વાયુ’ની દિશા બદલાઈ પણ જોખમ યથાવત્, વાવાઝોડાની હિલચાલ વિશે સૌથી ઝડપી અપડેટ્સ
વાયુ વાવાઝોડું ભલે ફંટાઈ ગયું હોય પરંતુ ગુજરાત પરથી ખતરો ટળ્યો નથી. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કહ્યું કે, હાલ વાવાઝોડું નોર્થ વેસ્ટ દિશામાં આગળ વધી રહ્યું છે. દરિયાકાંઠાથી ખૂબ નજીકથી વાવાઝોડું પસાર થઈ રહ્યું હોવાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં 10 ઈંચથી વધુ વરસાદ વરસવાની સંભાવના છે. ગીરસોમનાથ, વેરાવળ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર સહિતના વિસ્તારોમાં ભારેથી […]
વાયુ વાવાઝોડું ભલે ફંટાઈ ગયું હોય પરંતુ ગુજરાત પરથી ખતરો ટળ્યો નથી. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કહ્યું કે, હાલ વાવાઝોડું નોર્થ વેસ્ટ દિશામાં આગળ વધી રહ્યું છે. દરિયાકાંઠાથી ખૂબ નજીકથી વાવાઝોડું પસાર થઈ રહ્યું હોવાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં 10 ઈંચથી વધુ વરસાદ વરસવાની સંભાવના છે. ગીરસોમનાથ, વેરાવળ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.