AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM ભૂપેન્દ્ર પટેલને મળ્યાં પાટીદાર સાંસદો, પાટીદાર આંદોલન સમયના કેસને લઈને કરી આ રજૂઆત

Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સાંસદો મળ્યા હતા. ત્યારે મળીને પાટીદાર આંદોલન સમયના કેસ પાછા લેવાની તેમણે રજૂઆત કરી છે.

CM ભૂપેન્દ્ર પટેલને મળ્યાં પાટીદાર સાંસદો, પાટીદાર આંદોલન સમયના કેસને લઈને કરી આ રજૂઆત
CM Bhupendra Patel
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 7:27 PM
Share

Gandhinagar: ગુજરાતના પાટીદાર સાંસદોએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) મળીને પાટીદાર આંદોલન (Patidara Andolan) સમયે થયેલા કેસ પરત ખેંચવા રજૂઆત કરી છે. રાજકોટના (Rajkot) સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું કે અન્ય સમાજની લાગણી દુભાઈ હોય કે કેસ થયા હોય તો તે પણ પાછા ખેંચાવા જોઈએ. આ રજૂઆત મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલે હકારાત્મક જવાબ આપ્યો હોવાનું મોહન કુંડરિયાએ જણાવ્યું છે.

તો પોરબંદરના સાંસદ રમેશ ધડૂકે કહ્યું કે બે મહિનામાં જ કેસો પાછા ખેંચાઈ શકે છે. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમયે વિવિધ સ્થળોએ આગેવાનો સામે 140 જેટલા કેસ થયેલા છે. આ કેસો સરકારે અગાઉ પણ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. પરંતુ કાયદાકીય પ્રક્રિયાના કારણે કેસ પાછા ખેંચવામાં કોઈક કારણસર વિલંબ થઈ રહ્યો છે.

ત્યારે સંસદના શિયાળુ સત્રમાંથી પરત ફરેલા ગુજરાતના પાટીદાર સાંસદો સીધા CMને મળવા પહોંચ્યા હતા. જેમાં મોહન કુંડારિયા, રમેશ ધડૂક, શારદાબેન પટેલ, મિતેષ પટેલ અને હસમુખ પટેલે રજૂઆત કરી હતી.

જણાવી દઈએ કે પાટીદાર અનામત આંદોલન સમિતિના દિનેશ બાંભણિયા સહિતના બિનરાજકીય લોકોએ થોડા દિવસ પહેલા CM સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં લાંબા સમયથી બાકી રહી ગયેલા પાટીદાર આંદોલન સમયના કેસ પાછા ખેંચવા ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, ઉમિયા માતા સંસ્થાન ઊંઝાના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત PAASના નેતા અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા પણ હાજર રહ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે, આજે સાંજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પાસના કન્વીનર અને પાટીદાર અગ્રણીઓની બેઠક મળી હતી. જેમાં અનેક મુદ્દે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પાટીદાર સમાજના મોટા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ વાત એ છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે આંદોલન સમયના પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાની ખાતરી આપી હતી.

તો થોડા મહિના અગાઉ ઓગસ્ટમાં ગુજરાતમાં પાટીદારોની બેઠક મળી હતી. જેમાં ફરી આંદોલન કરવાનો નિર્ણય લેવાયો હતો. સરદાર પટેલ ગ્રુપ (SPG) અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS )ની મહેસાણામાં આ બેઠક યોજાઈ હતી. જેમાં આગામી સમયમાં ફરીથી પાટીદાર આંદોલન પાર્ટ 2 શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચો: જામનગરમાં જલસો: મુકેશ અંબાણીના પૌત્રની બર્થ ડે પાર્ટીમાં આવ્યા આ દિગ્ગજ ખેલાડીઓ, શાનદાર હશે ઉજવણી

આ પણ વાંચો: KUTCH : પ્રભારી સચિવ હર્ષદ પટેલની અધ્યક્ષતામાં રસીકરણ તેમજ કોરોના અંગેની સમીક્ષા બેઠક યોજાઇ !

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">