હવે મહેસુલી કામમાં સરળતા : રાજ્યમાં મહેસૂલી નિયમોમાં ધરખમ સુધારા, ગ્રામ્ય વિસ્તાર સહિત બહોળા વર્ગને મોટો ફાયદો

|

Aug 05, 2022 | 10:31 AM

આ પહેલથી જનસામાન્ય માટે મહેસૂલી સેવાઓ (Revenue serivice) વધુ સુલભ બનશે અને ગુડ ગવર્નન્સની દિશામાં ગુજરાત વધુ અગ્રેસર બનશે.

હવે મહેસુલી કામમાં સરળતા : રાજ્યમાં મહેસૂલી નિયમોમાં ધરખમ સુધારા, ગ્રામ્ય વિસ્તાર સહિત બહોળા વર્ગને મોટો ફાયદો
CM Bhupendra Patel

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra patel)  રાજ્યના સામાન્ય માનવીના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને મહેસૂલી નિયમોમાં નીતિવિષયક મહત્વપૂર્ણ સુધારા કર્યા છે.જેમાં સખાવતી હેતુસર જમીન તબદીલી, ટ્રસ્ટને ફાળવેલ સરકારી જમીનના (Government land)કિસ્સામાં સ્પષ્ટતા, રિવાઈઝ્ડ એન.એ. સમયે પુનઃઅભિપ્રાયમાંથી મુક્તિ, વારસાઈમાં પડતી તકલીફમાં નિવારણ, લીસ પેન્ડેન્સીના રજિસ્ટ્રેશન, જેવી મહત્વની બાબતો અંગેના નિયમોમાં સુધારા જેવા મહત્વપૂર્ણ નિર્ણયોનો સમાવેશ થાય છે.આ પહેલથી જનસામાન્ય માટે મહેસૂલી સેવાઓ વધુ સુલભ બનશે અને ગુડ ગવર્નન્સની દિશામાં ગુજરાત વધુ અગ્રેસર બનશે.

હવે માત્ર સ્ટેમ્પ ડ્યુટી જ ભરવાની રહેશે

આ સુધારાને કારણે હવે ખેતીની જમીનમાં સખાવતી હેતુસર કોઈ પણ સરકારી,અર્ધસરકારી અને સ્થાનિક સ્વરાજની સંસ્થામાં પ્રવર્તમાન સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત 1000 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી જ ભરવાની રહેશે. એટલે કે સ્ટેમ્પ ડ્યુટીનું અગાઉ પડતું ભારણ હવે રહેશે નહીં.એટલું જ નહીં, ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ વખતે દીકરીનાં સંતાનોને પણ જંત્રીના 4.90 ટકાની સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે.આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારના આશરે પાંચથી છ લાખ લોકોને તેમ જ શહેરી વિસ્તારના બહોળા વર્ગને મોટો લાભ થશે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

ભાઈ-બહેનોનાં નામો પણ મહેસૂલી રેકર્ડમાં કરી શકાશે

સાથે જ રાજ્ય સરકારે (Gujarat Govt) ટ્રસ્ટને ફાળવેલ સરકારી જમીનના કિસ્સામાં ટ્રસ્ટ એક્ટની કલમ 36 તથા મહેસૂલ વિભાગ અને સરકારની મંજૂરી જરૂરી છે તથા પ્રિમિયમ ભરવા પાત્ર છે, તે મુજબની સ્પષ્ટતા કરવામાં આવી છે.આ સાથે નવી શરતના ગણોત ધારા હેઠળ પિતા-માતાને મળેલી અથવા વારસાઈ હક્કથી ધારણ કરેલી જમીન કે જેમાં માત્ર મોટાભાઈનું નામ ચાલતું હોય તેમનું અવસાન થવાના સંજોગોમાં મહેસૂલી રેકર્ડમાં કાયદેસરની કાર્યવાહી કરીને બાકી રહેતા ભાઈ-બહેનોનાં નામો પણ મહેસૂલી રેકર્ડમાં (revebue record) કરી શકાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી નિયમોમાં (Revenue Rules)કરેલા નીતિવિષયક સુધારા અનુસાર હવે એક હેતુ માટે બિનખેતી મળેલ હોય અને ત્યારબાદ અન્ય હેતુ માટે બિનખેતીની અરજી સમયે પ્રિમિયમ, ઝોનિંગ, જી.ડી.સી.આર., એન.એ. શરતભંગ સિવાય અન્ય કોઈપણ અભિપ્રાયો જરૂરી રહેશે નહીં.ફક્ત જે તે રિવાઈઝ્ડ એન.એ.ના હેતુ માટેનો જ અભિપ્રાય જરૂરી રહેશે. CM એ તલાટી દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારનાં મકાન, ફ્લેટ, દુકાનો, ઓફિસોનાં પેઢીનામા કરવા બાબતે લોકોને સરળતા કરી આપી છે.એટલું જ નહીં વ્યક્તિનું અવસાન વતનના સ્થળ સિવાય અન્ય સ્થળે થાય ત્યારે મૃતકના સ્થાયી વતનના સ્થળના તલાટી દ્વારા પેઢીનામું બનાવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

Published On - 11:26 am, Thu, 4 August 22

Next Article