ગુજરાતમાં (Gujarat)કોરોનાના(Corona)કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 30 ઓકટોબરના રોજ કોરોનાના નવા 85 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 854 થવા પામી છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.07 ટકા થવા પામ્યો છે. તેમજ આજે કોરોનાથી 117 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજ્યમાં આજે નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 20,(Ahmedabad)સુરતમાં 16, વડોદરામાં 07, ગાંધીનગરમાં 05, સુરત જિલ્લામાં 05, નવસારીમાં 04, રાજકોટમાં 04, વલસાડમાં 04, ગાંધીનગરમાં 03, જામનગરમાં 03, સાબરકાંઠામાં 03,બનાસકાંઠામાં 02, મહેસાણામાં 02, ભરૂચમાં 01, ભાવનગરમાં 01, કચ્છમાં 01, પંચમહાલમાં 01, પાટણમાં 01, તાપીમાં 01 અને વડોદરામાં 01 કેસ નોંધાયો છે.
હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. તમામ ગુજરાતીઓ કોરોના મહામારીના લગભગ 2 વર્ષ બાદ મન મૂકીને ગરબા રમી રમ્યા છે. આ વચ્ચે નવરાત્રીના આયોજનમાં ભીડ જમા થઈ છે. જેના કારણે કોરોના સંક્રમણમાં પણ વધારો થઈ શકે છે. તેથી તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી સાવચેત રહેવાની જરુર છે.
Published On - 7:59 pm, Fri, 30 September 22