AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devbhoomi Dwarka: દ્વારકાના આંગણે રૂડો અવસર, શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજી લઇને આવ્યા દ્વારકા, જુઓ Video

દર વર્ષ દ્વારકામાં રૂક્ષ્મણી વિવાહની પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. ત્રિદિવસીય લગ્ન ઉત્સવ ભગવાન દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીજીની ભવ્યાતીભવ્ય વરઘોડો ભારે ઠાઠમાઠથી નીકળે છે અને સમગ્ર દ્વારકા લગ્નમય બને છે.

Devbhoomi Dwarka: દ્વારકાના આંગણે રૂડો અવસર, શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજી લઇને આવ્યા દ્વારકા, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 11:56 PM
Share

દેવભૂમિ દ્વારકામાં શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો ભવ્ય વિવાહ સત્કાર સમારંભ થયો છે. ગુજરાત સરકારે દ્વારકામાં ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ પ્રસંગની ભવ્ય ઊજવણી કરવાનું પ્રથમવાર આયોજન કર્યું છે.જેના ભાગરૂપે હાથી ગેટથી ભવ્ય શોભાયાત્રા નીકળી  હતી.

મંદિર ચોક, રૂક્ષ્મણી મંદિર અને રસ્તામાં આવતા રૂટ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું..શોભાયાત્રામાં શરણાઇ અને ઢોલના તાલે ભક્તો ઝુમી ઉઠ્યાં હતા. સાંજે દ્વારકા સર્કિટ હાઉસ ખાતે મલ્ટીમીડિયા શો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયો હતો.  આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, આસામના મુખ્યપ્રધાન હેમંતા બિશ્વા શર્મા, અરુણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પેમા ખાંડુ અને કેન્દ્રિય રાજ્યપ્રધાન મીનાક્ષી લેખી સાથે ગુજરાત સરકારના મંત્રીઓ ઊપસ્થિત રહ્યા હતા.

દર વર્ષ દ્વારકામાં રૂક્ષ્મણી વિવાહની પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. ત્રિદિવસીય લગ્ન ઉત્સવ ભગવાન દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીજીની ભવ્યાતીભવ્ય વરઘોડો ભારે ઠાઠમાઠથી નીકળે છે અને સમગ્ર દ્વારકા લગ્નમય બને છે. એટલું જ નહીં રૂક્ષ્મણી વિવાહના આયોજનમાં વરઘોડામાં જાનૈયા રજવાડી સાફા પહેરી ખૂબ જ ઉલ્લાસથી નાચતા ગાતા માતાને પરણવા જાન લઈને પહોંચે છે.અને રૂક્ષ્મણી મંદિરે મોટી સંખ્યામાં પધારેલ ભક્તોની હાજરીમાં ભગવાન દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીના લગ્નોત્સવ ભકિતભાવ વાતાવરણમાં સંપન્ન થાય છે.

કહેવાય છે કે, ભગવાન દ્વારકાધીશના મુખ્ય પટરાણી માતા રૂક્ષ્મણીજી છે. ભગવાન દ્વારકાધીશ રૂક્ષ્મણીજીનું અપહરણ વિદર્ભથી કરી દ્વારકા લઇ આવ્યા પછી તેમના વિવાહ રૂક્ષ્મણી સાથે દ્વારકા ખાતે ઠાઠમાઠ સાથે થયા હતા. ભગવાન શ્રી દ્વારકાધીશના પ્રથમ લગ્ન રૂક્ષ્મણી સાથે થયા હોવાનું ભાગવત પુરણમાં ઉલ્લેખ છે. રૂક્ષ્મણી ભગવાન કૃષ્ણના પ્રથમ અને સૌથી અગ્રણી રાણી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">