AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dharoi Dam: ધરોઈ ડેમમાં આવક ત્રણ ગણી વધી, સાબરમતી નદીમાં વધુ પાણીનો જથ્થો છોડવામાં આવ્યો

Breaking News Dharoi Dam Water Level Today: ધરોઈ ડેમનો એક દરવાજો રવિવારે બપોરે ખોલવામાં આવ્યો હતો. જે સતત ત્રીજા દિવસે પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે. મંગળવારે પાણીની આવક વધવાને લઈ દરવાજો થોડો વધુ ખોલવામાં આવ્યો છે.

Dharoi Dam: ધરોઈ ડેમમાં આવક ત્રણ ગણી વધી, સાબરમતી નદીમાં વધુ પાણીનો જથ્થો છોડવામાં આવ્યો
| Updated on: Aug 01, 2023 | 10:03 AM
Share

ધરોઈ ડેમમાંથી પાણી છોડવાનો મંગળવારે ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે ધરોઈ ડેમની આવક વધતા પાણી વધારે સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. રવિવારે રુલ લેવલ કરતા અડધો ફૂટ કરતા વધારે જળસપાટી વધી હતી અને બાદમાં પણ પાણીની આવક સતત જારી રહેવાને લઈ આખરે પાણી નદીમાં છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ધરોઈ ડેમનો એક દરવાજો રવિવારે બપોરે ખોલવામાં આવ્યો હતો. જે સતત ત્રીજા દિવસે પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે. મંગળવારે જોકે દરવાજો થોડો વધુ ખોલવામાં આવ્યો છે.

સાબરમતી નદીમાં મંગળવારે સવારે પાણીની આવકમાં વધારો નોંધાયો છે. સવાર 9 કલાકે પાણીની આવક વર્તમાન આવક સામે ત્રણ ગણી નોંધાઈ હતી. જેને લઈ ધરોઈ ડેમના ખુલ્લા રહેલા દરવાજાને વધુ ખોલવાની ફરજ પડી હતી. ધરોઈ ડેમમાં રહેલા જળસંગ્રહની સપાટી રુલ લેવલ મુજબ જાળવવા માટે થઈને પાણી વધારે નદીમાં છોડવામાં આવ્યુ હતુ.

ઉપરવાસમાં વરસાદને લઈ આવક વધી

ડેમના ઉપરવાસ વિસ્તારમાં વરસાદને લઈ સાબરમતી નદીમાં પાણીની આવક નોંધાઈ છે. રાજસ્થાનના સરહદી જિલ્લા ઉપરાંત સેઈ, પનારી અને સાબરમતી નદીના ઉપરવાસ વિસ્તારમાં વરસાદને લઈ નદીઓમાં પાણીની આવક નોંધાઈ હતી. જેને લઈ ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો. ઉત્તર ગુજરાતના સરદહી જિલ્લાઓમાં પણ વરસાદ નોંધાયો હતો. ધરોઈના ઉપરવાસમાંથી આવક વધવાને લઈ મંગળવારે સવારે પાણીની આવકમાં વધારો નોંધાયો હતો.

રુલ લેવલ 618.04 ફુટ હોઈ તેને જાળવવા માટે નદીમાં પાણી આવકની સામે એટલી જ જાવકના રુપમાં છોડવામાં આવી રહ્યુ છે. હાલમાં 12 હજાર ક્યુસેક કરતા વધારે પાણી છોડવામાં આવી રહ્યુ છે. હાલમાં પાણીનો જળસંગ્રહ ધરોઈ ડેમમાં 86.56 ટકા મંગળવારે સવારે 9 કલાકે નોંધાયેલો છે. જ્યારે વર્તમાન સપાટી 618.53 ફુટ નોંધાયેલી છે. આમ રુલ લેવલ કરતા અડધા ફુટ જેટલી સપાટી વધારે નોંધાયેલી છે. આવકની સ્થિતિને ધ્યાને રાખીને હવે પાણી છોડવા અંગે નિર્ણય કરવામાં આવશે. સંપૂર્ણ છલોછલ બંધને ભરવા માટે હજુ સાડા ત્રણ ફુટ જેટલી સપાટી દુર છે. મહત્તમ સપાટી ધરોઈ ડેમની 622 ફુટ છે.

ધરોઈ ડેમની વર્તમાન સ્થિતિ (મંગળવારે સવારે 9.00 મુજબ)

  • હાલની સપાટી-618.53 ફુટ
  • રુલ લેવલ-618.04 ફુટ
  • મહત્તમ સપાટી-622.04
  • હાલની જળસંગ્રહ સ્થિતિ-86.56
  • આવક મુજબ એટલુ જ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે.
  • 1 દરવાજો 1.37 મીટર ખોલવામાં આવેલ છે

નોંધાયેલી આવક

  • સવારે 07.00 કલાકે 4836 ક્યુસેક
  • સવારે 08.00 કલાકે 4836 ક્યુસેક
  • સવારે 09.00 કલાકે 12888 ક્યુસેક

આ પણ વાંચોઃ Surendranagar: લૂંટના આરોપીને 15 મહિલા પોલીસ કર્મીઓએ હાથ પકડી ગામમાં ફેરવ્યો! જોવા લોકોના ટોળા ઉમટ્યા, જુઓ Video

સાબરકાંઠા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
g clip-path="url(#clip0_868_265)">