AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમિત શાહ આજે સાંજે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે, વિવિધ લોકાર્પણો સાથે સહકારી આગેવાનો સાથે બેઠકો કરશે

2022ની ચૂંટણીના સંદર્ભે અમિત શાહ સહકારી આગેવાનો સાથે 3 અલગ અલગ બેઠક કરશે અને સહકારી આગેવાનોને ચૂંટણીની રણનીતિ માટે તૈયાર કરાશે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સહકારી ક્ષેત્ર પૂરક ભૂમિકામાં હશે.

અમિત શાહ આજે સાંજે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે, વિવિધ લોકાર્પણો સાથે સહકારી આગેવાનો સાથે બેઠકો કરશે
Amit Shah - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 6:35 AM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) 2022ની ચૂંટણીમાં ઐતિહાસિક રિઝલ્ટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. જેથી ભાજપના કેન્દ્રીય નેતાઓનો ગુજરાત પ્રવાસ પણ વધી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) ફરીથી ગુજરાત પ્રવાસે આવી પહોંચશે. અમિત શાહ આજે રાત્રે લગભગ 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમિત શાહ 10 અને 11 એપ્રિલે બે દિવસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

બે દિવસના પ્રવાસમાં અમિત શાહ 9 એપ્રિલે મોડી રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. તેઓ 10 અને 11 એપ્રિલે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે 10 એપ્રિલે ગાંધીનગરમાં નવનિર્મિત ગુજકોમાસોલ ભવનનું લોકાર્પણ (inauguration) કરશે. ત્યારબાદ તેઓ ગુજકોમાસોલના અધિકારીઓ સાથે બેઠક કરી ચર્ચા કરશે. ત્યાર બાદ નડાબેટ નજીક સીમા દર્શન પ્રોજેકટનું લોકાર્પણ કરશે. કરોડોના ખર્ચે ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન પ્રોજેકટ બનાવ્યો છે. વાઘા બોર્ડરની તર્જ પર આ પ્રોજેક્ટ વિકસાવાયો છે. ગૃહમંત્રી અમિત શાહ સાથે મુખ્યમંત્રી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 2022ની ચૂંટણીના સંદર્ભે અમિત શાહ સહકારી આગેવાનો (co-operative leaders) સાથે 3 અલગ અલગ બેઠક કરશે અને સહકારી આગેવાનોને ચૂંટણીની રણનીતિ માટે તૈયાર કરાશે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સહકારી ક્ષેત્ર પૂરક ભૂમિકામાં હશે.

15 દિવસમાં બીજી વાર ગુજરાત પ્રવાસ

ફરી એકવાર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવશે. પંદર દિવસમાં બીજીવાર અમિત શાહનો ગુજરાત પ્રવાસ થવાનો છે. 10 અને 11 એપ્રિલે અમિત શાહ ગુજરાતના પ્રવાસે રહેશે. ગાંધીનગરમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના કાર્યક્રમમાં હાજર રહેશે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પણ એક કાર્યક્રમમાં હાજર રહેશે તો બાવળામાં કેન્દ્ર સરકારની યોજના અંગેના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આદર્શ ગામ અંતર્ગત ગામોના વિકાસ અંગે સંબોધન કરશે. આ કાર્યક્રમમાં સહકારી આગેવાનો અને સરપંચો હાજર રહેશે.

આ પણ વાંચોઃ Kutch: ગુજરાતી મહિલાનું અનોખુ સાહસ, પ્લાસ્ટિક મુક્ત વિશ્વ સાથે રોજગારીનું પણ સર્જન

આ પણ વાંચોઃ Ambaji ખાતે દેશના સૌથી મોટા લાઈટ એન્ડ લેઝર શૉનું ઉદ્ઘાટન કરાયું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">