AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવામાં ભેજનું પ્રમાણ વધતા ગરમીમાં આંશિક રાહત મળશે, આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે : હવામાન વિભાગ

અરબી સમુદ્ર તરફથી પવન ફૂંકાતા ભેજનું પ્રમાણ વધ્યું હોવાથી લોકોને ગરમીમાં વધુ નહીં શેકાવું પડે. આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત્ રહેશે તેવું (IMD)હવામાન વિભાગનું કહેવું છે.

હવામાં ભેજનું પ્રમાણ વધતા ગરમીમાં આંશિક રાહત મળશે, આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે : હવામાન વિભાગ
Increasing humidity will provide partial relief from heat: Meteorological Department
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 7:40 PM
Share

ગરમીને લઈ હાલ ગુજરાત (Gujarat) માટે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે લોકોને ગરમીનો (Heatwave) સામનો નહીં કરવો પડે. કારણકે હવામાં ભેજ વધતા ગરમીના તાપમાનમાં આંશિક રાહત મળશે તેવી હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે. હવામાં ભેજ વધતા અને ગરમીમાં સામાન્ય ઘટાડો થતા લોકોને હાલ તાપમાનમાં રાહત મળી રહી છે. અરબી સમુદ્ર તરફથી પવન ફૂંકાતા ભેજનું પ્રમાણ વધ્યું હોવાથી લોકોને ગરમીમાં વધુ નહીં શેકાવું પડે. આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત્ રહેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. કેટલાક શહેરોમાં 41 ડીગ્રી આસપાસ તાપમાન રહેવાની શકયતા છે. જયારે ત્રણ દિવસ બાદ 2 ડિગ્રી જેટલું તાપમાન વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

ગુજરાતમાં આજે ગરમીમાં આંશિક રાહત મળી

રાજ્યમાં આજે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 38 ડિગ્રીથી 42 ડિગ્રી સુધી રહ્યો હતો. જેમાં રાજકોટમાં સૌથી વધારે ગરમી 41. 6 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વેરાવળમાં સૌથી ઓછું 32. 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 40. 7 ડિગ્રી, વડોદરા 40. 1 ડિગ્રી, ભુજ 39. 7 ડિગ્રી, ભાવનગર 39. 5, ગાંધીનગર 39. 8 ડિગ્રી, રાજકોટ 41. 6 ડિગ્રી, જુનાગઢ 41. 0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ 10 થી 15 એપ્રિલ સુધી તાપમાનમાં કોઇ ફેરફાર થવાની શકયતા નથી. તેમજ ગરમીમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. તેમજ તાપમાન 40 ડિગ્રીની આસપાસ સ્થિર રહે તેવી શક્યતા છે. તેમજ આગામી પાંચ દિવસ હીટવેવની કોઇ આગાહી નથી.

હવામાન વિભાગની અપીલ

મહત્વનું છે કે પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઉંચો રહેશે. લોકોને બપોરના 12થી 4 દરમિયાન કામ વગક ઘર બહાર ના નિકળવાની અપીલ કરવામાં આવી છે. તો શરીરને સનસ્ટ્રોક અને ડીહાઈડ્રેશનથી બચાવવા ભરપૂર માત્રામાં લીંબુપાણી પીવાના સુચન કરાયા છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ગરમી વધશે..જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટમાં પણ કાળઝાળ ગરમી પડશે.તો બીજી તરફ હિટવેવની આગાહીને પગલે લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો :Anand: જૂથ અથડામણ કેસમાં પોલીસે બંને જૂથ સામે ફરિયાદ નોંધતા સાંસદ મિતેષ પટેલ નારાજ, કહ્યુ- માત્ર પથ્થરમારો કરનારા સામે પોલીસ ફરિયાદ દાખલ કરો

Ahmedabad: આરટીઓના હેડ કેશિયરે ચાલાકી પૂર્વક કરી 1.83 કરોડની ઉચાપત, ઓડિટમાં સમગ્ર મામલો સામે આવતા ફરિયાદ નોંધાઇ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">