AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : MLA ગેનીબેન ઠાકોરે ગુજરાત વિધાનસભામાં ઉઠાવ્યો 33 ટકા મહિલા અનામતનો મુદ્દો, ઋષિકેશ પટેલે આપ્યો આ જવાબ

કોંગ્રેસના (Congress) ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે દેશભરની મહિલાઓ વતી પીએમ મોદીને મહિલા અનામત માટે રજૂઆત કરી. ગેનીબેન ઠાકોરનો તર્ક છે કે કેન્દ્રની ભાજપ સરકાર પાસે બહુમતીને પગલે સરળતાથી મહિલા અનામતને મંજૂરી મળી રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2023 | 4:53 PM
Share

ફરી એકવાર રાજ્યમાં મહિલા અનામતની માગ ઉઠી છે. આ માગ ગુજરાત વિધાનસભામાં પણ ગૂંજી છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિધાનસભામાં મહિલા અનામતનો મુદ્દે ઉછાળ્યો છે. ગેનીબેન ઠાકોરે મહિલા અનામત મુદ્દે કોંગ્રેસ સરકારની પીઠ થાબડતા દાવો કર્યો કે, કોંગ્રેસની UPA સરકારના રાજમાં રાજ્યસભામાં રાજીવ ગાંધીએ મહિલા અનામતનો ખરડો લાવ્યા હતા. ગેનીબેન ઠાકોરે માગ કરી કે જો પીએમ મોદી મહિલાઓના વિકાસની વાત કરતા હોય તો તેઓએ મહિલાઓને અનામતનો ન્યાય અપાવવો જોઇએ.

ગેનીબેન ઠાકોરે 33 ટકા અનામત અંગે કરી માગ

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે દેશભરની મહિલાઓ વતી પીએમ મોદીને મહિલા અનામત માટે રજૂઆત કરી. ગેનીબેન ઠાકોરનો તર્ક છે કે કેન્દ્રની ભાજપ સરકાર પાસે બહુમતીને પગલે સરળતાથી મહિલા અનામતને મંજૂરી મળી રહેશે. વડાપ્રધાન મહિલાઓને પ્રોત્સાહીય કરવાની વાત કરતા હોય તો અનામત આપવી પડે. અત્યારે બહુમતી વાળી સરકાર કેન્દ્રમાં છે ત્યારે મહિલાઓને અનામત આપે. હું ભારતની મહિલાઓ વતી અનામત માટે વડાપ્રધાનને રજુઆત કરું છું.

અનામતની માગ અંગે ઋષિકેશ પટેલે આપ્યો જવાબ

તો બીજી તરફ મહિલા અનામતની માગના ગેનીબેન ઠાકોરના નિવેદન મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ પ્રતિક્રિયા આપી. ઋષિકેશ પટેલે કટાક્ષમાં કહ્યું કે ભાજપ પહેલા કોંગ્રેસની જ સરકાર હતી. તેમણે ઉમેર્યું કે ભાજપ સરકારના રાજમાં ગ્રામ્ય સ્તરે મહિલાઓને અનામત રૂપી હક મળ્યો. તેઓએ દાવો કર્યો કે, નોકરી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને અનામતની શરૂઆત ભાજપ સરકારે જ કરી હતી. ઋષિકેશ પટેલે કહ્યું કે ભાજપ સરકાર જ મહિલાઓના મુદ્દાઓની સતત ચિંતા કરે છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">