Gandhinagar: રાજ્યમાં નવી કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે રૂપિયા 683 કરોડની મંજૂરી અપાઇ

ગુજરાતના (Gujarat) કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ(Rajendra Trivedi)જણાવ્યુ છે કે, કોર્ટ બિલ્ડીંગ(Court Building) તથા ન્યાયિક અધિકારીઓ અને કર્મચારીઓના સ્ટાફ કવાર્ટસ માટે છેલ્લા એક વર્ષમાં ન્યાયતંત્રને માળખાકીય સુવિધા મળી રહે તે માટે નવી કોર્ટ બિલ્ડિંગના બાંધકામ કુલ રૂપિયા 683.30 કરોડની વહીવટી મંજૂરી તાજેતરમાં આપવામાં આવી છે.

Gandhinagar: રાજ્યમાં નવી કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે રૂપિયા  683 કરોડની મંજૂરી અપાઇ
Gujaerat Law Minister Rajendra TrivediImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2022 | 4:32 PM

ગુજરાતના (Gujarat) કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ(Rajendra Trivedi)જણાવ્યુ છે કે, કોર્ટ બિલ્ડીંગ(Court Building) તથા ન્યાયિક અધિકારીઓ અને કર્મચારીઓના સ્ટાફ કવાર્ટસ માટે છેલ્લા એક વર્ષમાં ન્યાયતંત્રને માળખાકીય સુવિધા મળી રહે તે માટે નવી કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે વિભાગની ચાલુ વર્ષની રૂપિયા 1740 કરોડની કુલ બજેટ જોગવાઈ સામે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂપિયા 683.30 કરોડની વહીવટી મંજૂરી તાજેતરમાં આપવામાં આવી છે. તેમણે કહ્યુ કે, અંદાજીત રૂપિયા 100 કરોડના ખર્ચે રાજયના વિવિધ તાલુકા–જીલ્લા મથકોએ બહુમાળી પ્રકારના કોર્ટ બિલ્ડીંગ તૈયાર થયા છે, જેમા ખંભાળીયા, જી.દેવભૂમિ દ્વારકા, રાજપીપળા, ગાંધીધામ, આંકલાવ, વડોદરા જીલ્લાના દેસર તેમજ પંચમહાલ જીલ્લાના હાલોલ કોર્ટ બિલ્ડીંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજયના વિવિધ-17 જીલ્લા- તાલુકા મથકે કુલ રૂપિયા 435 કરોડના ખર્ચે કોર્ટ બિલ્ડીંગ તૈયાર થનાર છે.

દાહોદ જિલ્લાના ઝાલોદ અને ભાવનગર જિલ્લા કોર્ટ બિલ્ડિંગના નિર્માણની મંજૂરીનો સમાવેશ

જેમાં ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, સુત્રાપાડા, રાજકોટ જિલ્લાના ભાયાવદર, ફેમીલી કોર્ટ અમદાવાદ, કડાણા, ગોધરા, ઉમરાળા, ટંકારા, સાણંદ, માંડલ, હિંમતનગર, છોટાઉદેપુર જિલાના કવાંટ, તાપી જિલ્લાના ઉચ્છલ, સાબરકાંઠા જિલ્લાના વિજયનગર, દાહોદ જિલ્લાના ઝાલોદ અને ભાવનગર જિલ્લા કોર્ટ બિલ્ડિંગના નિર્માણની મંજૂરીનો સમાવેશ થાય છે.

કર્મચારીઓના રહેણાંક મકાનોના બાંધકામ તૈયાર કરવામાં આવશે

મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્ય સરકાર ન્યાયાલયો સાથે ન્યાયાધીશો તથા સ્ટાફની પણ ચિંતા કરે છે. તેમને પણ આધુનિક અને વ્યવસ્થિત આયોજનયુક્ત સુવિધા પુરી પાડવા માટે સરકાર સુસજ્જ છે. જેથી વિવિધ 20 તાલુકા-જીલ્લા મથક ખાતે ન્યાયાધિશો તથા સ્ટાફને રહેઠાણની સુવિધા પૂરતા પ્રમાણમાં મળે તે માટે કુલ રૂપિયા 57 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં સિદસર, રાજકોટ, સિનોર, ધોળકા, માંડલ, કડાણા, ગોધરા, પ્રાંતિજ, ઉચ્છલ, કરજણ, ડભોઈ, દેદિયાપાડા, થરાદ અને હિંમતનગર ખાતે ન્યાયિક અધિકારી તથા કર્મચારીઓના રહેણાંક મકાનોના બાંધકામ તૈયાર કરવામાં આવશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ બદલી થઈને આવેલ ન્યાયાધીશોને તાત્કાલીક રહેઠાણના આવાસ મળે તે હેતુથી અમદાવાદ ખાતે કોમનપુલના આવાસોમાંથી ન્યાયાધિશો માટે કુલ 104 આવાસો ઈયરમાર્ક કરી હાઈકોર્ટને હસ્તક સોંપાયા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">