AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત: રઘુવીર કોમ્પ્લેક્ષમાં ફરી આગના લપકારા દેખાયા, આગના 28 કલાક છતાં નથી મેળવાયો કાબૂ

સુરતના રઘુવીર સિલિયમ કોમ્પ્લેક્સમાં લાગેલી આગ હજુ પણ સંપૂર્ણપણે કાબૂમાં નથી આવી. કાપડના મટિરિયલમાં રહી રહીને હજુ પણ આગ ભભૂકી રહી છે. ફાયર બ્રિગેડના જવાનો કલાકોથી ખડેપગે છે અને પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લેવા પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે બીજીતરફ સુરતના કલેક્ટરે મુખ્યપ્રધાનને રિપોર્ટ સોંપ્યો છે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

સુરત: રઘુવીર કોમ્પ્લેક્ષમાં ફરી આગના લપકારા દેખાયા, આગના 28 કલાક છતાં નથી મેળવાયો કાબૂ
| Updated on: Jan 22, 2020 | 5:32 AM
Share

સુરતના રઘુવીર સિલિયમ કોમ્પ્લેક્સમાં લાગેલી આગ હજુ પણ સંપૂર્ણપણે કાબૂમાં નથી આવી. કાપડના મટિરિયલમાં રહી રહીને હજુ પણ આગ ભભૂકી રહી છે. ફાયર બ્રિગેડના જવાનો કલાકોથી ખડેપગે છે અને પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લેવા પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે બીજીતરફ સુરતના કલેક્ટરે મુખ્યપ્રધાનને રિપોર્ટ સોંપ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બિલ્ડિંગનું બીયુસી રદ કર્યા બાદ આજે ઈમારતનો પ્લાન પણ રદ કરાયો છે. બિલ્ડિંગમાં કૂલિંગની કામગીરી ચાલી રહી છે. પ્રાથમિક તારણ પ્રમાણે આ આગ શોર્ટસર્કિટથી આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના કારણે બિલ્ડિંગના સ્ટ્રક્ચરને પણ મોટું નુક્સાન થયું છે. મ્યુનિસિપલ કમિશનરનો દાવો છે કે બિલ્ડિંગના સ્ટ્રક્ચરનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને જરૂર લાગશે તો બિલ્ડિંગ તોડી પાડવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જ્યારે વીજ કનેક્શનના પુરાવાઓની તપાસ કરવાના આદેશ પણ અપાયા છે. બંછાનિધીએ કહ્યું કે બિલ્ડિંગના સ્ટ્રક્ચર માટે રિપોર્ટ તૈયાર કરી ડિમોલિશન કરવું કે નહીં તેના પર નિર્ણય લેવામાં આવશે. આજે તંત્ર, બિલ્ડર અને આર્કિટેક્ટ એસોસિએશન સાથે બેઠકમાં ચર્ચા કરીને બિલ્ડિંગના એલિવેશન બાબતે નિર્ણય લેવામાં આવશે. ઈમારતનું બીયુસી તો ગઈકાલે જ રદ કરવામાં આવ્યું હતું. આજે બિલ્ડિંગનો પ્લાન પણ રદ કરવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">