DEVBHUMI DWARKA : દર વર્ષે જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ જગતમંદિર પર કોની ધજા ચડે છે ? જાણો અહીં

Dwarkadhish temple : દ્વારકાધીશના મુખ્ય મંદિર 150 ફુટના શિખર પર ભકતો દ્વારા 52 ગજની ધજાજી ચડાવવામાં આવે છે. ભગવાન દ્રારકાધીશને બહારની કોઈ વસ્તુ કે પ્રસાદ ચડાવતો નથી.

DEVBHUMI DWARKA : દર વર્ષે  જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ જગતમંદિર પર કોની ધજા ચડે છે ? જાણો અહીં
Every year on the day of Janmashtami, the flag by a Mumbai merchant is hoisted at the Dwarkadhish temple
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Aug 30, 2021 | 3:34 PM

DEVBHUMI DWARKA : યાત્રાધામ દ્વારકામાં આવેલા જગતમંદિર દ્વારકાધીશના મુખ્ય મંદિર પર દિવસની પાંચ ધજાજી ચડે છે. દ્વારકાધીશના મુખ્ય મંદિર 150 ફુટના શિખર પર ભકતો દ્વારા 52 ગજની ધજાજી ચડાવવામાં આવે છે. ભગવાન દ્રારકાધીશને બહારની કોઈ વસ્તુ કે પ્રસાદ ચડાવતો નથી. મંદિરના શિખર પર ધજાજી ચડાવવામાં આવે છે. આ ધજાજી ચડાવવા માટે અગાઉથી બુંકીગ કરવામાં આવે છે. ધજાજીની નોંધણી ગુગળી બ્રાહ્મણ ટ્રસ્ટની કચેરીમાં થાય છે. આદિકાળથી પરંપરાગત ગુગળી બ્રાહ્મણને હક મળેલ છે.

2024 સુધીની ધજાજીનું બુકીંગ થઇ ગયું છે હાલ સુધીમાં 2024 સુધીની ધજાજીનુ બુકીંગ થયેલ છે. સાથે જ અંદાજે 200 જેટલી કાયમી ધજાજીનુ બુકીંગ થયેલ છે. એટલે કે નિયત દિવસે તારીખ કે તિથી મુજબની દર વર્ષનુ ધજાજીનુ બુકીંગ થયેલ છે. દિવસની પાંચ ધજાજી ચડાવવામાં આવે છે. જેમાંથી ચોથી ધજાજીનું તત્કાલ અને અગાઉ બુકીંગ થતુ નથી. તે નિયત દિવસના થોડા દિવસ પહેલા ટ્રસ્ટની કચેરી દ્વારા ભકતોને આપવામાં આવે છે.

જન્માષ્ટમી પર કોની ધજા ચડાવવામાં આવે છે ? કાયમી ધજાજી પૈકી જન્માષ્ટમીના દિવસની તિથી મુજબની ધજાજી મુંબઈ નિવાસી જાણીતા બિલ્ડર અને દ્વારકાધીશના પરમભકત મોહન જેઠાભાઈ સેંધાણી(પટેલ) પરિવાર દ્વારા ચડાવવામાં આવે છે. આ પરીવાર દ્વારા છેલ્લા 15 વર્ષથી આ ધજાજી ચડાવવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશ પર અપાર શ્રદ્ધા હોવાના કારણે દર વર્ષે ધજાજી ચડાવે છે. ખાસ ભગવાનના જન્મદિવસના દિવસે એટલે કે જન્માષ્ટમીના દિવસે આ ધજાજી આ પરીવાર દ્વારા ચડાવવામાં આવે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

દર વર્ષે મોહન જેઠાભાઈ સેંધાણીના પરિવારના સભ્યો મુંબઈથી દ્વારકા આવીને આ ધજાજીને ચડાવે છે. પરંતુ આ વર્ષે પરીવારના સભ્યો કોરોના કારણે ન આવી શકતા પટેલ પરિવારના તીર્થ પુરોહિત વિમલ પરષોત્તમ ઠાકર પરીવાર દ્વારા તેની વિધિવત પુજાવિધી કરીને ધજાજીને ચડાવવામાં આવી છે.

મનોકામના પૂર્ણ થતા પણ ધજા ચડાવાય છે ભકતો દ્વારા પોતાની માનતા-બાધા-આખડી પૂર્ણ થતા કે ભગવાન પ્રત્યે આસ્થા વ્યકત કરવા માટે ધજાજીને ચડાવવામાં આવે છે. ધજાજીની નોંધણી કરાવ્યા બાદ નિયત દિવસે 52 ગજની ધજાજીની વિધીવત પુજાવિધી કરીને તેને ભગવાન દ્વારકાધીશ ચરણોમાં અર્પણ કરીને બાદ ત્રિવેદી પરિવારના યુવાનો દ્વારા 150 ફુટ ઉચા શિખર પર ચડાવવામાં આવે છે. જેની પુજાવિધી ભકતોના તિર્થપુરોહીત દ્વારા કરવામાં આવે છે.

આ પણ વાંચો : Janmashtami : જન્માષ્ટમીના તહેવાર નિમિતે લોકો સોશિયલ મીડિયા આ રીતે આપી રહ્યા છે શુભેચ્છા !

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">