ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 06 ઓકટોબરના રોજ કોરોનાના નવા 69 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામા સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં આજે કોરોનાના 110 દર્દીઓ સાજા થતા કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 680 થઇ છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.08 ટકા થયો છે. જેમાં ગુજરાતમાં આજે નોંધાયેલા નવા કેસની પર નજર કરીએ તો અમદાવાદમાં 24,(Ahmedabad) સુરતમાં 12, વડોદરામાં 05, મહેસાણામાં 04, બનાસકાંઠામાં 03, રાજકોટમાં 03, સુરત જિલ્લામાં 03, વલસાડમાં 03, નવસારીમાં 02, સાબરકાંઠામાં 02, વડોદરા જિલ્લામાં 02, અમરેલીમાં 01, દાહોદમાં 01, અને ગાંધીનગરમાં 01 કેસ નોંધાયો છે.
દિવાળી જેવા તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી, સાવચેત રહેવાની જરુર છે. આવનારા સમયમાં દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે. તેમાં પણ તમામ પ્રકારની સાવધાની રાખવી જરુરી છે.
કોરોનાથી બચવા કોરોના નિયમોનું પાલન કરવું પણ એટલું જરુરી છે. તેની મદદથી જ ભારત કોરોના મહામારીમાંથી બહાર નીકળવામાં સફળ થયું છે. સરકારે લોકોને વેક્સીન લેવા માટે પણ વિંનતી કરી છે. જેથી કોરોનાને ઝડપથી નાબૂદ કરી શકાય. તેના માટે આખા ગુજરાતમાં વેક્સીનેશન સેન્ટર આજદિન સુધી કાર્યરત છે.
Published On - 8:14 pm, Thu, 6 October 22