GANDHINAGAR : આવતીકાલથી મહારસીકરણ અભિયાન, 45 વર્ષથી વધુ વયના તમામને રસી મળશે

GANDHINAGAR : ગુજરાતમાં કોરોના મહામારી સામેનો જંગ જીતવા આવતીકાલથી મહા રસીકરણ અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે. 45 વર્ષથી વધુ વયના તમામ લોકોને આવતીકાલથી કોરોનાની રસી મળશે.

| Updated on: Mar 31, 2021 | 7:28 PM

GANDHINAGAR : ગુજરાતમાં કોરોના મહામારી સામેનો જંગ જીતવા આવતીકાલથી મહા રસીકરણ અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે. 45 વર્ષથી વધુ વયના તમામ લોકોને આવતીકાલથી કોરોનાની રસી મળશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકોને મોટી સંખ્યામાં કોરોના રસી મુકાવવા આગ્રહ કર્યો. મુખ્યપ્રધાને સામાજિક, ધાર્મિક સંસ્થાઓ, NGO, રાજકીય પક્ષોને રસીકરણ માટે આગળ આવવા અપીલ કરી. દેશમાં રસીકરણ મુદ્દે ગુજરાત અગ્રેસર છે. રાજ્યમાં 55 લાખથી વધુ લોકોને કોરોના રસી અપાઈ ચુકી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકોને રસીકરણની સાથે જ માસ્ક પહેરવા પણ આગ્રહ કર્યો છે.

 

મુખ્યપ્રધાને આ નિમિતે જણાવ્યું કે કોરોના રસી લઇને પરિવારને સ્વસ્થ રાખીએ, ગુજરાત કોરોના વેક્સિનેશન અભિયાનમાં અગ્રેસર હોવાનું પણ મુખ્યપ્રધાને ઉમેર્યું છે. ભારતમાં આશરે 6 કરોડ લોકોએ વેક્સિન લીધી હોવાનું સીએમએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં 6000 કોરોના રસીકરણ કેન્દ્રો પર 1 લાખ 50 હજારથી વધારે આરોગ્ય કર્મચારીઓ આ અભિયાનમાં જોડાયેલા છે. 31 માર્ચ સુધીમાં ગુજરાતમાં 55 લાખ લોકોને સુરક્ષિત રીતે કોરોનાના ડોઝ આપ્યા હોવાનો પણ સીએમએ ઉલ્લેખ કર્યો છે. આવતીકાલે રાજયના 2500 કેન્દ્રો પર કોરોના વેક્સિનેશન આપવામાં આવશે. ત્યારે ગુજરાતના લોકોને વેક્સિન લેવા મુખ્યપ્રધાન સીએમ રૂપાણીએ આગ્રહ કર્યો છે.

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">