AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત પોલીસ દળના 105 તાલીમાર્થી PIની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ, CMએ શ્રેષ્ઠ અધિકારીઓને સન્માનિત કર્યા

મુખ્યમંત્રીએ તાલીમ દરમ્યાન ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ૮ જેટલા તાલિમાર્થીઓની સફળતા અને સિદ્ધિને ટ્રોફી તથા પુરસ્કારથી બિરદાવ્યા હતા. કરાઇ પોલીસ અકાદમીમાંથી તાલીમ પૂર્ણ કરી પોલીસ દળમાં નવનિયુક્ત થઇ રહેલા આ પોલીસ ઇન્સપેક્ટર્સમાં ૩પ બહેનો સહિત ૧૦પ યુવાઓનો સમાવેશ થાય છે.

ગુજરાત પોલીસ દળના 105 તાલીમાર્થી PIની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ, CMએ શ્રેષ્ઠ અધિકારીઓને સન્માનિત કર્યા
ગુજરાત પોલીસ દળના 105 PIની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 7:27 PM
Share

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel ) સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગુજરાતનું પોલીસ દળ(Gujarat Police Force) ટેક્નોસેવી નવ યુવાઓની પોલીસ સેવામાં નવ નિયુક્તિથી ટેક્નોલોજી સભર પોલીસ દળ બન્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ડિજીટલ ટેક્નોલોજીના આ યુગમાં સાયબર ક્રાઇમ(Cyber Crime) જેવા ગુન્હાઓ સહિતની બદલાઇ રહેલી ક્રાઇમ પેટર્નને જાણવા-સમજવા આવા નવયુવાન પોલીસ કર્મીઓની સજ્જતાને આપણે વધુ સંગીન બનાવવી છે.

મુખ્યમંત્રી ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે ૧૦પ તાલીમાર્થી પોલીસ ઇન્સપેક્ટર્સની(Police inspectors) દિક્ષાંત પરેડના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. (Harsh Sanghvi )ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તેમજ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી અકાદમીમાંથી પાસ આઉટ થઇ રહેલા નવનિયુક્ત પોલીસ ઇન્સપેક્ટર્સના પરિવારજનો પણ આ ગૌરવશાળી દિક્ષાંત પરેડ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

(CM Bhupendra Patel )  ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, ગુજરાત આજે શાંત, સલામત અને સુરક્ષિત રાજ્ય બનવા સાથે વિકાસના મોડેલ સ્ટેટ તરીકે ખ્યાતિ પામ્યુ છે તેના પાયામાં સમાજ જીવનની રક્ષા-સુરક્ષા માટેની પોલીસ દળની કર્તવ્ય પરાયણતા અને ફરજપરસ્તી પડેલા છે. મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ દળમાં નવનિયુક્ત થઇ રહેલા પોલીસ ઇન્સપેક્ટર્સને પ્રેરણા આપતાં કહ્યું કે, વિકાસના મૂળમાં સુરક્ષા-સલામતિ માત્ર જરૂરિયાત નથી રહિ પરંતુ પ્રથમ શરત પણ બની ગઇ છે. વિકાસની ગતિને અડીખમ-અણનમ રાખવા રક્ષાશક્તિના બાવડાને શકય તેટલા વધુ મજબૂત બનાવવા સરકારની નેમ છે.

તેમણે ઉમેર્યુ કે નવા પડકારો, બદલાતી જતી ક્રાઇમ પેટર્નને પહોંચી વળવા રાજ્ય સરકાર પણ વિશ્વાસ પ્રોજેક્ટ, સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ, સી.સી.ટીવી નેટવર્ક તથા બોડીર્વોન કેમેરા વગેરેથી પોલીસ દળને સમયની માંગ મુજબ સુસજ્જ કરી રહી છે. મુખ્યમંત્રીએ પોલીસ દળમાં નવનિયુક્ત થઇ રહેલા આ પોલીસ કર્મીઓ ઉચ્ચ શિક્ષા-પદવી ધરાવે છે તેની સરાહના કરતાં ઉમેર્યુ કે, તેમની ક્ષમતા અને રાષ્ટ્ર-રાજ્ય રક્ષા માટેની કર્તવ્ય પરાયણતાને સમાજ શાંતિ-સલામતિ કાજે ઊજાગર કરવા રાજ્ય સરકાર સપોર્ટ આપશે.

સમાજ હિત–સમાજ રક્ષાના બોનાફાઇડ ઇન્ટેન્શનથી થયેલા કોઇ પણ કામમાં આ સરકાર તમારી પડખે રહેશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ આપ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રક્ષાશક્તિ, જ્ઞાનશક્તિ, જલશક્તિ, જનશક્તિ અને ઊર્જાશક્તિની શક્તિ પંચામૃત ધારાથી ગુજરાતની વિકાસ બુનિયાદ બૂલંદ બનાવી છે તેને વધુ ઉન્નત બનાવીને નિર્દોષ દંડાય નહિ, પ્રજાને રંજાડનારા છૂટે નહિ તેવી સંવેદના સાથે હવે આ નવનિયુક્ત અધિકારીઓ ખાખી વર્દીની આન-બાન-શાન વધારે તે અપેક્ષા છે.

તેમણે ઉમેર્યુ કે, ગુજરત બિટ પોલીસીંગથી સ્માર્ટ પોલિસીંગ તરફ આગળ વધ્યુ છે. ટેક્નોલોજીના વ્યાપક ઉપયોગ સાથોસાથ પોલીસ દળને પૂરતું માનવ સંશાધન બળ આપવાના પણ શ્રેણીબદ્ધ આયોજનો થયાં છે. ૧ હજાર ઉપરાંત પી.એસ.આઇ અને ૧૦ હજાર જેટલા લોકરક્ષકની ભરતી પ્રગતિમાં છે તેની ભૂમિકા પણ તેમણે આપી હતી.

મુખ્યમંત્રીએ તાલીમ દરમ્યાન ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ૮ જેટલા તાલિમાર્થીઓની સફળતા અને સિદ્ધિને ટ્રોફી તથા પુરસ્કારથી બિરદાવ્યા હતા. કરાઇ પોલીસ અકાદમીમાંથી તાલીમ પૂર્ણ કરી પોલીસ દળમાં નવનિયુક્ત થઇ રહેલા આ પોલીસ ઇન્સપેક્ટર્સમાં ૩પ બહેનો સહિત ૧૦પ યુવાઓનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ આ સૌ નવનિયુક્ત કર્મીઓને રાજ્ય-રાષ્ટ્ર હિત સર્વોપરિ રાખવાની શિખ આપતાં ઉજ્જવળ ભાવિની શુભેચ્છાઓ આપી હતી.

અકાદમીના આચાર્ય ચૌધરીએ આ તાલીમ પૂર્ણ કરી પોલીસ સેવામાં જોડાઇ રહેલા યુવા અધિકારીઓને સેવા-કર્તવ્યનિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા. અધિક પોલીસ મહાનિદેશક (તાલીમ) શ્રી વિકાસ સહાયે અકાદમીનો તાલિમ અહેવાલ પ્રસ્તુત કર્યો હતો.

આ પણ વાંચો : ભાવનગરની નારી ઔદ્યોગિક વસાહતમાં MSME એકમો માટે 577 પ્લોટ્સની CMના હસ્તે ફાળવણી

આ પણ વાંચો : Surat: માત્ર 100 રૂપિયાના ઉછીના નહીં આપતા યુવાનને રેંહસી નાખ્યો, ક્રાઇમ બ્રાન્ચે કરી આરોપીની ધરપકડ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">