ગુજરાતમાં કોરોનાના નવા 947 કેસ ત્રણના મોત,એક્ટિવ કેસની સંખ્યા 5992 એ પહોંચી
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સામાન્ય વધારો થયો છે. જેમાં 05 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 947 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસ 5992એ પહોંચ્યા છે
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સામાન્ય વધારો થયો છે. જેમાં 05 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 947 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસ 5992એ પહોંચ્યા છે. જેમાં આજે કોરોનાથી 1198 લોકો સાજા થયા છે. જયારે કોરોના રિકવરી રેટ 98. 65 ટકા થયો છે. જેમાં અમદાવાદમાં 305, વડોદરામાં 106, મહેસાણામાં 89, રાજકોટમાં 63, સુરત જિલ્લામાં 39, વડોદરામાં 34, કચ્છમાં 32, અમરેલીમાં 31, સુરતમાં 27, ગાંધીનગરમાં 20, રાજકોટમાં 20, બનાસકાંઠામાં 19, ભરૂચમાં 15, નવસારીમાં 15, ભાવનગરમાં 12, ગાંધીનગર જિલ્લામાં 12, જામનગરમાં 12, સાબરકાંઠામાં 12, વલસાડમાં 11, અમદાવાદ જિલ્લામાં 11, પોરબંદરમાં 10, આણંદમાં 08, સુરેન્દ્રનગરમાં 07, અરવલ્લીમાં 06, મોરબીમાં 06, પાટણમાં 05, ખેડામાં 04, મહીસાગરમાં 04, તાપીમાં 04, ભાવનગરમાં 02, ગીર સોમનાથમાં 02, પંચમહાલમાં 02, જામનગરમાં 01, જૂનાગઢમાં 01 અને જૂનાગઢ જિલ્લામાં 01 કેસ નોંધાયો છે.
શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત
કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
કોરોનાના લક્ષણો ધરાવતા દર્દી મુસાફરી ન કરે
જે લોકોને કોરોનાના લક્ષણો હોય તેવા દર્દીઓએ નૈતિક જવાબદારી સમજીને પર્યટન ન કરે અને ઘરે તેવી અપીલ કરાઇ છે. આ ઉપરાંત લોકોને તાત્કાલિક બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરાઇ છે. કોરોના કારણે દેશ અને દુનિયામાં માનસિક, શારીરિક અને આર્થિક રીતે લોકોને ખુબ નુકશાન થયુ છે. જો સાવચેતી નહીં રાખવામાં આવે તો કોરોના ફરી તબાહી મચાવી શકે છે. તેથી યોગ્ય પગલા લઈ, સાવચેતી રાખવી જરુરી છે.