સરકારે હોળી ધૂળેટી તહેવારની ઉજવણી ઉપર પ્રતિબંધ લાદતા આદીવાસી વિસ્તારમાં નિરાશા

રંગોના તહેવાર એવા હોળી-ઘૂળેટીના ( holi dhuleti ) પર્વની આદીવાસીઓ ભારે આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે. પરંતુ આ વર્ષે પણ હોળી ધૂળેટી પર્વ ઉપર કોરોનાનું ( corona ) ગ્રહણ લાગ્યુ હોવાથી, આદીજાતી વિસ્તારના રહીશો અને વેપારીઓમાં નિરાશાનું મોજૂ ફરી વળ્યુ છે

| Updated on: Mar 26, 2021 | 9:20 AM

રંગોના તહેવાર એવા હોળી-ઘૂળેટીના ( holi dhuleti ) પર્વની આદીવાસીઓ ભારે આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે. પરંતુ આ વર્ષે પણ હોળી ધૂળેટી પર્વ ઉપર કોરોનાનું ( corona ) ગ્રહણ લાગ્યુ હોવાથી, આદીજાતી વિસ્તારના રહીશો અને વેપારીઓમાં નિરાશાનું મોજૂ ફરી વળ્યુ છે. વેપારીઓએ માથે દેવુ કરીને હોળી ધુળેટી માટે ખરીદેલ વસ્તુઓનો બજારમાં કોઈ લેવાલ નથી. વેપારીઓના મતે હોળી ધૂળેટી ફિક્કી રહેવાની ગણતરી છે.

નર્મદા જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. હોળીએ આદિવાસી સમાજનો મુખ્ય તહેવાર છે. આમ તો હોળી અને ધુળેટી દેશમાંઆનંદ ઉલ્લાસથી ઉજવાય છે, પણ હાલની પરિસ્થિતિ જોતા કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના પગલે સરકારે પણ ધુળેટી અને હોળી નહી મનાવવા પર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે નર્મદા જિલ્લામાં વેપારી સમાજના લોકો પિચકારી અને કલરનો ધંધો કરતા હોય છે. આમ તો સીઝનેબલ ધંધો આ સમાજના લોકો કરતા હોય છે. હોળી હોય કે દિવાળી હોય. પોતાની દુકાનમાં તહેવાર અનુરૂપ માલ ભરીને વેંચતા હોય છે. ત્યારે હાલ હોળી અને ધુળેટીનો તહેવાર નજીક છે, ત્યારે આ લોકોએ પિચકારી અને કલરનો માલ ભર્યો છે.

આ ધંધો વર્ષોથી કરતા આવ્યા છે પણ આ વર્ષે પોતાની દુકાનમાં માલ ભર્યો છે તે વેચાશે કે કેમ તેની ચિંતામાં છે. ગત વર્ષે તો હોળી લોકડાઉન પહેલા હતી તો સારો ધંધો થયો હતો, પણ આ વર્ષે તો સરકારે પણ તહેવાર ઉજવવાની મનાઈ કરતા બજારમાં પિચકારી કે રંગ લેવા માટે લોકો હજુ સુધી આવ્યા નથી તો વેપારીઓને નુકશાન પણ જઈ શકે તેવી ભીતિ છે

હોળીના તહેવારમાં ખજૂર, કોપરા, ધાણી અને ઘઉંની સેવ ખાવાનો આદીવાસીઓમાં મહિમા છે. આદિવાસી વિસ્તારમાં લોકો આ વસ્તુઓની ખુબ ખરીદી કરતા હોય છે પણ હાલ રાજપીપળા શહેરમાં બજારમાં ઘરાકી નથી જેથી વેપારીઓ નિરાશ થઈને બેઠા છે. જો કે સરકારે હોળી નહિ ઉજવવાની ગાઈડલાઈનને પગલે વેપારીઓએ 50 થી 60 ટકા જ માલ ભર્યો છે.

હાલના ભાવની વાત કરીયે તો ધાણી 120 રૂપિયે કિલો છે, ચણા 120 રૂપિયે કિલો, કોપરા 240 રૂપિયે કિલો અને ખજૂર 100 રૂપિયે કિલો છે. ગત વર્ષના પ્રમાણે ભાવમાં કોઈ વધારો થયો નથી પણ ગ્રાહક દુકાન સુધી ખરીદી માટે આવતો નથી. જેથી માલ તો ભર્યો છે પણ વેચાશે કે કેમ તે ચિંતાનો વિષય છે આમ તો હજુ બે દિવસ બાકી છે જો આ બે દિવસમાં જો ઘરાકી ના નીકળે તો મોટું નુકશાન થઈ શકે છે. આ વર્ષે કોરોના ના કેસો પણ વધી રહ્યા છે જેથી પણ ઘરાકી દેખાતી નથી

 

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">