ગુજરાતમાં કોરોનાના નવા 367 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 3012 એ પહોંચી
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જેમાં કોરોનાના નવા 367 કેસ નોંધાયા છે. જેમાં રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3012 થઈ છે.
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જેમાં કોરોનાના નવા 367 કેસ નોંધાયા છે. જેમાં રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3012 થઈ છે. જયારે રાજયમાં કોરોના રિકવરી રેટ 98. 88 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 552 દર્દીઓ સાજા થયા છે. જયારે આજે નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદમાં(Ahmedabad) 138, વડોદરામાં 37, રાજકોટમાં 21, વલસાડમાં 18, સુરતમાં 16, કચ્છમાં 13, સુરત જિલ્લામાં 12, કચ્છમાં 13, ગાંધીનગરમાં 09, નવસારીમાં 09, રાજકોટ જિલ્લામાં 09, જામનગરમાં 08, ગાંધીનગરમાં 07, વડોદરામાં 07, અમરેલીમાં 06, આણંદમાં 06, પંચમહાલમાં 06,ભરૂચમાં 05, મહેસાણામાં 05, સુરેન્દ્રનગરમાં 05, બનાસકાંઠામાં 04, દ્વારકામાં 04, જામનગરમાં 04, અમદાવાદ જિલ્લામાં 03, મહિસાગરમાં 03, સાબરકાંઠામાં 03, ભાવનગરમાં 02, પાટણમાં 02, પોરબંદરમાં 02, દાહોદમાં 01, ખેડામાં 01 અને મોરબીમાં 01 કેસ નોંધાયો છે.
ચોમાસામાં વધારે સાવધાન રહેજો
ગુજરાતમાં દરેક જીલ્લામાં ચોમાસાનો માહોલ યથાવત છે. ત્યારે રોગચારાનો ખતરો પણ તોળાય રહ્યો છે. ઋતુગત બીમારીઓ, સ્વાઈ ફલૂ, ગાયોમાં લમ્પી વાયરય, મંકી પોક્સ મહામારી વચ્ચે લોકોએ વધારે સાવધાન રહેવાની જરુર છે. અને આ બધી બીમારીઓથી બચવા માટે વધારે સાવધાન રહેવાની જરુર છે.
શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત
કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
તહેવારોના સમયે સાવધાન રહેજો
આ મહિનાથી રાજ્યમાં થોડા થોડા દિવસના અંતરે તહેવારો આવી રહ્યા છે. તે બધા વચ્ચે મેળવડાઓ પણ વધશે અને સંક્રમણ વધવાની શક્યતા પણ છે. તેવામાં લોકોએ એક બીજાથી થોડુ અંતર રાખવુ જોઈએ અને કોરોનાથી બચવા માટેના તમામ પગલા ભરવા જોઈએ. ગયા વર્ષે પણ તહેવારોમાં થતા મેળાવડા અને ચૂંટણીઓમાં થતી ભીડને કારણે કોરોના કેસ વધ્યા હતા. તે ઘટના ફરી ન બને તે માટે સાવચેતી રાખવી જરુરી છે.