AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: નલ સે જલ યોજના હેઠળ પંચમહાલમાં 1217 વસાહતોનો કરાયો સમાવેશ, 182 વસાહતોની કામગીરી કરાઈ પૂર્ણ

Gandhinagar: નલ સે જલ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઘરે ઘરે શુદ્ધ પીવાનુ પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે. જેમાં છેવાડાના ગામોમાં પણ નલ સે જલ યોજનાની કામગીરી ચાલી રહી છે. ત્યારે પંચમહાલ જ જિલ્લામાં નલ સે જલ યોજના હેઠળ કુલ 1399માંથી 1217 વસાહતોનો સમાવેશ કરાયો છે.

Gandhinagar: નલ સે જલ યોજના હેઠળ પંચમહાલમાં 1217 વસાહતોનો કરાયો સમાવેશ, 182 વસાહતોની કામગીરી કરાઈ પૂર્ણ
Kinjal Mishra
| Edited By: | Updated on: May 11, 2023 | 11:34 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘નલ સે જલ’ યોજના હેઠળ ગુજરાતના છેવાડાના નાગરિક સુધી પીવાનું શુદ્ધ પાણી નળ દ્વારા પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લામાં 631 ગામ અને 768 ફળીયા મળી કુલ 1399 વસાહતો આવેલી છે. જે પૈકી નલ સે જલ યોજના અંતર્ગત 1217 વસાહતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે 182 વસાહતોની આ યોજના પૂર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. નલ સે જલ યોજના અંતર્ગત કુલ 1217 વસાહતો પૈકી 990 વસાહતોમાં યોજના કાર્યરત છે.

182 વસાહતોની સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

આ સિવાય 95 વસાહતોની યોજનાઓ ઓપરેટરના કારણે, 93 વસાહતો વીજ જોડાણના કારણે, 9 વસાહતોમાં જુથ યોજના પાણી અનિયમીત મળવાને કારણે, 30 વસાહતોમાં પાણીના સ્ત્રોત સુકાઇ જવા અથવા આવરો ઓછો થવાના કારણે કાર્યરત નથી. જ્યારે બાકી રહેતી 182 વસાહતોમાં સર્વેની કામગીરી પ્રગતિ હેઠળ છે જે બનતી ત્વરાએ પૂર્ણ કરાશે. મોટાભાગની કામગીરી જે તે ગ્રામ પંચાયતની પાણી સમિતિ દ્વારા જ કરવામાં આવી છે તેમ, પાણી પુરવઠા બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો: નલ સે જલ યોજનાને જામનગરમાં મળ્યો વેગ, 3 વર્ષમાં 7000 જોડાણ આપ્યા બાદ, આ વર્ષે નવા 3000 જોડાણ અપાશે

પંચમહાલમાં 87 ગામોમાં નલ સે જલ યોજના અંતર્ગત પાણી પહોંચાડવામાં આવ્યુ

વધુમાં પંચમહાલ જિલ્લાના શહેરા અને ગોધરા તાલુકાના 87 ગામ અને 116 ફળીયા એમ કુલ 203 વસાહતો પૈકી 104 વસાહતોમાં નલ સે જલ યોજના અંતર્ગત પાણી પહોંચાડવામાં આવે છે. જયારે ઓપરેટરના કારણે 49 વસાહતો, વીજ જોડાણના કારણે 10 વસાહતો, પંપીંગ મશીનરીના કારણે 7 વસાહતો, પાણીના સ્ત્રોત સુકાઇ જવા અથવા આવરો ઓછો થવાના કારણે 15 વસાહતો અને પાઈપ લાઈનના કારણે 18 વસાહતોમાં આ યોજના કાર્યરત નથી તેમ, બોર્ડની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
માંગરોળમાં 22 ઈંચ વરસાદ ખાબકી જતા લોકોના ઘરોમાં ઘુસ્યા પાાણી-જુઓ Video
માંગરોળમાં 22 ઈંચ વરસાદ ખાબકી જતા લોકોના ઘરોમાં ઘુસ્યા પાાણી-જુઓ Video
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
g clip-path="url(#clip0_868_265)">