દિવાળીનાં તહેવાર પૂર્વે મુસાફરો માટે સારા સમાચાર, અમદાવાદથી પસાર થતી હોય તેવી 18 જેટલી ‘ફેસ્ટિવલ સ્પેશિયલ’ ટ્રેન દોડાવાશે
આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઇને રેલવેતંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદથી પસાર થતી હોય તેવી કુલ 18 જેટલી ‘ફેસ્ટિવલ સ્પેશિયલ’ ટ્રેનો દોડાવવાનું આયોજન કરાયું છે. આ ટ્રેનો આજથી 30 નવેમ્બર સુધી દોડાવાશે. જેમાં ઓખા-મુંબઈ, ભાવનગર-આસનસોલ, જામનગર-થીરૂનવેલી, બાંદ્રા-ભાવનગર, પોરબંદર-દિલ્હી સરાય, પોરબંદર-હાવડા, પોરબંદર-મુઝફ્ફરપુર, અમદાવાદ-વેરાવળ અને અમદાવાદ-જમ્મુ તાવી સામેલ છે. જ્યારે 22 ઓક્ટોબરે ઉપડનારી રાજકોટ-સિકંદરાબાદ ફેસ્ટિવલ ટ્રેનનું આજથી […]
આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઇને રેલવેતંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદથી પસાર થતી હોય તેવી કુલ 18 જેટલી ‘ફેસ્ટિવલ સ્પેશિયલ’ ટ્રેનો દોડાવવાનું આયોજન કરાયું છે. આ ટ્રેનો આજથી 30 નવેમ્બર સુધી દોડાવાશે. જેમાં ઓખા-મુંબઈ, ભાવનગર-આસનસોલ, જામનગર-થીરૂનવેલી, બાંદ્રા-ભાવનગર, પોરબંદર-દિલ્હી સરાય, પોરબંદર-હાવડા, પોરબંદર-મુઝફ્ફરપુર, અમદાવાદ-વેરાવળ અને અમદાવાદ-જમ્મુ તાવી સામેલ છે. જ્યારે 22 ઓક્ટોબરે ઉપડનારી રાજકોટ-સિકંદરાબાદ ફેસ્ટિવલ ટ્રેનનું આજથી બુકિંગ શરૂ થઈ ગયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો