ગુજરાતમાં(Gujarat) કોરોના(Corona) કેસો હજુ પણ યથાવત છે. જેમાં 10 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 678 કેસ નોંધાયા છે . જયારે ચાર લોકોના કોરોનાના લીધે મૃત્યુ થયા છે. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5321એ પહોંચ્યા છે. જેમાં અમદાવાદમાં(Ahmedabad) 189, વડોદરામાં 61, ગાંધીનગરમાં 41, સુરતમાં 35, વડોદરામાં 33,ગાંધીનગરમાં 28, અમરેલીમાં 26, રાજકોટમાં 26, મોરબીમાં 25, રાજકોટ જિલ્લામાં 24, મહેસાણામાં 23, સુરતમાં 22, કચ્છમાં 17, સાબરકાંઠામાં 17, ભરૂચમાં 15, નવસારીમાં 13, પંચમહાલમાં 10, વલસાડમાં 09, પોરબંદરમાં 08, બનાસકાંઠામાં 07, જામનગરમાં 07, અમદાવાદ જિલ્લામાં 06, ભાવનગરમાં 06, ખેડામાં 06, આણંદમાં 04,જામનગરમાં 04, અરવલ્લીમાં 03, મહિસાગરમાં 03, ભાવનગરમાં 02, ગીર સોમનાથમાં 02, પાટણમાં 02, દાહોદમાં 01, જૂનાગઢમાં 01, સુરેન્દ્રનગરમાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે. જયારે કોરોના રિકવરી રેટ 98.71 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 1082 દર્દીઓ સાજા થયા છે.
કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
જે લોકોને કોરોનાના લક્ષણો હોય તેવા દર્દીઓએ નૈતિક જવાબદારી સમજીને પર્યટન ન કરે અને ઘરે તેવી અપીલ કરાઇ છે. આ ઉપરાંત લોકોને તાત્કાલિક બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરાઇ છે. કોરોના કારણે દેશ અને દુનિયામાં માનસિક, શારીરિક અને આર્થિક રીતે લોકોને ખુબ નુકશાન થયુ છે. જો સાવચેતી નહીં રાખવામાં આવે તો કોરોના ફરી તબાહી મચાવી શકે છે. તેથી યોગ્ય પગલા લઈ, સાવચેતી રાખવી જરુરી છે.