AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ પરીક્ષાની વ્યવસ્થાની સમીક્ષા કરી, બોર્ડ દ્વારા કરવામાં આવતા મોનિટરીંગની વિગતો પણ મેળવી

રાજ્યમાં અમદાવા સહિતના મુખ્ય ચાર શહેરના સેન્ટ્રલ જેલ કેન્દ્રો ખાતેથી પણ ધો. 10-12ની પરીક્ષા જેલના કેદીઓ આપશે અને 122 કેદીઓ પરીક્ષા માટે નોંધાયા છે.મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રશ્નપત્ર મોનિટરિંગ કામગીરી થશે

શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ પરીક્ષાની વ્યવસ્થાની સમીક્ષા કરી, બોર્ડ દ્વારા કરવામાં આવતા મોનિટરીંગની વિગતો પણ મેળવી
Education Minister Jitu Vaghani reviews dashboard of board exams in control room, Gandhinagar
Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 28, 2022 | 12:23 PM
Share

આજથી ધોરણ 10 અને 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા (Board Examination)નો પ્રારંભ થઈ ગયો છે. બોર્ડના વિદ્યાર્થીઓનો (Students) ઉત્સાહ વધારવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ (Education Minister Jitu Waghani) દરેક વિદ્યાર્થીઓને પત્ર પણ લખ્યા છે. બંનેએ બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવી છે. તો શિક્ષણ પ્રધાન જીતુ વાઘણી શિક્ષણ બોર્ડમાં પહોંચ્યા હતા અને કન્ટ્રોલ રૂમથી સમગ્ર રાજ્યના પરીક્ષા સેન્ટરની વર્તમાન પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં સેન્ટર ની પરિસ્થિતિ અંગે જાણકારી પણ મેળવી હતી.

કોરોનાને લીધે ગત વર્ષે બોર્ડ પરીક્ષા રદ થયા બાદ 2020 પછી બે વર્ષે રાજ્યમાં બોર્ડ પરીક્ષા થઈ રહી છે અને આ વષે ૩ લાખથી વધુ પરીક્ષાર્થી ઘટાડા સાથે રાજ્યમાં 14.98 લાખ જેટલા વિદ્યાર્થી નોંધાયા છે. રાજ્યના 137 ઝોનમાં 1625 કેન્દ્રોમાં પરીક્ષા લેવાઇ રહી છે. ત્યારે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ધોરણ 10 અને 12ની પરીક્ષા સંદર્ભે વ્યવસ્થાવી સમીક્ષા કરી હતી. બોર્ડ દ્વારા કરવામાં આવતા મોનિટરીંગની વિગતો પણ મેળવી હતી.

પરીક્ષા કેન્દ્રોના સીસીટીવી રેકોર્ડિંગનું સુપરવિઝન કરાશે

ગુજરાતના તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવીની વ્યવસ્થા છે અને સાથે દરેક કેન્દ્રમાં સીસીટીવી રેકોર્ડિંગનું સુપરવિઝન પણ કરવામા આવશે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્રો પર જિલ્લા લેવલે સ્કવોર્ડ મોકલાશે. દરેક જિલ્લામાં કલેકટર દ્વારા વર્ગ 1-2ના અધિકારીઓને પરીક્ષા સ્થળનું મોનિટરિંગ સોંપવામા આવ્યુ છે. ધોરણ 10ની પરીક્ષા રાજયના 81 ઝોનમાં 958 કેન્દ્રોમાં 3182 બિલ્ડિંગના 33321 બ્લોકમાં લેવાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સની પરીક્ષા રાજ્યના 56 ઝોનમાં 667 કેન્દ્રોમા 1912 બિલ્ડીંગમાં 19026 બ્લોકમાં લેવાશે. આ વર્ષ ધોરણ 10માં દોઢ લાખ જેટલા વિદ્યાર્થી ઘટતા 9.64,529 વિદ્યાર્થી નોંધાયા છે.

122 કેદી પણ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે

ધોરણ 10ની પરીક્ષા સવારે 10થી બપોરના 13:15 સુધી લેવાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ૪,૨૫,૮૪૩ વિદ્યાર્થી નોંધાયા છે અને કેટલાક વિષયોની પરીક્ષા સવેરા 10: 30 થઈ 1:45 તેમજ મોટા ભાગના વિષયોની પરીક્ષા બપોરના ૩થી સાંજના 6:15 સુધી છે. ધો.12 સાયન્સમાં 1,08,067 વિદ્યાર્થીઓ છે. 12 સાયન્સની પરીક્ષા બપોરના 3થી સાંજના 6:30 સુધી લેવાશે. બોર્ડ પરીક્ષા 12 એપ્રિલ સુધી ચાલશે. રાજ્યમાં અમદાવાદ સહિતના મુખ્ય ચાર શહેરના સેન્ટ્રલ જેલ કેન્દ્રો ખાતેથી પણ ધો. 10-12ની પરીક્ષા જેલના કેદીઓ આપશે અને 122 કેદીઓ પરીક્ષા માટે નોંધાયા છે.મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રશ્નપત્ર મોનિટરિંગ કામગીરી થશે

આ પણ વાંચો-

Petrol-Diesel Price Today : સતત ચોથા દિવસે મોંઘુ થયું તમારા વાહનનું ઇંધણ, જાણો આજે કેટલો પડશે તમારા ખિસ્સા ઉપર બોજ

આ પણ વાંચો-

Mehsana: વનરક્ષકની ભરતી પેપર લીક મામલે 8 સામે ફરિયાદ નોંધાઈ, આરોપીઓએ પુરાવાનો નાશ કર્યો હતો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">