ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો,નવા 1128 કેસ નોંધાયા, 3 મૃત્યુ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં 28 જૂલાઈના રોજ કોરોનાના નવા 1101 કેસ નોંધાયા બાદ 29 જુલાઇના રોજ કોરોનાના કેસમાં ઉછાળા સાથે નવા 1128 કેસ નોંધાયા છે
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં 28 જૂલાઈના રોજ કોરોનાના નવા 1101 કેસ નોંધાયા બાદ 29 જુલાઇના રોજ કોરોનાના કેસમાં ઉછાળા સાથે નવા 1128 કેસ નોંધાયા છે. જયારે ત્રણ લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદમાં 391, વડોદરામાં 121, મહેસાણામાં 79, સુરત જિલ્લામાં 52, સુરતમાં 52, ગાંધીનગરમાં 51, વડોદરામાં 31, રાજકોટમાં 29, ભરૂચમાં 22, રાજકોટ જિલ્લામાં 22, વલસાડમાં 22, અમરેલીમાં 16, ભાવનગરમાં 16, નવસારીમાં 15, પાટણમાં 15, મોરબીમાં 14, બનાસકાંઠામાં 12, આણંદમાં 10, સાબરકાંઠામાં 10, અમદાવાદ જિલ્લામાં 09,જામનગરમાં 08, અરવલ્લીમાં 07, પોરબંદરમાં 06, સુરેન્દ્રનગરમાં 06, તાપીમાં 06, ગીર -સોમનાથમાં 04, જામનગરમાં 04, પંચમહાલમાં 04, ભાવનગરમાં 03, બોટાદમાં 02, જૂનાગઢમાં 02, ખે ડામાં 02 અને દાહોદમાં 01 કેસ નોંધાયો છે.
કોરોનાના કેસમાં ફરી વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્રમણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ, ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે.
દેશમાં રસીકરણની કામગીરી પણ એટલી જ ઝડપથી ચાલી રહી છે. દેશમાં હાલ કોરોના માટેનો બૂસ્ટર ડોઝ પણ ફ્રીમાં આપવામાં આવી રહ્યો છે. જેથી દેશની જનતા કોરોનાથી બચી શકે. એ નોંધનીય છે કે, કોરોના વેક્સિનેશનને કારણે દેશમાં કોરોના મહામારીને બ્રેક લાગી હતી. પણ હાલમાં કોરોનાના કેસ ગુજરાતની સાથે સાથે દેશમાં પણ વધતા જોવા મળી રહ્યા છે. તેવામાં સાવધાની રાખવી જરુરી છે.