ગુજરાત કોરોનાના નવા 599 કેસ, એકનું મૃત્યુ, એક્ટિવ કેસ 4066 થયા

|

Aug 14, 2022 | 7:54 PM

ગુજરાતમાં કોરોનાના( Corona) કેસ યથાવત રહ્યા છે. જેમાં 14 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 599 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4066 થઇ છે. જયારે કોરોના રિકવરી રેટ 98.81 ટકા થયો છે

ગુજરાત કોરોનાના નવા 599 કેસ, એકનું મૃત્યુ, એક્ટિવ કેસ 4066 થયા
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  કેસ યથાવત રહ્યા છે. જેમાં 14 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 599 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4066 થઇ છે. જયારે કોરોના રિકવરી રેટ 98.81 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 737 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદમાં(Ahmedabad)  173, મહેસાણામાં 60, વડોદરા 51, રાજકોટ 34, ગાંધીનગરમાં 30, સુરતમાં 23, વડોદરા જિલ્લામાં 22, ગાંધીનગર જિલ્લામાં 21, અમેરલીમાં 17, સુરત જિલ્લામાં 17, વલસાડમાં 17, કચ્છમાં 14, સાબરકાંઠામાં 14, પાટણમાં 11, પોરબંદરમાં 10, ભરૂચમાં 09, રાજકોટ જિલ્લામાં 09, અરવલ્લીમાં 08, બનાસકાંઠા 08, આણંદમાં 06, મોરબીમાં 06, નવસારીમાં 06, દ્વારકામાં 04, જામનગરમાં 04, અમદાવાદ જિલ્લામાં 03, દાહોદમાં 03, ગીર સોમનાથમાં 03, પંચમહાલમાં 03, તાપીમાં 03, ભાવનગરમાં 02, જામનગર જિલ્લામાં 02, ખેડામાં 02, સુરેન્દ્રનગરમાં 02, ભાવનગરમાં 01 અને છોટા ઉદેપુરમાં 01 કેસ નોંધાયો છે.

તહેવારોના સમયે સાવધાન રહેજો

આ મહિનાથી રાજ્યમાં થોડા થોડા દિવસના અંતરે તહેવારો આવી રહ્યા છે. તે બધા વચ્ચે મેળવડાઓ પણ વધશે અને સંક્રમણ વધવાની શક્યતા પણ છે. તેવામાં લોકોએ એક બીજાથી થોડુ અંતર રાખવુ જોઈએ અને કોરોનાથી બચવા માટેના તમામ પગલા ભરવા જોઈએ. ગયા વર્ષે પણ તહેવારોમાં થતા મેળાવડા અને ચૂંટણીઓમાં થતી ભીડને કારણે કોરોના કેસ વધ્યા હતા. તે ઘટના ફરી ન બને તે માટે સાવચેતી રાખવી જરુરી છે.

કોરોનાના લક્ષણો ધરાવતા દર્દી મુસાફરી ન કરે

જે લોકોને કોરોનાના લક્ષણો હોય તેવા દર્દીઓએ નૈતિક જવાબદારી સમજીને પર્યટન ન કરે અને ઘરે તેવી અપીલ કરાઈ છે. આ ઉપરાંત લોકોને તાત્કાલિક બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરાઈ છે. કોરોના કારણે દેશ અને દુનિયામાં માનસિક, શારીરિક અને આર્થિક રીતે લોકોને ખુબ નુકશાન થયુ છે. જો સાવચેતી નહીં રાખવામાં આવે તો કોરોના ફરી તબાહી મચાવી શકે છે. તેથી યોગ્ય પગલા લઈ, સાવચેતી રાખવી જરુરી છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

 

 

 

 

Next Article