ગુજરાતમાં કોરોનાના નવા 884 કેસ નોંધાયા, ત્રણ લોકોના મોત
ગુજરાતમાં(Gujarat) કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યા છે. જેમાં 22 જુલાઇના કોરોનાના નવા 884 કેસ નોંધાયા છે. તેમજ કોરોનાના લીધે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે.
ગુજરાતમાં (Gujarat) કોરોનાના(Corona) નવા કેસમાં સતત વધારો થઈ રહ્યા છે. જેમાં 22 જુલાઇના કોરોનાના નવા 884 કેસ નોંધાયા છે. તેમજ કોરોનાના લીધે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે.જેમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં 324, વડોદરામાં 69, સુરતમાં 51, મહેસાણામાં 49, ગાંધીનગરમાં 44, કચ્છમાં 37, ગાંધીનગર જિલ્લામાં 35, રાજકોટમાં 25, સુરતમાં 21, પાટણમાં 20, રાજકોટમાં 20, આણંદમાં 15, સાબરકાંઠા 15, વલસાડમાં 15, ભાવનગરમાં 14, નવસારીમાં 14, બનાસકાંઠામાં 13, ભરૂચમાં 11, દ્વારકામાં 11, જામનગરમાં 08, મોરબીમાં 08, અમરેલીમાં 06, પંચમહાલમાં 05, અરવલ્લીમાં 04, ગીર સોમનાથમાં 04, પોરબંદરમાં 04, વડોદરામાં 04, ખેડામાં 03, તાપીમાં 03, દાહોદમાં 02, ભાવનગરમાં 01 અને જૂનાગઢમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે રાજયનો કોરોના રિકવરી રેટ 98.70 ટકા થયો છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 5279 એ પહોંચ્યા છે. તેમજ આજે કોરોનાથી 770 દર્દીઓ સાજા થયા છે.
કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્રમણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ, ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે.