AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: નલ સે જલ યોજના હેઠળ પંચમહાલમાં 1217 વસાહતોનો કરાયો સમાવેશ, 182 વસાહતોની કામગીરી કરાઈ પૂર્ણ

Gandhinagar: નલ સે જલ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઘરે ઘરે શુદ્ધ પીવાનુ પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે. જેમાં છેવાડાના ગામોમાં પણ નલ સે જલ યોજનાની કામગીરી ચાલી રહી છે. ત્યારે પંચમહાલ જ જિલ્લામાં નલ સે જલ યોજના હેઠળ કુલ 1399માંથી 1217 વસાહતોનો સમાવેશ કરાયો છે.

Gandhinagar: નલ સે જલ યોજના હેઠળ પંચમહાલમાં 1217 વસાહતોનો કરાયો સમાવેશ, 182 વસાહતોની કામગીરી કરાઈ પૂર્ણ
Kinjal Mishra
| Edited By: | Updated on: May 11, 2023 | 11:34 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘નલ સે જલ’ યોજના હેઠળ ગુજરાતના છેવાડાના નાગરિક સુધી પીવાનું શુદ્ધ પાણી નળ દ્વારા પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લામાં 631 ગામ અને 768 ફળીયા મળી કુલ 1399 વસાહતો આવેલી છે. જે પૈકી નલ સે જલ યોજના અંતર્ગત 1217 વસાહતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે 182 વસાહતોની આ યોજના પૂર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. નલ સે જલ યોજના અંતર્ગત કુલ 1217 વસાહતો પૈકી 990 વસાહતોમાં યોજના કાર્યરત છે.

182 વસાહતોની સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

આ સિવાય 95 વસાહતોની યોજનાઓ ઓપરેટરના કારણે, 93 વસાહતો વીજ જોડાણના કારણે, 9 વસાહતોમાં જુથ યોજના પાણી અનિયમીત મળવાને કારણે, 30 વસાહતોમાં પાણીના સ્ત્રોત સુકાઇ જવા અથવા આવરો ઓછો થવાના કારણે કાર્યરત નથી. જ્યારે બાકી રહેતી 182 વસાહતોમાં સર્વેની કામગીરી પ્રગતિ હેઠળ છે જે બનતી ત્વરાએ પૂર્ણ કરાશે. મોટાભાગની કામગીરી જે તે ગ્રામ પંચાયતની પાણી સમિતિ દ્વારા જ કરવામાં આવી છે તેમ, પાણી પુરવઠા બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો: નલ સે જલ યોજનાને જામનગરમાં મળ્યો વેગ, 3 વર્ષમાં 7000 જોડાણ આપ્યા બાદ, આ વર્ષે નવા 3000 જોડાણ અપાશે

પંચમહાલમાં 87 ગામોમાં નલ સે જલ યોજના અંતર્ગત પાણી પહોંચાડવામાં આવ્યુ

વધુમાં પંચમહાલ જિલ્લાના શહેરા અને ગોધરા તાલુકાના 87 ગામ અને 116 ફળીયા એમ કુલ 203 વસાહતો પૈકી 104 વસાહતોમાં નલ સે જલ યોજના અંતર્ગત પાણી પહોંચાડવામાં આવે છે. જયારે ઓપરેટરના કારણે 49 વસાહતો, વીજ જોડાણના કારણે 10 વસાહતો, પંપીંગ મશીનરીના કારણે 7 વસાહતો, પાણીના સ્ત્રોત સુકાઇ જવા અથવા આવરો ઓછો થવાના કારણે 15 વસાહતો અને પાઈપ લાઈનના કારણે 18 વસાહતોમાં આ યોજના કાર્યરત નથી તેમ, બોર્ડની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">