AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધી આશ્રમના રી-ડેવલોપમેન્ટ મુદ્દે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીની હાઇકોર્ટમાં અરજી

આશ્રમમાં સરકાર હસ્તક્ષેપ કરી શકે નહીં તેવી પણ તુષાર ગાંધીએ રજુઆત કરી છે. સરકાર આશ્રમને હસ્તગત કરી રહી છે તે ગેરકાયદે હોવાની રજુઆત કરી છે. આશ્રમના બંધારણમાં ઠેરવ્યું છે કે સરકાર હસ્તક્ષેપ કરી શકે નહીં.

ગાંધી આશ્રમના રી-ડેવલોપમેન્ટ મુદ્દે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીની હાઇકોર્ટમાં અરજી
Gandhiji's great grandson Tushar Gandhi's petition in the High Court on the issue of re-development of Gandhi Ashram
Dipen Padhiyar
| Edited By: | Updated on: Oct 28, 2021 | 6:45 PM
Share

ગાંધી આશ્રમના રીડેવલોપમેન્ટનો મુદ્દો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઇકોર્ટમાં અરજી કરી છે. ગાંધી આશ્રમ ઐતિહાસિક ધરોહર હોવાથી રિડેવલોપમેન્ટ ના થઇ શકે તેવી રજુઆત કરી છે. આશ્રમનું રિડેવલોપમેન્ટ કરવાથી ગાંધીજીના સિદ્ધાંતોનું હનન થશે અને ગાંધીવાદીઓની લાગણી દુભાશે તેવી રજુઆત કરાઈ છે.

ગાંધીજીના સાબરમતી આશ્રમના રિડેવલોપમેન્ટ સામે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી મેદાને આવ્યા છે. ગાંધી આશ્રમનું રિડેવલોપમેન્ટ ના કરવા માટે તુષાર ગાંધીએ હાઇકોર્ટમાં અરજી કરી છે. ગાંધી આશ્રમ ઐતિહાસિક ધરોહર હોવાથી રિડેવલોપમેન્ટ ના થઇ શકે તેવી રાજુઆત કરી છે. ગાંધી આશ્રમનું મૂળ સ્વરૂપ બદલાશે તો ગાંધીવાદીઓની લાગણી દુભાશે. જો ગાંધી આશ્રમના મૂળ સ્વરૂપમાં ફેરફાર થશે તો ગાંધી આશ્રમનું મૂલ્ય ઘટી જશે.

આશ્રમમાં સરકાર હસ્તક્ષેપ કરી શકે નહીં તેવી પણ તુષાર ગાંધીએ રજુઆત કરી છે. સરકાર આશ્રમને હસ્તગત કરી રહી છે તે ગેરકાયદે હોવાની રજુઆત કરી છે. આશ્રમના બંધારણમાં ઠેરવ્યું છે કે સરકાર હસ્તક્ષેપ કરી શકે નહીં. આ અંગે ગાંધીજીના વણાટગુરૂ રામજી બઢીયાના પ્રપૌત્ર જનેશ બઢીયાએ જણાવ્યું હતું કે ગાંધી આશ્રમનું રિડેવલોપમેન્ટ કરવું યોગ્ય નથી.ગાંધીજીના વિચારો સમગ્ર વિશ્વ સુધી ફેલાયેલા છે.

ગાંધી આશ્રમના રિડેવલોપમેન્ટ માટે કેન્દ્ર સરકારે 1200 કરોડ રૂપિયાનો પ્રોજેકટ શરૂ કર્યો છે. જેમાં વિશ્વસ્તરીય મુય્ઝિયમ તેમજ અદ્યતન ઓડિયો-વિઝ્યુલ લાયબ્રેરી સાથે આ નવવિકસિત સંકુલની સાથે આશ્રમના મકાનોને હેરિટેજ સ્વરૂપ આપવામાં આવશે. સાબરમતી આશ્રમની વર્લ્ડ ક્લાસ ફેસિલિટી માટેનો આખો મેપ તૈયાર થઈ ગયો છે. સાથે સમગ્ર વિસ્તારને સાયલન્ટ ઝોન પણ બનાવવામાં આવશે. 264 આશ્રમવાસીઓના સ્થળાંતર માટે વિશેષ પેકેજ આપવામાં આવ્યું છે.

264 આશ્રમવાસીઓમાંથી 121 આશ્રમવાસીઓને 60-60 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. જ્યારે 107 આશ્રમવાસીઓને આશ્રમ નજીક મકાન આપવામાં આવ્યા છે. સ્થાનિક સંકલન સમિતિએ તુષાર ગાંધીની અરજી સામે વિરોધ કર્યો છે. આશ્રમવાસીઓ ગાંધી આશ્રમના રિડેવલોપમેન્ટની તરફેણમાં છે. આશ્રમવાસીઓનું કહેવું છે કે સરકાર દલિત આશ્રમવસીઓની પડખે આવી છે. આશ્રમવાસીઓને મકાન આપ્યા છે.

અગાઉ આશ્રમવાસીઓને અન્યત્ર ખસેડવા અંગે આશ્રમવાસીઓ વિરોધ કરી રહ્યા હતા. પરંતુ સરકારે સ્થાનિક આશ્રમવાસીઓની સંકલન સમિતિ બનાવી સ્થળાંતર માટે વિશેષ પેકેજ આપ્યું. ત્યારે તુષાર ગાંધીએ કરેલી અરજીમાં એવી રજુઆત કરાઈ છે કે વર્ષોથી આશ્રમમાં રહેતા આશ્રમવાસીઓને અન્યત્ર ખસેડવા ગેરબંધારણીય છે. ગાંધીવાદીઓ ગાંધી આશ્રમના રિડેવલોપમેન્ટનો વિરોધ કરી રહ્યા છે. જયારે આશ્રમવાસીઓ ગાંધી આશ્રમના રિડેવલોપમેન્ટની તરફેણ કરી રહ્યા છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">