ગુજરાતમાં કોરોનાના નવા 425 કેસ,01 મૃત્યુ, એક્ટિવ કેસની સંખ્યા 3480
ગુજરાતમાં (Gujarat) ધીરે ધીરે કોરોનાના(Corona)કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 16 ઓગષ્ટના રોજ 425 કેસ નોંધાયા છે તેમજ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જયારે કોરોના એક્ટિવ કેસ 3480એ પહોંચ્યા છે. તેમજ કોરોના રિકવરી રેટ 98.96 ટકા થયો છે.
ગુજરાતમાં (Gujarat) ધીરે ધીરે કોરોનાના(Corona)કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 16 ઓગષ્ટના રોજ 425 કેસ નોંધાયા છે તેમજ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જયારે કોરોના એક્ટિવ કેસ 3480એ પહોંચ્યા છે. તેમજ કોરોના રિકવરી રેટ 98.96 ટકા થયો છે. જયારે આજે કોરોનાથી 663 દર્દીઓ સાજા થયા છે. જયારે રાજ્યમાં આજે નોંધાયેલા કેસો પર નજર કરીએ તો અમદાવાદમાં (Ahmedabad)145,રાજકોટમાં 47, વડોદરામાં 43, સુરતમાં 15, અમરેલીમાં 14, સુરત જિલ્લામાં 14, મહેસાણામાં 13, કચ્છમાં 12,વલસાડમાં12, ગાંધીનગર જિલ્લામાં 11, ગાાંધીનગરમાં 10, નવસારીમાં 10,જામનગરમાં 09, રાજકોટ જિલ્લામાં 08, વડોદરા જિલ્લામાં 08, પોરબંદરમાં 07, પાટણમાં 06,અમદાવાદ જિલ્લામાં 05, બનાસકાંઠામાં 05,ભરૂચમાં 04, સુરેન્દ્રનગરમાં 04,તાપીમાં 04,પંચમહાલ 03,સાબરકાંઠા 03, આણંદમાં 02,અરવલ્લીમાં 2,ભાવનગરમાં 02,ખેડામાં 02,મોરબીમાં 02,ગીર સોમનાથમાં 01, જામનગરમાં 01 અને જુનાગઢમાં 01 કેસ નોંધાયો છે.
ગુજરાતમાં દરેક જીલ્લામાં ચોમાસાનો માહોલ યથાવત છે. ત્યારે રોગચારાનો ખતરો પણ તોળાય રહ્યો છે. ઋતુગત બીમારીઓ, સ્વાઈ ફલૂ, ગાયોમાં લમ્પી વાયરય, મંકી પોક્સ મહામારી વચ્ચે લોકોએ વધારે સાવધાન રહેવાની જરુર છે. અને આ બધી બીમારીઓથી બચવા માટે વધારે સાવધાન રહેવાની જરુર છે.
તહેવારોના સમયે સાવધાન રહેજો
આ મહિનાથી રાજ્યમાં થોડા થોડા દિવસના અંતરે તહેવારો આવી રહ્યા છે. તે બધા વચ્ચે મેળવડાઓ પણ વધશે અને સંક્રમણ વધવાની શક્યતા પણ છે. તેવામાં લોકોએ એક બીજાથી થોડુ અંતર રાખવુ જોઈએ અને કોરોનાથી બચવા માટેના તમામ પગલા ભરવા જોઈએ. ગયા વર્ષે પણ તહેવારોમાં થતા મેળાવડા અને ચૂંટણીઓમાં થતી ભીડને કારણે કોરોના કેસ વધ્યા હતા. તે ઘટના ફરી ન બને તે માટે સાવચેતી રાખવી જરુરી છે.
કોરોનાના લક્ષણો ધરાવતા દર્દી મુસાફરી ન કરે
જે લોકોને કોરોનાના લક્ષણો હોય તેવા દર્દીઓએ નૈતિક જવાબદારી સમજીને પર્યટન ન કરે અને ઘરે તેવી અપીલ કરાઈ છે. આ ઉપરાંત લોકોને તાત્કાલિક બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરાઈ છે. કોરોના કારણે દેશ અને દુનિયામાં માનસિક, શારીરિક અને આર્થિક રીતે લોકોને ખુબ નુકશાન થયુ છે. જો સાવચેતી નહીં રાખવામાં આવે તો કોરોના ફરી તબાહી મચાવી શકે છે. તેથી યોગ્ય પગલા લઈ, સાવચેતી રાખવી જરુરી છે.