AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજસ્થાનના મંત્રીએ કહ્યું, ‘નર્મદાનું એક પણ ટીપું ગુજરાતને નહીં અપાય’: જીતુ વાઘાણીએ આપ્યો વળતો જવાબ

નર્મદાના પાણીને લઈને રાજસ્થાનના મંત્રીના નિવેદન બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. રાજસ્થાનના જળ સંસાધન મંત્રી મહેન્દ્રજીત સિંહના નિવેદન જીતુ વાઘાણીએ જવાબ આપ્યો છે.

રાજસ્થાનના મંત્રીએ કહ્યું, 'નર્મદાનું એક પણ ટીપું ગુજરાતને નહીં અપાય': જીતુ વાઘાણીએ આપ્યો વળતો જવાબ
Narmada Vivad (રચનાત્મક તસ્વીર)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 7:37 AM
Share

Narmada Water: રાજસ્થાનના જળ સંસાધન મંત્રી મહેન્દ્રજીત સિંહના (Mahendra jeet singh malaviya) નિવેદનથી હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. રાજસ્થાનના મંત્રીએ ગુજરાતને (Gujarat) એક પણ ટીપુ પાણી નહીં આપવાની વાત કરી હતી. જેના પર રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ (Jitu Vaghani) વળતો જવાબ આપ્યો હતો. જીતુ વાઘાણીએ કહ્યું કે, આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, રાજ્ય વચ્ચે વૈમનસ્ય ઉભો કરવાનો કોંગ્રેસનો પ્રયાસ છે.

જીતુ વાઘાણીએ તેમની વાતમાં ઉમેર્યું કે, ગુજરાત વર્ષોથી રાજસ્થાનને પાણી આપે છે. અને રૂપિયા 559 કરોડ પણ ગુજરાત સરકારના લેવાના બાકી નીકળે છે. બીજી તરફ જીતુ વાઘાણીના નિવેદન પર કોંગ્રેસ નેતા મનિષ દોશીએ જવાબ આપતા કહ્યું, ભાજપની સરકાર પાણી મુદ્દે રાજકારણ રમી રહ્યું છે, અને જેનો વિવાદ નથી એવા મુદ્દાઓ ઉભા કરીને તેઓ રાજસ્થાનના નામે પોતાની નિષ્ફળતા છૂપાવવા માગે છે.

તમને જણાવી દઈએ કે 23 નવેમ્બરના એક અહેવાલ અનુસાર રાજસ્થાનના જળ સંસાધન મંત્રી મહેન્દ્રજીત સિંહ માલવિયાએ કહ્યું હતું કે રાજ્યના બાંસવાડા જિલ્લામાં સ્થિત માહી ડેમમાંથી ગુજરાતમાં જતી નર્મદા નદીનું પાણી બંધ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, હવે નર્મદા નદીના પાણીનું એક ટીપું પણ ગુજરાતમાં જવા દેવામાં આવશે નહીં. અત્યાર સુધી 40 TMC (હજાર મિલિયન ઘનફૂટ) પાણી ગુજરાતમાં જતું હતું. પરંતુ હવે આ પાણી બંધ કરીને બાંસવાડા અને ડુંગરપુરના ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 10 જાન્યુઆરી, 1966ના રોજ રાજસ્થાન અને ગુજરાત સરકાર વચ્ચે એક કરાર થયો હતો. આ કરાર મુજબ ગુજરાત સરકારે માહી ડેમના નિર્માણ માટે 55 ટકા ખર્ચ આપ્યો હતો. તેના રાજસ્થાન સરકાર બદલામાં ગુજરાતને 40 TMC પાણી આપવા સંમત થયા હતા. આ સાથે કરારમાં એવી શરત હતી કે જ્યારે નર્મદાનું પાણી ગુજરાતના ખેડા જિલ્લામાં પહોંચશે ત્યારે ગુજરાત બંધી ડેમનું પાણી લેશે નહીં. તે પાણીનો ઉપયોગ રાજસ્થાનમાં જ થશે. વર્ષો પહેલા નર્મદાનું પાણી ખેડા જિલ્લામાં પહોંચ્યું હતું.

આ પણ વાંચો: IMDએ ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી દેશના અનેક વિસ્તારમાં વરસાદ પડવાની કરી આગાહી, ગુજરાતમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે

આ પણ વાંચો: અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ, અનેક સ્થળે વૃક્ષ ધરાશાયી: રાજ્યમાં ઠેર ઠેર પડ્યો વરસાદ

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">