AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અંબાજી મંદિરમાં હવેથી મોહનથાળનો પ્રસાદ નહીં મળે, હવે ભક્તોને મળશે ચીકીનો પ્રસાદ, જાણો શું છે તેના પાછળનું કારણ

Banaskantha News : મંદિરમાં વહેંચવામાં આવતા પ્રસાદ બદલવાને લઇને મંદિર સંચાલકોને અનેક રજૂઆત અને મંતવ્યો મળ્યા હતા. જે બાદ મંદિરના પ્રશાસન દ્રારા નિર્ણય લેવાયો છે.

Breaking News : અંબાજી મંદિરમાં હવેથી મોહનથાળનો પ્રસાદ નહીં મળે, હવે ભક્તોને મળશે ચીકીનો પ્રસાદ, જાણો શું છે તેના પાછળનું કારણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 3:02 PM
Share

બનાસકાંઠાના અંબાજી મંદિરમાં હવેથી મોહનથાળનો પ્રસાદ નહીં મળે. મોહનથાળની જગ્યાએ ભક્તોને ચીકીનો પ્રસાદ મળશે. મંદિરમાં વહેંચવામાં આવતા પ્રસાદ બદલવાને લઇને મંદિર સંચાલકોને અનેક રજૂઆત અને મંતવ્યો મળ્યા હતા. જે બાદ મંદિરના પ્રશાસન દ્રારા નિર્ણય લેવાયો છે. અંબાજી મંદિરમાં માને ધરાવવામાં આવતો રાજભોગ ગણાતો મોહનથાળનો પ્રસાદ ભક્તોને આજથી જ મળવાનું બંધ થઇ જશે. આજથી જ ભક્તોને ચીકીનો પ્રસાદ વહેંચવામાં આવશે.

શા માટે ચીકીનો પ્રસાદ ?

ચીકીનો પ્રસાદ સુકો હોવાથી ભક્તો ત્રણ માસ સુધી રાખી શકે છે. જેથી સૂકા પ્રસાદ અંગે રજૂઆત અને મંતવ્યો મંદિરને મળ્યા હતા. જેથી મોહનથાળના સ્થાને ચીકીનો પ્રસાદ વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  ચીકીના સુકા પ્રસાદ માટે અમુલ અને બનાસ ડેરી સાથે વિચાર વિમર્સ ચાલુ છે. જો કે અમુલ બ્રાન્ડ હોવાથી ચીકીનો પ્રસાદ દેશ-વિદેશમાં પણ જશે. સોમનાથ તિરૂપતિ સહિતના મંદિરોમાં પણ સૂકા પ્રસાદની માગ છે. જે મંદિરોની માગ જોઈને અંબાજી મંદિરમાં ચીકીના પ્રસાદનો નિર્ણય કરવામાં આવ્યો છે.

50 વર્ષથી અંબાજી મંદિરમાં વહેંચાય છે મોહનથાળનો પ્રસાદ

યાત્રાધામ અંબાજી મંદિર પરિષરમાં 50 વર્ષ ઉપરાંતથી મા અંબેને મોહનથાળનો પ્રસાદ ધરાવીને શ્રદ્ધાળુઓ માટે વિતરણ વ્યવસ્થામાં મુકવામાં આવેલી છે. અત્યાર સુધી આ મોહનથાળનો પ્રસાદ વિવિધ કેટેગરીના બોક્સ પેકિંગમાં યાત્રિકોને નિયત કરેલા ભાવે વેચાણ કરવામાં આવે છે. દૂર દૂરથી આવતા યાત્રિકો હોંસે હોંસે મા અંબાને ધરાવેલા મોહનથાળનો પ્રસાદ પોતાના સાથે વતને લઇ જતા હોય છે.

આજથી જ નહીં મળે મોહનથાળનો પ્રસાદ

હાલના તબક્કે મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી સ્થગિત કરાઈ છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરવા બાબતે આદેશ આપી દેવામાં આવ્યો છે. હમણાં યાત્રિકોનો ધસારો પણ અંબાજી મંદિરમાં ઘણો છે. ત્યારે આજથી જ મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ભક્તોને ચીકીનો પ્રસાદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે અંબાજી મંદિરમાં અત્યાર સુધી વહેંચાતો મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની એક ઓળખ  બની ગયો હતો. જેને નાના બાળકોથી લઈ વૃદ્ધો સહિતના લોકો પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરતા હતા. મોહનથાળ એક આસ્થાનો ભાગ બની ગયો હતો. બે દિવસ પહેલાથી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થવાની હિલચાલ હતી. ત્યારે મોહનથાળનો પ્રસાદ બંધ ન કરવામાં આવે તેવી માગ પણ પ્રવર્તી હતી. જો કે મંદિર પ્રશાસન દ્વારા મંદિરનો પ્રસાદ બગડે નહીં, લોકો લાંબો સમય પ્રસાદ રાખી શકે અને વિદેશમાં પણ લોકો પ્રસાદ લઇ જઇ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">