અને ગૃહપ્રધાનનું ટ્વિટ, દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ
Surat: CM and Home Minister tweeted condolences over chemical leakage tragedy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 11:50 AM

Surat: સચિન જીઆઇડીસીમાં કેમિકલ લિકેજની દુર્ઘટના મામલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. તો આ સાથે ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ પોતાના ટ્વિટમાં જણાવ્યું છેકે તેઓ આ ઘટનાને લઇને સતત તંત્ર સાથે સંપર્કમાં છે. અને, બચાવ અને રાહત કામગીરીમાં કોઇ અડચણ ન પડે તે માટે સૂચનાઓ આપવાામાં આવી છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલનું ટ્વિટ

હર્ષ સંઘવીનું ટ્વિટ

સુરતની સચિન GIDCમાં (Sachin GIDC) કેમિકલ લીકેજથી મોટી દુર્ઘટના ઘટી છે. ઝેરી કેમિકલ લીકેજ થતાં 6 શ્રમિકો મોતને ભેટ્યા છે. જ્યારે 15 લોકોની હાલત ગંભીર છે. તેમને સારવાર અર્થે આસપાસની હોસ્પિટલો અને કેટલાકને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે. મળતી માહિતી પ્રમાણે, GIDCમાં રાજકમલ ચીકડી પ્લોટ નંબર 362 બહાર ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર હતું. આ ટેન્કર અંકલેશ્વરથી આવ્યું હતું.

આ મામલે સચિન GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. કલમ 304, 120 બી હેઠળ સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવાની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.. કેમિકલના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવશે. જે બાદ ખબર પડી શકશે કે આ કયા પ્રકારનું કેમિકલ હતું. જે ટેન્કરથી કેમિકલ ઠલવાયું છે તે વડોદરા પાસિંગનું છે. જેથી તેના માલિક સુધી પહોંચવા ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ વડોદરા રવાના થઈ છે.

ટેન્કરમાંથી ખાડીમાં કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન લીકેજ થતાં 8થી 10 મીટરમાં કેટલાક કામ કરતા શ્રમિકો અને કિટલી પર ઉભા રહેલા લોકોને ઝેરી કેમિકલની અસર થવા લાગી હતી. તેઓ ટપોટપ પડવા લાગ્યા હતા.

ટેન્કરમાંથી ખાડીમાં ઠલવાતું હતું કેમિકલ

ટેન્કરમાંથી ખાડીમાં કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન લીકેજ થતાં 8થી 10 મીટરમાં કેટલાક કામ કરતા શ્રમિકો અને કિટલી પર ઉભા રહેલા લોકોને ઝેરી કેમિકલની અસર થવા લાગી હતી. તેઓ ટપોટપ પડવા લાગ્યા હતા. જોતજોતામાં ગુંગળામણથી 6 શ્રમિકો મોતને ભેટ્યા. ગુંગળામણથી જે લોકોનાં મોત થયા છે તેમાં 30 વર્ષીય સુલતાન, 20 વર્ષીય કાલીબેન, 30 વર્ષીય સુરેશ અને 30-30 વર્ષના બે યુવકોનો સમાવેશ થાય છે.

અસ્વસ્થ મજૂરોને દાખલ કરાયા

ડૉક્ટર ઓમકાર ચૌધરીએ કહ્યું કે, ઘટનાની ગંભીરતાને લઈ મેડિસિન, સર્જરી, એનેસ્થેસિયા સહિતના સિનિયર ડૉક્ટર્સ અને રેસિડેન્ટ ડોક્ટર્સ તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં દોડી આવ્યા હતા. એટલું જ નહીં પણ તમામ મેડિકલ ઑફિસરને પણ બોલાવી લેવાયા હતા. ખડેપગે તમામની સારવાર સાથે દાખલ કરાયા છે. ઇન્ચાર્જ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ધ્રુતી પરમાર પણ ટ્રોમા સેન્ટરમાં દોડી આવ્યા હતા. તમામ મજૂરોને યોગ્ય સારવાર મળી રહે એ માટે તમામ સુવિધાઓની વ્યવસ્થા કરી દેવાઈ છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોય એમ કહી શકાય છે. હાલ દાખલ કરાયેલા દર્દીઓમાં પણ ધ્યાન અપાઇ રહ્યું છે.

આ પણ વાંચો : Surat : સગીરા પર બળાત્કાર કેસમાં આરોપીને 20 વર્ષની અને સહઆરોપીને 5 વર્ષની સજા

આ પણ વાંચો : Surat : સુરતમાં જવેલરી ઉત્પાદકોનો નવતર પ્રોજેક્ટ, કર્મચારીઓની અછત ઉકેલવા મફત ટ્રેનિંગ આપવાનું શરૂ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">